September 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના એમ માર્ટ- મનોજ એન્‍ટરપ્રાઈઝીસમાંથી વસુધારા ડેરીના નકલી ઘી ના પાઉચ મળતા ચકચાર

નકલખોરો દ્વારા પેકિંગ ફિલ્‍મની નકલ કરી વસુધારા ડેરીના ઘીનો બેચ નંબર અને તારીખ મેળવી એ જ બેચ નંબર અને તારીખ સાથે ડુપ્‍લીકેટ ઘી વેચવાના કૌંભાડનો પર્દાફાશ

જિલ્લાના ખાદ્ય સુરક્ષા અને પોલીસ વિભાગે જનઆરોગ્‍ય સાથે ચેડા કરતા નકલખોરો સુધી પહોંચવું જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.08: તા. 13.10.2022ના રોજ વસુધારા ડેરીને પારડી તાલુકાના મોતીવાડાથી વસુધારા ‘ઘી’ ની ગુણવત્તા બાબતે ફરિયાદ મળતા સંસ્‍થાના અધિકારીઓ ગ્રાહકને મળતા અને ગ્રાહકે આપેલ ‘વસુધારા’ ઘીનું પાઉચ બતાવતા તે નકલી હોવાનું જણાઈ આવતા વસુધારા ડેરીના અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. આ ફરિયાદી ઘી નેવસુધારા ડેરી લેબોરેટરીમાં સ્‍થાપવામાં આવેલ અત્‍યાધુનિક ‘‘ગેસ ક્રોમેટોગ્રાફી” મશીનમાં ચકાસણી કરતાં આ નકલી ઘી માં ઊંચી માત્રામાં ‘‘પામોલીન” જેવા તેલનું ભેળસેળ હોવાનું બહાર આવેલ છે. ગ્રાહક પાસે મળેલ જાણકારી મુજબ તેમણે આ પેકેટ મુ. વલસાડ, છીપવાડ નાકે આવેલ ‘‘એમ માર્ટ” મનોજ એન્‍ટરપ્રાઈસીસમાંથી ખરીદ કરેલાનું જણાવી બીલ પણ બતાવવામાં આવેલ. વસુધારા ડેરીના અધિકારીઓ રૂબરૂ વિક્રેતાને ત્‍યાં જઈ તપાસ કરતા વસુધારા ઘી ના અસલી ઘી પેકેટ સાથે અનેક નકલી પેકેટ ભેગા કરી દેવામાં આવેલ હોવાનું જોવા મળેલ. વસુધારા ડેરી દ્વારા આ બાબતે તુર્ત કાર્યવાહીના ભાગરૂપે વલસાડ સીટી પોલીસ અને સરકારી ખાદ્ય સુરક્ષા વિભાગને લેખિત જાણ કરવામાં આવતા આ બંને વિભાગ દ્વારા ‘‘એમ માર્ટ” મનોજ એન્‍ટરપ્રાઈઝીસમાં સ્‍થળ પર આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આવું નકલી ઘી પાઉચ બનાવવા માટે અસામાજિક તત્ત્વો દ્વારા પેકિંગ ફિલ્‍મની નકલ કરી, વસુધારા ડેરી દ્વારા પેક કરી બજારમાં આવતા ઘી નો બેચ નંબર અને તારીખ મેળવી એ જ બેચ નંબર અને તારીખ મેળવી એજ બેચ નંબર અને તારીખ સાથે નકલી ફિલ્‍મમાં ઘી પેક કરી બજારમાં મુકવામાં આવેલ હોવાનું જણાઈ આવેલ હતું જે વસુધારા ડેરીના સાચા ઘી પાઉચ સાથેએક જ સ્‍થાને વેચાણ માટે મુકતા ગ્રાહકો તેના ભોગ બની શકે.
બજારમાં આવા અનેક વિક્રેતા હોઈ શકે, પરંતુ ભેળસેળ યુક્‍ત નકલી ઘી બનાવનારના મૂળ સુધી પહોંચી, જો તેમના ઉપર ઉદાહરણરૂપ પગલાં લેવાય તો આવું આવું અસામાજિક કાર્ય અટકી શકે. વધુમાં આ અંગેની થયેલ ફરિયાદ અંગેની ચકાસણી અત્રેની ઓફિસમાં કરી શકશો.

Related posts

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કુષ્‍ઠ રોગ (રક્‍તપિત્ત) નાબૂદી જાગૃતિ અભિયાનનું કરાયેલું સમાપન: વર્ષ 2015ના મુકાબલે 80 ટકા રોગીઓમાં ઘટાડો થયો હોવાનું અનુમાન

vartmanpravah

કપરાડા તાલુકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે હીરાબેન પ્રભુભાઈ માહલા અને ઉપ પ્રમુખ તરીકે ફૂલજીભાઈ રાજીરામભાઈ ગુરવની વરણી

vartmanpravah

વાપી રેલવે ઓવરબ્રિજ ઉપર રિક્ષા અને ટેમ્‍પો વચ્‍ચે અકસ્‍માત : એક ઘાયલ : કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો

vartmanpravah

સ્‍વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 29 એપ્રિલ સુધી સ્‍વાગત સપ્તાહની ઉજવણી કરાશે

vartmanpravah

ગણદેવી-176 વિધાનસભાની બેઠક માટે ભાજપ-6, કોંગ્રેસ-3 અને આપ-2 મળી 3 દિવસમાં 11 ઉમેદવારી પત્રકો લઈ જવાયા

vartmanpravah

સાયલીની આલોક ઈન્‍ડસ્‍ટ્રીઝમાં લાગેલી આગઃ કોઈ જાનહાની નહીં

vartmanpravah

Leave a Comment