April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના એમ માર્ટ- મનોજ એન્‍ટરપ્રાઈઝીસમાંથી વસુધારા ડેરીના નકલી ઘી ના પાઉચ મળતા ચકચાર

નકલખોરો દ્વારા પેકિંગ ફિલ્‍મની નકલ કરી વસુધારા ડેરીના ઘીનો બેચ નંબર અને તારીખ મેળવી એ જ બેચ નંબર અને તારીખ સાથે ડુપ્‍લીકેટ ઘી વેચવાના કૌંભાડનો પર્દાફાશ

જિલ્લાના ખાદ્ય સુરક્ષા અને પોલીસ વિભાગે જનઆરોગ્‍ય સાથે ચેડા કરતા નકલખોરો સુધી પહોંચવું જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.08: તા. 13.10.2022ના રોજ વસુધારા ડેરીને પારડી તાલુકાના મોતીવાડાથી વસુધારા ‘ઘી’ ની ગુણવત્તા બાબતે ફરિયાદ મળતા સંસ્‍થાના અધિકારીઓ ગ્રાહકને મળતા અને ગ્રાહકે આપેલ ‘વસુધારા’ ઘીનું પાઉચ બતાવતા તે નકલી હોવાનું જણાઈ આવતા વસુધારા ડેરીના અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. આ ફરિયાદી ઘી નેવસુધારા ડેરી લેબોરેટરીમાં સ્‍થાપવામાં આવેલ અત્‍યાધુનિક ‘‘ગેસ ક્રોમેટોગ્રાફી” મશીનમાં ચકાસણી કરતાં આ નકલી ઘી માં ઊંચી માત્રામાં ‘‘પામોલીન” જેવા તેલનું ભેળસેળ હોવાનું બહાર આવેલ છે. ગ્રાહક પાસે મળેલ જાણકારી મુજબ તેમણે આ પેકેટ મુ. વલસાડ, છીપવાડ નાકે આવેલ ‘‘એમ માર્ટ” મનોજ એન્‍ટરપ્રાઈસીસમાંથી ખરીદ કરેલાનું જણાવી બીલ પણ બતાવવામાં આવેલ. વસુધારા ડેરીના અધિકારીઓ રૂબરૂ વિક્રેતાને ત્‍યાં જઈ તપાસ કરતા વસુધારા ઘી ના અસલી ઘી પેકેટ સાથે અનેક નકલી પેકેટ ભેગા કરી દેવામાં આવેલ હોવાનું જોવા મળેલ. વસુધારા ડેરી દ્વારા આ બાબતે તુર્ત કાર્યવાહીના ભાગરૂપે વલસાડ સીટી પોલીસ અને સરકારી ખાદ્ય સુરક્ષા વિભાગને લેખિત જાણ કરવામાં આવતા આ બંને વિભાગ દ્વારા ‘‘એમ માર્ટ” મનોજ એન્‍ટરપ્રાઈઝીસમાં સ્‍થળ પર આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આવું નકલી ઘી પાઉચ બનાવવા માટે અસામાજિક તત્ત્વો દ્વારા પેકિંગ ફિલ્‍મની નકલ કરી, વસુધારા ડેરી દ્વારા પેક કરી બજારમાં આવતા ઘી નો બેચ નંબર અને તારીખ મેળવી એ જ બેચ નંબર અને તારીખ મેળવી એજ બેચ નંબર અને તારીખ સાથે નકલી ફિલ્‍મમાં ઘી પેક કરી બજારમાં મુકવામાં આવેલ હોવાનું જણાઈ આવેલ હતું જે વસુધારા ડેરીના સાચા ઘી પાઉચ સાથેએક જ સ્‍થાને વેચાણ માટે મુકતા ગ્રાહકો તેના ભોગ બની શકે.
બજારમાં આવા અનેક વિક્રેતા હોઈ શકે, પરંતુ ભેળસેળ યુક્‍ત નકલી ઘી બનાવનારના મૂળ સુધી પહોંચી, જો તેમના ઉપર ઉદાહરણરૂપ પગલાં લેવાય તો આવું આવું અસામાજિક કાર્ય અટકી શકે. વધુમાં આ અંગેની થયેલ ફરિયાદ અંગેની ચકાસણી અત્રેની ઓફિસમાં કરી શકશો.

Related posts

ઉમરગામ તાલુકાના કનાડુ ગામના ખેડૂત જતિનભાઈ પટેલની સમૃદ્ધિની સફર: ગાય આધારિત પ્રાકળતિક ખેતી દ્વારા મેળવી રહ્યા છે આશરે 40 લાખની વાર્ષીક આવક

vartmanpravah

ઘોઘલા આઈટીઆઈના કેમ્‍પસમાં આત્‍મહત્‍યા નિવારણ દિનની ઉજવણી

vartmanpravah

પારડી વલ્લભ આશ્રમ હાઈવેના બ્રિજ પર ટ્રકના કેબિનમાં લાગીઆગ

vartmanpravah

વલસાડ જિલ્લામાં નવરાત્રી દરમિયાન કોઈપણમહિલાને રાત્રે મુશ્‍કેલી જણાય તો પોલીસ ઘરે સુધી પહોંચાડશે

vartmanpravah

ધરમપુર ખાતે સાંસદ ડો.કે.સી.પટેલની અધ્‍યક્ષતામાં ભાજપના સુશાસન સપ્‍તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો: આદિજાતિના ૫૩૯ લાભાર્થીઓને રૂ.૩.૩૪ કરોડની યોજનકીય સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

પરીયાની 21 વર્ષીય યુવતી ગુમ

vartmanpravah

Leave a Comment