Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં 32188 એન.એફ.એસ.એ. લાભાર્થીએ ઘર બેઠા આયુષ્‍યમાન કાર્ડ બનાવ્યા

આયુષ્‍યમાન કાર્ડ હવે મોબાઈલ દ્વારા ઓનલાઈન બનાવવું બન્‍યું સરળ,
સેન્‍ટર પર જવાની જરૂર નથી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: રૂ.10 લાખ સુધીનું આરોગ્‍ય કવચ આપતા આયુષ્‍યમાન ભારત કાર્ડ માટે હવે આરોગ્‍ય કેન્‍દ્ર કે અન્‍ય સેન્‍ટરો કે કચેરીમાં જવાની જરૂર નથી. ઘર બેઠા મોબાઈલ દ્વારા ઓનલાઈન પ્રક્રિયાથી આયુષ્‍યમાન કાર્ડ બની જશે. વલસાડ જિલ્લામાં અત્‍યાર સુધીમાં એન.એફ.એસ.એ. રેશન કાર્ડ ધરાવતા 32188 લોકોના આયુષ્‍યમાન કાર્ડ પી.એમ.જે.એ.વાય.ની નવી માર્ગદર્શિકા મુજબ બની ચૂકયા છે.


પી.એમ.જે.એ.વાય. (પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના) – મા યોજના/ આયુષ્‍માન ભારત કાર્ડ ગ્‍ત્‍લ્‍ 2.0 એપ્‍લિકેશનમાં એનરોલમેન્‍ટની સરળ કામગીરી કઈ રીતે કરી શકાય તે અંગેની જરૂરી માહિતી અર્થે કેન્‍દ્ર સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં જણાવ્‍યું છે કે, સૌ પ્રથમ મોબાઈલ દ્વારા પ્‍લે સ્‍ટોરમાં લોગીન થઈને આયુષ્‍માન એપ https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp&pli=1 ડાઉનલોડ કરવાની રહેશે, ત્‍યારબાદ બેનીફીસરીના ઓપ્‍સન પર કલીક કરી લોગીન કરવું અને પોતાનો મોબાઈલ નંબર એન્‍ટર કરીવેરીફાઈ કરવો. ત્‍યારબાદ ઓ.ટી.પી. એન્‍ટર કરી લોગીન કરવું અને ત્‍યારબાદ રેશન (સરકારી અનાજ) લેતા એન.એફ.એસ.એ.ના કુટુંબનો રેશનકાર્ડનો નંબર ફેમિલી આઈ.ડી.માં નાખતાની સાથે જ કુટુંબના તમામ સભ્‍યોની વિગતો બતાવશે. આ પ્રકિયા અંતર્ગત આગળ જતાં બાકી રહેલા સભ્‍યોની સામે ક્‍લિક કરવું અને આધાર કાર્ડ નંબર આવશે તેને વેરીફાઈ કરવું. જેથી આધાર સાથે લિન્‍ક મોબાઈલ નંબર પર ઓ.ટી.પી.થી વેરીફાઈ કરવું. ત્‍યારબાદ આધાર કાર્ડમાં આવેલા ફોટાની બાજુમાં જે તે લાભાર્થીનો લાઈવ ફોટો અપલોડ કરવાનો રહેશે, ફેમીલીના કોઈપણ સભ્‍યોનો મોબાઈલ નંબર નાખી ઓ.ટી.પી.થી વેરીફાઈ કરવો તથા આધાર કાર્ડ મુજબ પિનકોડ, જિલ્લો, તાલુકો, ગામની વિગતો ભરવી. ત્‍યારબાદ સબમીટ કરતાં એનરોલમેન્‍ટની પ્રોસેસ પૂર્ણ થાય છે. ત્‍યારબાદ ડાઉનલોડ પર ક્‍લિક કરી આયુષ્‍માન ભારત કાર્ડ પી.ડી.એફ. સ્‍વરૂપે લાભાર્થીને ગણતરીના કલાકોમાં મળી જશે.

Related posts

આગામી 24 કલાકમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી: વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ધો.10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક હેલ્‍પલાઈન કાર્યરત કરાશે

vartmanpravah

દમણ વન વિભાગમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે કાર્યરત દામુભાઈ જી. ધોડી સેવા નિવૃત્ત થતાં તેમને આપવામાં આવેલું ભવ્‍ય વિદાયમાન

vartmanpravah

ચીખલીના તલાવચોરા સહિતના ગામોમાં પ્રધાનમંત્રી આવાસ સહિતની વિવિધ યોજનાઓના અમલ વચ્‍ચે અનેક ગરીબ પરિવારો આજે પણ કાચા અને ભાંગેલા-તૂટેલા મકાનમાં રહેવા મજબૂર

vartmanpravah

કલા મહાકુંભ પ્રતિયોગીતામાં વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ રાજ્‍ય કક્ષાએ ઝળકી

vartmanpravah

દાનહમાં ત્રણ ઇંચથી વધુ વરસાદઃ શાકભાજીના પાકને નુકસાન

vartmanpravah

Leave a Comment