January 15, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસની ગુરુદેવ સોસાયટીમાં કોઈક વ્‍યક્‍તિએ ઝેરયુક્‍ત ખોરાક ખવડાવતા પાંચ ગલુડિયાંના થયેલા મોત

સોસાયટીની મહિલાઓના વોટ્‍સએપ ગ્રુપમાં કૂતરાઓને ઝેર આપી મારી નાખ્‍યા હોવાનો મેસેજ ફરતા ચકચારઃ ખબર વાયુવેગે પ્રસરી જતાં ફટાફટ મેસેજો ડીલીટ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: ગુજરાતના વલસાડ જિલ્લાને અને મહારાષ્‍ટ્રના પાલઘર જિલ્લાને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના મુખ્‍ય મથક એવા સેલવાસના ભસતા ફળિયામાં ગુરુદેવ ફેસ-2, સોસાયટીમાં કોઈક વ્‍યક્‍તિએ ઝેરયુક્‍ત ખોરાક ખવડાવતા પાંચથી વધુ ગલુડિયાં સહિત તરુણ કૂતરાઓના મોત થતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાથી પશુપ્રેમીઓમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુરુદેવ ફેસ-2, સોસાયટીની મહિલાઓના વોટ્‍સએપ ગ્રુપમાં મેસેજ ફરતો હતો કે સોસાયટીમાં ફરી રહેલા કૂતરાઓને ઝેરયુક્‍ત ખોરાક ખવડાવીને મારી નાખીએ, જેથી રાત્રી દરમ્‍યાન જ કોઈકે કૂતરાઓને ઝેરવાળો ખોરાક ખવડાવી દીધો હતો. જેના કારણે સવાર સુધીમાં આઠમાંથી પાંચ ગલુડિયા સહિત તરૂણ કૂતરાઓના મોત થયા હતા અને ત્રણની હાલત હાલમા નાજુક હતી. આ સમગ્ર ઘટના સમગ્ર પંથકમાં વાયુવેગે પ્રસરી જતાં સોસાયટીમાં દોડધામ મચી જવા પામીહતી, અને તાત્‍કાલિક સોસાયટીની મહિલાઓના વોટ્‍સએપ ગ્રુપમાં વહેતો કરેલો મેસેજ પણ ડીલીટ કરી દેવામાં આવ્‍યો હોવાનું જાણવા મળે છે.
આ ઘટના અંગે સોસાયટીના રહીશ શ્રી સંતોષ પાંડેને થતાં જાણ થતાં તેઓએ તાત્‍કાલિક અબોલ પ્રાણીઓની સેવા કરતી એન.જી.ઓ.ના સભ્‍યોને બોલાવ્‍યા હતા અને ઝેરી ખોરાક આરોગેલા તમામ કૂતરાઓને પશુ દવાખાને લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જ્‍યાં પાંચ જેટલા ગલુડિયાંઓના મોંઢામાંથી લોહીની ઉલ્‍ટી આવતી હતી જેના કારણે તેમના સ્‍થળ પર જ મોત થઈ ગયા હતા જ્‍યારે ત્રણને હોસ્‍પિટલમાં બેભાન હાલતમાં લઈ જવામાં આવ્‍યા હતા, જેઓની સારવાર બાદ પરત સોસાયટી ખાતે લાવવામાં આવ્‍યા હતા. હાલમાં આ ત્રણ કૂતરાઓની પણ હાલત એકદમ નાજૂક હોવાનું આ લખાય છે ત્‍યાં સુધી જાણવા છે.

Related posts

લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ સમાન છેઃ પ્રમુખસ્‍વામી મહારાજ

vartmanpravah

વાપીમાં મંગળવારે આગના બે બનાવ : જીઆઈડીસી ફોર્ટીશેડ સ્‍થિત કંપનીમાં બ્‍લાસ્‍ટ સાથે ભિષણ આગ લાગી વિરાજ કેમિકલમાં સાંજના અચાનક બ્‍લાસ્‍ટ થયા બાદ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આજે કોરોનાના નવા 21 કેસ નોંધાયા

vartmanpravah

સરીગામ બજાર માર્ગ પર ટ્રાફિકની ભરમાર અને અકસ્‍માતનું જોખમ

vartmanpravah

ગુજરાત કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડી નગરપાલિકા વોર્ડ નંબર 7માં પ્રાથમિક શાળાનું થયું લોકાર્પણ

vartmanpravah

દાનહના જિલ્લા કલેક્‍ટર સંદીપ કુમાર સિંઘની સેન્‍ટ્રલ ડેપ્‍યુટેશન માટેની ભલામણનો ગૃહ મંત્રાલયે કરેલો સ્‍વીકારઃ ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગમાં ઉપ સચિવ તરીકે નિયુક્‍ત

vartmanpravah

Leave a Comment