(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: આજરોજ કોળી પટેલ સમાજનું આસ્થાનું પ્રતિક ડાભેલ, ચલા, બલીઠા વચ્ચે આવેલ ડુંગર ઉપર હિંગળાજ માતાના મંદિર ઉપર સવારથી કલગામના સંજય પટેલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ સંખ્યામાં ભક્તજનોની વચ્ચે માઁ હિંગળાજના શાનિધ્યમાં અનુષ્ઠાન કરવામાં આવેલ. કોળી પટેલ સમાજ ડાભેલના અનેક યુવાનો દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી અને હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે એક આસ્થાનું પ્રતિક એવા સંજયભાઈમાં રહેલ માતાજીની શક્તિનું પ્રદર્શન સહુ ભક્તોની વચ્ચે કરતા સહુ ભક્તો આજે માતાજીની શક્તિનું આબેહૂબ દર્શનને શ્રદ્ધામાં વધારે કરતા જોવા મળ્યા છે. ખરેખર માઁ હિંગળાજની અસીમ કૃપા સહુ ઉપર વરસાવે એવી માતાજીને સંજયભાઈ પટેલ સાથે રહી એમના ભક્તજનો દ્વારા કરવામાં આવે છે. સાથે સાતે ડાભેલના યુવાનો દ્વારા 3 હજાર જેટલા ભક્તજનો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરતા એક આનંદ સાથેઆસ્થાનું પ્રતિક બની રહેલ હિંગળાજ માતાજી સહુ ઉપર દયા ભાવના વરસાવે એવી માતાજીને સહુ સાથે પ્રાર્થના કરવામાં આવી હતી.