January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દીવની પ્રખ્‍યાત કોહિનુર હોટલ દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણનું પ્રશાસન દ્વારા ડિમોલીશન કરાયું

કોહિનુર હોટલના માલિક દ્વારા 36000 સ્‍કે.મીટર સરકારી જમીન પર દબાણ કરી પાર્ટી પ્‍લોટ, સ્‍ટાફ ક્‍વાર્ટર વગેરે બનાવાયા હતા

(ફૈઝાન સિદ્દી દ્વારા)

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ,તા.06
દીવ ની પ્રખ્‍યાત હોટલ કોહિનૂર ના માલિક દ્વારા 36 હજાર સ્‍ક્‍વેર મીટર સરકારી જમીનનું દબાણ કરેલ જેને આજે દૂર કરી દીવ પ્રશાસને પઝેશન લઈ લીધુ હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર દીવના કલેકટર શ્રીમતી સલોની રાયના આદેશ અને મામલતદાર શ્રી ચંદ્રહાસ વાજાના નેતળત્‍વમાં આજે દીવની કોહિનૂર હોટલનું પઝેસન લીધુ અને ગેરકાયદેસર બાંધકામને હટાવવામા આવ્‍યું હતું.
આજે સવારથી પોલીસ બંદોબસ્‍ત સાથે સીટી સર્વે તથા મામલતદારનાસ્‍ટાફે કોહિનૂર હોટલ પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન કલેકટર શ્રીમતી સલોની રાય, ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી હરમિન્‍દર સિહ, મામલતદાર શ્રી ચંદ્રહાસ વાજા ઉપસ્‍થિત રહ્યા હતા. લગભગ એક વર્ષથી ફરીયાદના આધારે કોહિનૂરની પાછળની તથા આસપાસની જગ્‍યાનો કેસ દીવ કલેકટરમાં ચાલતો હતો. જેનો ચૂકાદો આવતા આજે સવારથી જ કોહિનૂરની આસપાસ તથા પાછળની જમીનની માપણી કરવામાં આવી હતી. ત્‍યારબાદ 36 હજાર સ્‍ક્‍વેર મીટર જેટલી જમીન પર ગેરકાનૂની બાંધકામ જોવા મળ્‍યું હતુ. જેમાં પાર્ટી પ્‍લોટ, સ્‍ટાફ કવાર્ટર, તથા અન્‍ય ખૂલ્લી જગ્‍યા પર બનાવેલ દિવાલ વગેરેને આજે પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવ્‍યું હતું.
કોહિનૂર હોટલના માલિક યતિન ફુગ્રો દ્વારા દબાણ કરેલ જમીન પર બુલડોઝરના માધ્‍યમથી ગેરકાયદે બનાવેલ બાંધકામને દુર કરવામાં આવ્‍યું હતું. દીવની પ્રખ્‍યાત હોટલોમાંની આ એક હોટલ છે જેમાં નામી રાજનેતાઓ અને ફિલ્‍મ અભિનેતા-અભિનેત્રીઓ પણ રોકાણ કરી ચૂકયા છે, કોહિનૂરની ફરતી સાઈડ 36000 સ્‍ક્‍વેર મીટર જમીન હતી જે ક્‍લાસ ટુ છે અને આ જમીનના દસ ટુકડા એટલે કે 36 હજાર સ્‍ક્‍વેર મીટર ગેરકાયદે કોહિનૂર અને કલ્‍પના ડિસલરીના નામે કરવામાં આવી હતી. જેનું આજે પઝેસન લઈ સરકારે તેના નામ પર કરી હતી.

Related posts

દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે આપેલા આમંત્રણના અનુસંધાનમાં દાનહ-દમણ-દીવની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના જન પ્રતિનિધિઓએ દિલ્‍હીની લીધી મુલાકાત

vartmanpravah

ચીખલી સહિત નવસારી જિલ્લાના રોડ કોન્ટ્રાક્ટરો ઍસ.અો.આર. સુધારણાની માંગને લઈ હડતાળ ઉપર

vartmanpravah

વિધાનસભા ચૂંટણીઃ 2022 લોકશાહીના મહાપર્વમાં વલસાડ જિલ્લાની 5 બેઠક પર 35 ઉમેદવારો ચૂંટણી જંગ લડશે: સૌથી વધુ 9 ઉમેદવાર અને સૌથી વધુ 3 અપક્ષ ઉમેદવારો પણ ધરમપુર બેઠક પર

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના નવનિયુક્‍ત સેક્રેટરી પર્યંત જાની અને જે.ઈ. હિરેન પટેલનું કરાયું અભિવાદન

vartmanpravah

વલસાડમાં વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગનો ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે વાગેલો ડંકો ભારત સરકાર દ્વારા આયોજીત ‘આરોગ્‍ય મંથન-2023’માં દાનહ અને દમણ-દીવને જન આરોગ્‍ય ક્ષેત્રે કરેલા ઉત્‍કૃષ્‍ટ કાર્ય બદલ બે પુરસ્‍કારોની થયેલી નવાજેશ

vartmanpravah

Leave a Comment