April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિશ્નોઈ સમાજ-ગુરુ જંભેશ્વર સેવા સંસ્‍થાન કરમબેલે દ્વારા નવરાત્રિ સ્‍થાપના દિવસે રક્‍તદાન શિબિરનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વિશ્નોઈ સમાજ-ગુરુ જંભેશ્વરસેવા સંસ્‍થાન કરમબેલે દ્વારા 15 ઓક્‍ટોબર 2023 ના રોજ નવરાત્રિ સ્‍થાપના દિવસે રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બ્‍લડ બેંક દ્વારા 150 જેટલા યુનિટ રક્‍ત એકત્ર કરવામાં આવ્‍યું હતું. લાયન્‍સ ક્‍લબ બ્‍લડ બેંક અને રોટરી ક્‍લબ ઓફ વાપીને વિશ્નોઈ સમાજનાસ્ત્રી-પુરુષો દ્વારા 150 યુનિટ રક્‍તનું દાન કરવામાં આવ્‍યું હતું. રાજસ્‍થાની સમાજના પરપ્રાંતિય ભાઈઓ દ્વારા રક્‍તદાતાઓને અદ્ભુત ભેટ અર્પણ કરવામાં આવી હતી.
પોતાના હિતોના રક્ષણ માટે, બિશ્નોઈ સમુદાય 29 નિયમોને અનુસરીને લોક કલ્‍યાણ માટે વર્ષમાં ત્રણથી ચાર વખત આવા કાર્યક્રમોનું આયોજન કરે છે. સંસ્‍થાના પ્રમુખના જણાવ્‍યા મુજબ, રમેશ જી ગોદારા, ચૌધરી, જાટ, પૂજારી, દેવસી રાજપૂત અને રાજસ્‍થાનના ભાટી સમાજના પરપ્રાંતિય ભાઈઓ પણ હાજર રહ્યા હતા.

Related posts

દાનહમાં ઉત્‍સાહભેર રક્ષાબંધનની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણમાં દિલ્‍હીની તર્જ ઉપર બનાવવામાં આવેલ બસ સ્‍ટેન્‍ડના બોલાવેલા ભૂક્કા

vartmanpravah

સોળસુંબા બજાર પ્રકરણમાં સરકારી અધિકારીઓની તપાસમાં ઢીલી નીતિ

vartmanpravah

પારડીની બરઈ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાશે

vartmanpravah

ભગવાનને આપણને ઘણું આપવું હોય છે, આપણે ક્ષુલ્લક માંગણીથી તેમની સત્તા પર શા માટે કાપ મૂકવો જોઈએ?

vartmanpravah

વાપી પાલિકાની સામાન્‍યસભામાં રૂા.3.56 કરોડની પુરાંતવાળું અંદાજિત 133 કરોડનું બજેટ રજૂ કરાયું

vartmanpravah

Leave a Comment