(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ,તા.16: વલસાડના પારડી તાલુકાના પરીયા ખાતે આવેલા નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ પ્રાયોગિક કેન્દ્ર ખાતે અખિલ ભારતીય સંકલિત ફળ સંશોધન યોજના કાર્યરત છે. આ યોજના અંતર્ગત આંબા પાક વિશે રાષ્ટ્રીય કક્ષાએ સંશોધનની કામગીરી ઉપરાંત વર્ષોથી વિકસીત, દેશી તેમજ વિદેશી કેરીની જાતોનું જતન પણ કરવામાં આવે છે. હાલમાં આ કેન્દ્ર ખાતે કુલ ૧૭૦ જેટલી કેરીની જાતો છે. આ કેરીઓની ઉપલબ્ધ વિવિધ જાતોનું ખેડૂત સમુદાય માટે તા.૧૮ અને ૧૯ મે ૨૦૨૩ ના રોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૨ થી ૫ ના સમય દરમિયાન પ્રદર્શન યોજવામાં આવશે. દરેક ખેડૂતોને આ કાર્યક્રમનો લાભ લેવા સંશીધન વૈજ્ઞાનિક (બાગાયત)ની અખબારી યાદીમાં જણાવાયું છે.