Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરૈયા ગામનો પાંચ દિવસથી ગુમ સગીરની બોડવાંક ગામે આંબાવાડીમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: સરૈયા ગામનો પાંચ દિવસથી ગુમ સગીરની બોડવાંક ગામે આંબાવાડીમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના સરૈયા ગામના નવા ફળીયા ખાતે રહેતો 16-વર્ષીય સગીર ગત તા.16/02/2023 ના રોજ ટાંકલ જવાનું કહી ઘરેથી બપોરના સમયે નીકળી ગયા બાદ પરત ન આવતા અને મોબાઈલ ફોન પણ રિસીવ ન કરવા સાથે શોધખોળ કરતા પણ ન મળી આવતા તેની માતાનીફરિયાદના આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ દરમ્‍યાન મંગળવારના રોજ આ સગીર બોડવાંક નર્સરી ફળિયામાં સુનિલ બાલુભાઈ પટેલની આંબાવાડીમાં આવેલ આંબાના ઝાડ ઉપર ફાંસો ખાધેલ હાલતમાં મળી આવતા તેની માતા મનીષાબેન ગણેશભાઈ હળપતિની ફરિયાદમાં પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

વિધાનસભા સામાન્‍ય ચૂંટણીના નિરીક્ષણ અર્થે નવસારી જિલ્લામાં ઓબ્‍ઝર્વરોની નિમણૂંક કરવામાં આવી

vartmanpravah

26મી જાન્‍યુઆરી પ્રજાસત્તાક દિવસની તૈયારીના ભાગરૂપે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત કચેરીમાં પ્રમુખ દામજીભાઈ કુરાડાએ યોજેલી બેઠક

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર સલોની રાયનાં માર્ગદર્શનમાં દીવમાં ‘રાષ્‍ટ્રીય પોષણ માહ’ની ઉજવણી હેઠળ આંગણવાડી કાર્યકતા બહેનોને ‘ઉપરી આહાર’ અંગે તાલીમ અપાઈ

vartmanpravah

દાનહમાં સરકારી અને ખાનગી કોલેજના અનુસૂચિત જાતિ – અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને સ્‍કોલરશીપ નહીં મળતા કલેક્‍ટરને રજૂઆત : જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાએ વહેલામાં વહેલી તકે સ્‍કોલરશીપ મળે એવી વ્‍યવસ્‍થા કરવા આપેલું આશ્વાસન

vartmanpravah

વાપી ચાર રસ્તાથી કરવડ સુધી નિર્માણાધીન આરસીસી રોડ કામગીરીની નાણાંમંત્રીએ કરેલી સ્થળ વિઝિટ

vartmanpravah

વાપી વાઈટલ કંપનીમાં ચોરીની શંકામાં કર્મચારીને ગોંધી રાખી માર મારનાર વોન્‍ટેડ આરોપી પોલીસે ઝડપી પાડયો

vartmanpravah

Leave a Comment