Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ફડવેલ બાદ હરણગામ ગામે દીપડી પાંજરે પુરાતા લોકોમાં હાશકારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.31: સાદકપોર, પીપલગભણ, ખુડવેલ, દેગામ, હરણગામ, તલાવચોરા, ફડવેલ, સાદડવેલ સહિતના ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડા – દીપડીની અવર જવર વધી જવા પામી છે. જેને લઈને લોકોમાં ભયનો માહોલ વચ્‍ચે વન વિભાગ દ્વારા દસેક જેટલા પાંજરા ગોઠવવામાં આવ્‍યા હતા. આ દરમ્‍યાન ગતરોજ ફડવેલ ગામેથી એક પાંચ વર્ષીય કદાવર દિપડો પાંજરે પુરાયો હતો.
દરમ્‍યાન રાત્રીના સમયે ચીખલી તાલુકાના હરણગામના નહેર ફળીયામાં વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પાંજરામાં અંદાજે પાંચ વર્ષીય દીપડી પુરાતા આ અંગેની જાણ સરપંચદ્વારા કરાતા વન વિભાગના સ્‍ટાફ દ્વારા દીપડીનો કબ્‍જો લઈ વેટરનીટી તબીબ પાસે તપાસ કરાવાતા દીપડી સ્‍વસ્‍થ હોવાનું જણાતા સુરક્ષિત રીતે વઘઈ તરફ જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.
હરણગામમાં દીપડી પાંજરે પુરાયાની વાત વાયુવેગે પ્રસરતા દીપડીને જોવા સ્‍થાનિકો મોટી સંખ્‍યામાં ઉમટી પડ્‍યા હતા. સાદકપોરમાં 6-જેટલા પાંજરા ગોઠવવામાં આવ્‍યા છે. પરંતુ હજુ સુધી એક પણ દીપડો પાંજરે પુરાયો નથી. જોકે દીપડાઓ કોઈ એક ચોક્કસ જગ્‍યાએ સ્‍થાયી રહેતા ન હોય તેવામાં માનવ અને પશુ પર હુમલો કરનારા દીપડા પાંજરે પુરાયા છે કે કેમ તે કહેવું પણ મુશ્‍કેલ છે. ત્‍યારે લોકોને ખાસ કરીને રાત્રી દરમ્‍યાન સાવધાની રાખવી જરૂરી છે.

Related posts

વંકાલ ગામે તળાવમાંથી કોઈ પણ મંજુરી વિના માટીનું મોટા પાયે ખોદકામ કરવા અંગે માજી સરપંચ દ્વારા જિલ્લા કલેકટર સહિત ઉચ્‍ચ અધિકારીઓને લેખિત રજૂઆત

vartmanpravah

રાનકુવામાં ત્રણ બકરીનો શિકાર બાદ કુકેરી ગામે ફરીથી બકરીનો શિકાર કરતા સ્‍થાનિકોમાં ગભરાહત

vartmanpravah

સરીગામ પંચાયતે રૂ.15 લાખના ખર્ચે નિર્માણ થનારા વિકાસના કામોના કરેલા ખાતમુહૂર્ત

vartmanpravah

દાનહમાં થયેલા ઔદ્યોગિકરણનો લાભ પ્રદેશના કેટલા આદિવાસીને મળ્‍યો અને કોના ‘જીવન-ધોરણમાં’ સુધારો આવ્‍યો?

vartmanpravah

દમણમાં આંતર શાળાકીય કબડ્ડી સ્‍પર્ધાનો પ્રારંભ

vartmanpravah

પારનેરા ડુંગર ઉપર મહાદેવ મંદિરમાં અભિષેક કરી રહેલા ભક્‍તનું હૃદય રોગના હુમલાથી મોત થયું

vartmanpravah

Leave a Comment