(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: સરૈયા ગામનો પાંચ દિવસથી ગુમ સગીરની બોડવાંક ગામે આંબાવાડીમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના સરૈયા ગામના નવા ફળીયા ખાતે રહેતો 16-વર્ષીય સગીર ગત તા.16/02/2023 ના રોજ ટાંકલ જવાનું કહી ઘરેથી બપોરના સમયે નીકળી ગયા બાદ પરત ન આવતા અને મોબાઈલ ફોન પણ રિસીવ ન કરવા સાથે શોધખોળ કરતા પણ ન મળી આવતા તેની માતાનીફરિયાદના આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ દરમ્યાન મંગળવારના રોજ આ સગીર બોડવાંક નર્સરી ફળિયામાં સુનિલ બાલુભાઈ પટેલની આંબાવાડીમાં આવેલ આંબાના ઝાડ ઉપર ફાંસો ખાધેલ હાલતમાં મળી આવતા તેની માતા મનીષાબેન ગણેશભાઈ હળપતિની ફરિયાદમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.