February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવેના સર્વિસ રોડના નવીનિકરણનું હાઈવે ઓથોરિટી દ્વારા કામ હાથ ધરાયું : વાહન ચાલકોને રાહત થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.04: ચોમાસા દરમિયાન નેશનલ હાઇવે ના સમરોલી મજીગામ સહિતના વિસ્‍તારમાં સર્વિસ રોડની સપાટી કેટલીક જગ્‍યાએ બેસી જવા સાથે મસમોટા ખાડાઓ પડ્‍યા હતા અને ડામરની સપાટીનું નામોનિશાન ગાયબ થઈ જવા પામ્‍યું હતું. જેને લઇને ખાસ કરીને સ્‍થાનિક વાહન ચાલકોએ મુશ્‍કેલી વેઠવી પડી રહી હતી. આ દરમિયાન હાલે ચોમાસાની વિદાય ના ઘણા દિવસો બાદ હાઇવે ઓથોરિટી ને ફુરસદ મળી હોય તેમ સર્વિસ રોડ ઉપર સિલકોટ મારી નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જેનાથી વાહન ચાલકોને રાહત થશે એ ચોક્કસ છે.
જોકે સમરોલી થાલા સહિતના વિસ્‍તારમાં હાઇવે ના સર્વિસ રોડ પર ચોમાસામાંમોટી માત્રામાં પાણી ભરાયેલ રહે છે વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્‍યવસ્‍થાને અભાવે સામાન્‍ય વરસાદમાં પણ સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતા હોય છે બીજી તરફ ખાસ કરીને થાલામાં સ્‍પંદન હોસ્‍પિટલ પાસે અને તેની સામે ડ્રેનેજમાં પાણીનો છેલ્લા કેટલાક સમયથી બારેમાસ વહેતા હોય છે અને સ્‍પંદન હોસ્‍પિટલ પાસે તો ગંદકી સાથે તીવ્ર દુર્ગંધ પણ આ ગંદા પાણીના કારણે ફેલાતી હોય છે ત્‍યારે સર્વિસ રોડના નવીનીકરણ સાથે તંત્ર દ્વારા વરસાદી અને ડ્રેનેજના પાણીના નિકાલની પૂર્તિ વ્‍યવસ્‍થા કરી નક્કર કામગીરી કરવીજોઈએ.
વધુમાં મજીગામ અને થાલા પાસે હાઇવેના વર્ષોથી અધૂરા સર્વિસ રોડને પૂર્ણ કરવાની દિશામાં પણ હાઇવે ઓથોરિટી જાગે તે જરૂરી છે હાઈવે સર્વિસ રોડના અધૂરી કામગીરીથી લોકોને ઘણા લાંબા સમયથી મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ઘણીવાર વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે આ મુદ્દે નિરાકરણ લાવવા માટે કારોબારી અધ્‍યક્ષ ધર્મેશભાઈ દ્વારા સંકલન સમિતિની બેઠકમાં પણ રજૂઆત કરવામાં આવી હતી.

Related posts

દમણઃ ખારીવાડ ખાતે આકાર મોટર્સની બાજુમાં આવેલ કરિયાણાની દુકાનનું શટર તોડી રૂા.3.35 લાખની ચોરી

vartmanpravah

સરીગામ નોટીફાઇડ બોર્ડ ઓફ મેનેજમેન્‍ટની ઈન્‍ડસ્‍ટ્રીઝ એન્‍ડ માઈન્‍સ ડિપાર્ટમેન્‍ટ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલી રચના

vartmanpravah

સરીગામ પંચાયતમાં સામાન્‍ય સભાની બેઠકના મુદ્દે તલાટી અને સરપંચ વચ્‍ચે જોવા મળેલીવિરોધાભાસ નિતિ

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના ‘‘વિદ્યા સમીક્ષા કેન્‍દ્ર”નું પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું નિરીક્ષણ

vartmanpravah

લવાછા દમણગંગા નદીમાં પૂજા કરવા પહેલા નદીમાં નહાવા પડેલ યુવાનનું ડૂબી જતા મોત

vartmanpravah

ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન-2025-‘26 ‘સબકા સાથ, સબકા વિકાસ’ અંતર્ગત સોમનાથ ગ્રામ પંચાયતની મળેલી ગ્રામસભામાં કંપની કંપનીએ હપ્તા ઉઘરાવવા જવાનો સમય મળે પરંતુ લોકોની સમસ્‍યા દૂર કરવા માટે સમય નથીઃ સોમનાથ આગેવાન ઈશ્વરભાઈ પટેલનો સોમનાથ ગ્રા.પં.ના સરપંચ અને જિ.પં.સભ્‍યોને સોંસરો પ્રશ્ન

vartmanpravah

Leave a Comment