Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પારનેરા કોમ્‍પલેક્ષમાં લાગેલી આગમાં બે મોત: મણીબા કોમ્‍પલેક્ષને નોટિસ ફટકારાઈ

સ્‍મીત દેસાઈ અને ડો.ચિનલ પટેલનું મોતઃ અન્‍ય ત્રણ પણ દાઝ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.08: ગયા સપ્તાહે વલસાડ સુગર ફેક્‍ટરી પાસે આવેલ મણીબા કોમ્‍પલેક્ષમાં ભિષણ આગ લાગી હતી. આગમાં પાંચથી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા તે પૈકી યુવાન સ્‍મીત દેસાઈ અને ડો.ચિનલ પટેલનું સારવારમાં મોત નિપજ્‍યા હતા. બીજી તરફ જમીન માલિકો અને દુકાન માલિકોને પારનેરા પારડી ગ્રામ પંચાયતના તલાટીએ નોટીસ ફટકારી ત્રણ દિવસમાં વિવિધ ખુલાસા માગ્‍યા છે.
પારનેરા પારડીમાં આવેલ મણીબા કોમ્‍પલેક્ષ ગેરકાયદે બાંધકામ કરાયાનું તપાસમાં બહાર આવી રહેલ છે. આગમાં આઠ જેટલી દુકાનમાં આગ લાગી હતી. જેમાં દાઝેલા પૈકી બે ના મોત નિપજ્‍યા હતા તેથી તપાસનો કોરડો વિંઝાયો છે. જમીન માલિક ઈશ્વર ડાહ્યાભાઈ પટેલ અને ઉષાબેન પટેલને ગ્રામ પંચાયત પારનેરા પારડી તલાટીએ નોટિસ ફટકારી છે. નોટિસ મુજબ બાંધકામ અંગે વલસાડ નગર નિયોજકની મંજુરી તથા પ્‍લાન, જમીનના 7/12ના ઉતારા, બાંધકામની પરમીશન ત્રણ દિવસમાં ભુરી પાડવા જણાવાયું છે. કસુરવાર કરશે તો જમીન માલિકો અને દુકાન માલિકો વિરુધ્‍ધ ગુનો નોંધવામાં આવશે તેવું જાણવા મળેલ છે.

Related posts

બેંકના વહીવટદાર અને સંઘપ્રદેશના સંયુક્‍ત નાણાં સચિવ કરણજીત સિંહ વાડોદરિયાની ઉપસ્‍થિતિમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થયેલા બે બ્રાન્‍ચ મેનેજરોને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની બહેનોને આત્‍મનિર્ભર બનવા દમણ-દીવના પૂર્વ સાંસદ ગોપાલ દાદાના નેતૃત્‍વમાં નાયલાપારડી ખાતે પ્રશાસનની ‘ગીર ગાય યોજના’ની આપવામાં આવેલી સમજ

vartmanpravah

નમો ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ દ્વારા ‘વિશ્વ સ્‍તનપાન સપ્તાહ-2023’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણ લાઈટ હાઉસ બીચ ઉપર ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા સંસ્‍કૃતિ મંત્રાલય દ્વારા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નવી દિલ્‍હીમાં ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનના કન્‍વીનર અને સહ કન્‍વીનરની બેઠકમાં દાનહ અને દમણ-દીવનું વાસ્‍તવિક ચિત્ર રજૂ કરતા વરિષ્‍ઠ ભાજપ નેતા જીતુ માઢાઃ પ્રદેશની બંને બેઠકો ઉપર વિજય મેળવવા પ્રગટ કરેલો વિશ્વાસ

vartmanpravah

ચીખલીના તાલુકાના કુકેરી ગામમાં પરષોત્તમ રૂપાલા ટિકિટ રદ્‌ ન થાય ત્‍યાં સુધી ભાજપ નેતાઓના પ્રવેશબંધીના બેનરો લગાડાયા

vartmanpravah

Leave a Comment