July 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવેના સર્વિસ રોડના નવીનિકરણનું હાઈવે ઓથોરિટી દ્વારા કામ હાથ ધરાયું : વાહન ચાલકોને રાહત થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.04: ચોમાસા દરમિયાન નેશનલ હાઇવે ના સમરોલી મજીગામ સહિતના વિસ્‍તારમાં સર્વિસ રોડની સપાટી કેટલીક જગ્‍યાએ બેસી જવા સાથે મસમોટા ખાડાઓ પડ્‍યા હતા અને ડામરની સપાટીનું નામોનિશાન ગાયબ થઈ જવા પામ્‍યું હતું. જેને લઇને ખાસ કરીને સ્‍થાનિક વાહન ચાલકોએ મુશ્‍કેલી વેઠવી પડી રહી હતી. આ દરમિયાન હાલે ચોમાસાની વિદાય ના ઘણા દિવસો બાદ હાઇવે ઓથોરિટી ને ફુરસદ મળી હોય તેમ સર્વિસ રોડ ઉપર સિલકોટ મારી નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જેનાથી વાહન ચાલકોને રાહત થશે એ ચોક્કસ છે.
જોકે સમરોલી થાલા સહિતના વિસ્‍તારમાં હાઇવે ના સર્વિસ રોડ પર ચોમાસામાંમોટી માત્રામાં પાણી ભરાયેલ રહે છે વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્‍યવસ્‍થાને અભાવે સામાન્‍ય વરસાદમાં પણ સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતા હોય છે બીજી તરફ ખાસ કરીને થાલામાં સ્‍પંદન હોસ્‍પિટલ પાસે અને તેની સામે ડ્રેનેજમાં પાણીનો છેલ્લા કેટલાક સમયથી બારેમાસ વહેતા હોય છે અને સ્‍પંદન હોસ્‍પિટલ પાસે તો ગંદકી સાથે તીવ્ર દુર્ગંધ પણ આ ગંદા પાણીના કારણે ફેલાતી હોય છે ત્‍યારે સર્વિસ રોડના નવીનીકરણ સાથે તંત્ર દ્વારા વરસાદી અને ડ્રેનેજના પાણીના નિકાલની પૂર્તિ વ્‍યવસ્‍થા કરી નક્કર કામગીરી કરવીજોઈએ.
વધુમાં મજીગામ અને થાલા પાસે હાઇવેના વર્ષોથી અધૂરા સર્વિસ રોડને પૂર્ણ કરવાની દિશામાં પણ હાઇવે ઓથોરિટી જાગે તે જરૂરી છે હાઈવે સર્વિસ રોડના અધૂરી કામગીરીથી લોકોને ઘણા લાંબા સમયથી મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ઘણીવાર વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે આ મુદ્દે નિરાકરણ લાવવા માટે કારોબારી અધ્‍યક્ષ ધર્મેશભાઈ દ્વારા સંકલન સમિતિની બેઠકમાં પણ રજૂઆત કરવામાં આવી હતી.

Related posts

વલસાડ અને વાપીમાં 38 દવાની દુકાનોમાં અનેક ગેરરીતિ ઝડપાતા નોટિસ ફટકારાઈ

vartmanpravah

વિશ્વ સાયકલ દિવસ” નિમિત્તે વલસાડમાં “ચલ સાયકલ ચલાવવા જઈએ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

અષાઢી બીજના દિવસે સમગ્ર દેશ સહિત સંઘપ્રદેશમાં પણ જય જગન્નાથનો ગુંજેલો નાદ : દાદરા નગર હવેલીના સેલવાસમાં અને દમણમાં ભગવાન જગન્નાથની નિકળેલી ભવ્‍ય રથયાત્રા

vartmanpravah

પારડી સ્‍મશાન ગૃહ જવાનો સર્વિસ રોડનો રસ્‍તો અધૂરો છોડી દેવાતા સ્‍મશાન યાત્રીઓ વેઠી રહ્યા છે પારવાર મુશ્‍કેલી

vartmanpravah

વલસાડ સાંસદ ડો.કે.સી. પટેલએ સંસદગૃહમાં કેરી પાક નુકશાન માટે ખેડૂતોને વળતરની માંગ કરી

vartmanpravah

નરોલીમાં નશાની હાલતમાં ઘરમાં ઘૂસી મહિલાની છેડતી બાબતે પરિવારના સભ્‍યોએ માર મારતા નિપજેલા મોતના ગુનામાં પોલીસે પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment