March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ ગુરુકુળમાં મધર ક્રિએશન સોલ્‍ટ સ્‍પર્ધા યોજાઈ: 175 વાલીઓએ ભાગ લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: ‘‘વહેચવાથી આનંદ બમણો મળે છે” આ કહેવતને શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવની પૂર્વ પ્રાથમિક શાળાના વાલીઓએ સાકાર કરી છે.
સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ પૂર્વ પ્રાથમિક દ્વારા આયોજિત મધર ક્રિએશન સોલ્‍ટ સ્‍પર્ધામાં 175 વાલીઓએ ભાગ લીધો હતો અને ખૂબ જ સુંદર રચનાઓ કરી હતી. તેમના દ્વારા બનાવેલ થાળી, તોરણ, મીણબત્તીઓ અને દીવા વેચીને એકત્ર થયેલા પૈસાથી પૂર્વ પ્રાથમિક શાળાના બાળકો અનાથ બાળકોને મળ્‍યા હતા. મોટાપોંઢા ગાંધી આશ્રમમાં તેમના શિક્ષકો સાથે સહકાર લઈ તેઓને બિસ્‍કિટ, ચોકલેટ અને પાવભાજી આપીને તેમની સાથેદિવાળી (પ્રકાશનો તહેવાર) માણ્‍યો હતો. આ પ્રવૃત્તિ દરમિયાન અમે બાળકોને શેરિંગ અને કેરિંગનું મહત્‍વ શીખવ્‍યું હતું. તે ખૂબ જ આનંદદાયક હતું અને ગાંધી આશ્રમના બાળકોના ચહેરા પર સ્‍મિત લાવવામાં અમે સફળ રહ્યા. આ પ્રવૃતિને સફળ બનાવવા માટે અમને સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવના મેનેજિંગ ટ્રસ્‍ટી કપિલ સ્‍વામીજી અને ટ્રસ્‍ટીઓ અને નિયામક આચાર્યોનો સંપૂર્ણ સહયોગ મળ્‍યો હતો.

Related posts

દાનહની માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલની વિદ્યાર્થીનીએ કરાટે સ્‍પર્ધામાં મેળવેલો કાંસ્‍ય પદક

vartmanpravah

રમત અને યુવા વિભાગ દ્વારા 61મા સુબ્રતો મુખરજી કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્‍પર્ધા-2022માં ભાગ લેવા સંઘપ્રદેશના ખેલાડીઓ નવી દિલ્‍હી જવા રવાના

vartmanpravah

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીની વલસાડ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વિજળી વિતરણ વ્‍યવસ્‍થાના ખાનગીકરણને અટકાવવા માટે ડિએમસી કાઉન્‍સિલરોએ સરકારને કરેલી અપીલ

vartmanpravah

સેલવાસની ગુરુદેવ સોસાયટીમાં કોઈક વ્‍યક્‍તિએ ઝેરયુક્‍ત ખોરાક ખવડાવતા પાંચ ગલુડિયાંના થયેલા મોત

vartmanpravah

દીવની પ્રખ્‍યાત કોહિનુર હોટલ દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણનું પ્રશાસન દ્વારા ડિમોલીશન કરાયું

vartmanpravah

Leave a Comment