Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પારનેરા કોમ્‍પલેક્ષમાં લાગેલી આગમાં બે મોત: મણીબા કોમ્‍પલેક્ષને નોટિસ ફટકારાઈ

સ્‍મીત દેસાઈ અને ડો.ચિનલ પટેલનું મોતઃ અન્‍ય ત્રણ પણ દાઝ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.08: ગયા સપ્તાહે વલસાડ સુગર ફેક્‍ટરી પાસે આવેલ મણીબા કોમ્‍પલેક્ષમાં ભિષણ આગ લાગી હતી. આગમાં પાંચથી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા તે પૈકી યુવાન સ્‍મીત દેસાઈ અને ડો.ચિનલ પટેલનું સારવારમાં મોત નિપજ્‍યા હતા. બીજી તરફ જમીન માલિકો અને દુકાન માલિકોને પારનેરા પારડી ગ્રામ પંચાયતના તલાટીએ નોટીસ ફટકારી ત્રણ દિવસમાં વિવિધ ખુલાસા માગ્‍યા છે.
પારનેરા પારડીમાં આવેલ મણીબા કોમ્‍પલેક્ષ ગેરકાયદે બાંધકામ કરાયાનું તપાસમાં બહાર આવી રહેલ છે. આગમાં આઠ જેટલી દુકાનમાં આગ લાગી હતી. જેમાં દાઝેલા પૈકી બે ના મોત નિપજ્‍યા હતા તેથી તપાસનો કોરડો વિંઝાયો છે. જમીન માલિક ઈશ્વર ડાહ્યાભાઈ પટેલ અને ઉષાબેન પટેલને ગ્રામ પંચાયત પારનેરા પારડી તલાટીએ નોટિસ ફટકારી છે. નોટિસ મુજબ બાંધકામ અંગે વલસાડ નગર નિયોજકની મંજુરી તથા પ્‍લાન, જમીનના 7/12ના ઉતારા, બાંધકામની પરમીશન ત્રણ દિવસમાં ભુરી પાડવા જણાવાયું છે. કસુરવાર કરશે તો જમીન માલિકો અને દુકાન માલિકો વિરુધ્‍ધ ગુનો નોંધવામાં આવશે તેવું જાણવા મળેલ છે.

Related posts

સેલવાસ-ખાનવેલ સાકરતોડ નદીમાં આવેલા પૂરના કારણે આદિવાસીઓના ઘરોમાં પૂરના પાણી ફરી વળ્‍યા

vartmanpravah

પડતર માંગણી મુદ્દે વિરોધઃ વલસાડ જિલ્લાના સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ ૧૯૮૭થી ૨૦૨૪ દમણ અને દીવ બેઠકમાં 1999થી માછી સમાજના યુગનો આવેલો અંતઃ પહેલી વખત કોળી પટેલ સમાજના સાંસદ બનેલા ડાહ્યાભાઈ પટેલ

vartmanpravah

વાપીમાં એસ.સી., એસ.ટી. સમુદાય દ્વારા ભારત બંધ એલાનના સમર્થનમાં રેલી યોજાઈ

vartmanpravah

દાનહ મહેસુલ વિભાગ દ્વારા રેતી ખનન કરનાર સામે કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

ઉમરગામ તાલુકામાં બે અલગ અલગ સ્‍થળે ઝાડ પડવાની બનેલી ઘટનામાં થયેલો આબાદ બચાવ

vartmanpravah

Leave a Comment