Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના એન.ડી.પી.એસ.ના 32 આરોપીઓને કેફી પદાર્થના નુકશાન અંગે માર્ગદર્શન અપાયું

સરકારી કામકાજ પોલીસ ક્‍લીયરન્‍સ કે પરિવારને પડતી મુશ્‍કેલીઓ અંગે આરોપીઓને માહિતગાર કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: ઈન્‍ચાર્જ પોલીસ મહા નિર્દેશક સુરત વાબાંગ ઝમીરના માર્ગદર્શન હેઠળ એન.ડી.પી.એસ.ના 32 આરોપીઓને વલસાડ પોલીસ હેડક્‍વાટર્સતાલીમ ભવન ખાતે કેફી પદાર્થથી થતા નુકશાન અને તેથી ઉભી થતી વિવિધ સામાજીક-આર્થિક પારિવારીક સ્‍થિતિઓ અંગે સઘન માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
એન.ડી.પી.એસ. ગુનામાં સંડોવાયેલ કુલ 32 આરોપીઓનું પોલીસ ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા કાઉન્‍સેલિંગ કરવામાં આવ્‍યું હતું. ગુનામાં સામેલ થવાથી ઉભી થતી તમામ ભવિષ્‍યની પરિસ્‍થિતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. સરકારી કામકાજોમાં ઉપયોગી પોલીસ ક્‍લિયરન્‍સ મળશે નહી, પરિવારની કાળજી લઈ શકાતી નથી. આર્થિક લાચારીની સ્‍થિતિ પરિવારમાં ઉભી થતી હોય છે. નશો કર્યા પછી વધુ બળાત્‍કાર કે અન્‍ય ગુના આચરાઈ જતા હોય છે. યુવાધન બરબાદ થતું હોય છે તેથી પોતે અને પરિવારને માદક પદાર્થોથી દૂર કેમ રાખવા અંગેનું તમામ 32 આરોપીઓને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

Related posts

સેલવાસથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ ગુજરાત એસ.ટી. બસને નડેલો અકસ્‍માત

vartmanpravah

દાનહ ભાજપ યુવા મોર્ચાએ પ્રધાનમંત્રીના જાનને ખતરામાં નાંખવાની ચેષ્‍ટા કરનારી પંજાબની કોંગ્રેસ સરકારનો કરેલો વિરોધ

vartmanpravah

વલસાડ જિલ્લાના તલાટીઓની બીજે દિવસે પણ હડતાળ યથાવત રહેતા મુશ્‍કેલીઓમાં વધારો થયો

vartmanpravah

ન લોકસભા, ન વિધાનસભા, સબસે ઉપર ગ્રામસભા: ધરમપુર તાલુકાના નડગધરી જાગીરી ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે મહારૂઢિ ગ્રામસભાનું આયોજન કરાયું

vartmanpravah

મોદી સરકારના 9 વર્ષના શાસન દરમિયાનની સિદ્દીઓ લોકો સુધી પહોંચાડવા અરવલ્લીના સાંસદ દિપસિંહ રાઠોડે યોજેલી પત્રકાર પરિષદ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતના નવા અદ્યતન ભવનનું ખાતમુહૂર્ત વિધિ-વિધાનથી સંપન્ન

vartmanpravah

Leave a Comment