June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરકારી અનાજના ગોડાઉન ઉપર અનાજનો જથ્‍થો નહીં આવતા નવસારી જિલ્લામાં હજારો રેશનકાર્ડ ધારકો છેલ્લા પાંચ માસથી તુવેરદાળથી વંચિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.12: ચીખલી તાલુકામાં 81 જેટલી સસ્‍તા અનાજની દુકાનના 32 હજાર આસપાસના રેશનકાર્ડ ધારકોને ઘઉં, તેલ, તુવેરદાળ, ચોખા, ખાંડ વિગેરે પૂરું પાડવામાં આવે છે. જેને લઈને ગરીબ પરિવારોને મોટી રાહત થતી હોય છે. જેમાં તુવેરની દાળ રેશનકાર્ડ દીઠ એક કિલોગ્રામ જેટલી આપવામાં આવે છે. પરંતુ છેલ્લે મે મહિનામાં રેશનકાર્ડ ધારક પરિવારોને તુવેરદાળ મળ્‍યા બાદ તુવેરદાળનો જથ્‍થો આવતો બંધ થઈ જતા છેલ્લા પાંચેક માસથી ગરીબ મધ્‍યમ વર્ગના પરિવારોને તુવેરદાળ મળી નથી. જેને પગલે આ પરિવારોને હાલાકી વેઠવાની નોબત આવી છે.જૂન, જુલાઈ, ઓગષ્ટ, સપ્‍ટેમ્‍બર બાદ હાલ ઓક્‍ટોબર માસમાં પણ તુવેરની દાળનો જથ્‍થો સરકારી અનાજના ગોડાઉન પર આવ્‍યો નથી. ચાલું માસ માટે પરમીટ મળતા રેશનકાર્ડ ધારકો દ્વારા ચલણ પણ ભરી દેવામાં આવ્‍યું હોવાનું જાણવા મળેલ છે. તેમ છતાં ચાલુ માસે આજદિન સુધી તુવેરદાળનો જથ્‍થો આવ્‍યો નથી.
હાલે તહેવાર પણ નજીક હોય તેવા સંજોગોમાં ગરીબ મધ્‍યમવર્ગના રેશનકાર્ડ ધારક પરિવારોને તહેવાર ટાણે તુવેરદાળ ઉપલબ્‍ધ થાય તે પ્રકારનું તંત્ર દ્વારા આયોજન હાથ ધરવામાં આવે તે જરૂરી છે.
ચીખલી એફસીઆઈના ગોડાઉન મેનેજર જીજ્ઞેશભાઈના જણાવ્‍યાનુસાર તુવેરદાળનો જથ્‍થો છેલ્લે મે માસમાં આવ્‍યો હતો. હાલે પરમીટ આપેલી છે. પરંતુ હમણાં સુધી જથ્‍થો આવ્‍યો નથી.

Related posts

કપરાડા કુંભઘાટ ઉપર બે ટ્રક પલટી મારી જતા ટ્રાફિક જામઃ કુંભઘાટ મોતનો ઘાટ બની રહ્યો છે

vartmanpravah

નાની દમણના મશાલ ચોક ખાતે વેટરનરી હોસ્‍પિટલની સામે આવેલ મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરના નવનિર્માણના કાર્યનો 26મી જાન્‍યુ.થી થનારો આરંભ

vartmanpravah

સરીગામની મેકલોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીનો વૃક્ષારોપણ કાર્યક્રમ

vartmanpravah

થર્ટી ફર્સ્ટની દમણમાં ફીકકી ઉજવણી બારો તથા ધાબાઓના ટેબલો ખાલી જોવા મળ્‍યા

vartmanpravah

દમણની બદલાઈ રહેલી શકલ અને સૂરતઃ કચીગામ ચાર રસ્‍તાથી પટલારા બ્રિજ સુધી લાગેલા ડેકોરેટિવ પોલ અને લાઈટથી બદલાયેલો નઝારો

vartmanpravah

…અને એટલે જ દાનહ અને દમણ-દીવનો ડંકો દુનિયામાં પણ વાગી રહ્યો છે

vartmanpravah

Leave a Comment