April 29, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ જિ.પં.ના સોમનાથ-એના સભ્‍ય અને બાંધકામ સમિતિના અધ્‍યક્ષ રીનાબેન હરીશભાઈ પટેલે આગવી રીતે ઉજવેલો પોતાનો જન્‍મદિવસ

નાયલાપારડીની સરકારી પ્રાથમિક શાળામાં પહોંચી ધોરણ-1 અને રના બાળકોને સ્‍વેટર તથા મિઠાઈ આપી તેમની સાથે રીનાબેન પટેલ અને તેમના પતિ હરીશભાઈ પટેલે ઉજવેલો જન્‍મદિવસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17
દમણ જિલ્લા પંચાયતના સોમનાથ-એ વિભાગના સભ્‍ય અને બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી રીનાબેન હરીશભાઈ પટેલે પોતાના જન્‍મદિવસની ઉજવણી શાળામાં આદિવાસી સમુદાયના બાળકો સાથે આગવી રીતે કરી હતી અને આ જરૂરિયાતમંદ બાળકોને ઠંડીની ઋતુ માટે સ્‍વેટરની પણ ભેટ આપી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સરકારી પ્રાથમિક શાળા નાયલાપારડીમાં સોમનાથ પંચાયત-એના જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી રીનાબેન હરીશભાઈ પટેલ તરફથી તેમના જન્‍મદિન નિમિત્તે ધોરણ-1 અને રના બાળકોને સ્‍વેટર તથા મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી.
પ્રાથમિક શાળા નાયલાપારડીમાં સોમનાથ પંચાયત-એના જિલ્લા પંચાયત સભ્‍ય તથા બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી રીનાબેન હરીશભાઈ પટેલ તરફથી તેમના જન્‍મ દિવસનિમિત્તે ધોરણ-1 અને ધોરણ-રના બાળકોને સ્‍વેટર તથા બાળકોને મીઠાઈ આપવામાં આવી હતી. હાલ ઠંડીનો સમય આવી ગયો છે ત્‍યારે નાના બાળકો માટે સ્‍વેટર ખુબ ઉપયોગી હોય છે. બાળકો સ્‍વેટર આપતા તેઓ ખુબ આનંદિત થઈ ગયા હતા.
શાળાના સ્‍વેટર વિતરણ કાર્યક્રમમાં પરિયારી પંચાયતના ડેપ્‍યુટી સરંપચ શ્રી સંતોષભાઈ હળપતિ તથા ગામના યુવાનો જોડાયા હતા. આ શાળાના ઈન્‍ચાર્જ આચાર્ય શ્રી નવીનભાઈ સી.ધોડી તરફથી તેમને પુષ્‍પગુચ્‍છ આપી જન્‍મદિનની શુભકામના પાઠવી હતી. આ શાળાની શિક્ષિકા બહેનોએ આ કામમાં ખુબ સહકાર રહ્યો હતો.
આ શાાળાના બાળકોને ગરમ સ્‍વેટર તથા મીઠાઈ વહેંચી રીનાબેન પટેલે જન્‍મદિવસની ઉજવણી કરી તે ખુબ સરાહનીય કાર્ય છે શાળા પરિવારે આભાર માન્‍યો હતો.

Related posts

વલસાડ જિલ્લામાં તા. 22મી મે, રવિવારનાં રોજ કોવિડ-19 વેક્‍સિનેશન મેગા કેમ્‍પ યોજાશે

vartmanpravah

ગુજરાત સ્‍થાપના દિને ધરમપુરની પ્રજાને ભેટઃ પાંચ નવી નક્કોર એસ.ટી. બસોનું લોકાર્પણ

vartmanpravah

આવકવેરા વિભાગે વાપી, સરીગામ, સેલવાસ સહિતની 20 જગ્‍યાએ દરોડા પાડી 100 કરોડની બિનહિસાબી આવક ઝડપી

vartmanpravah

વાપી અંબામાતા મંદિરમાં પ્રથમ વખત ગૌસેવાના લાભાર્થે ભાગવત કથાનો પ્રારંભ

vartmanpravah

સીઈઓની કારણદર્શક નોટિસ : દાનહઃ ખરડપાડા ગ્રા.પં.ના ૬ જેટલા સભ્યોનું સભ્યપદ શા માટે રદ્ નહીં કરવું?

vartmanpravah

દાનહના લુહારી ખાતે ‘મોન્‍સૂન મેડલી ફેસ્‍ટીવલ’નું એસ.પી. રાજેન્‍દ્ર પ્રસાદ મીણાના હસ્‍તે કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

Leave a Comment