April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના એન.ડી.પી.એસ.ના 32 આરોપીઓને કેફી પદાર્થના નુકશાન અંગે માર્ગદર્શન અપાયું

સરકારી કામકાજ પોલીસ ક્‍લીયરન્‍સ કે પરિવારને પડતી મુશ્‍કેલીઓ અંગે આરોપીઓને માહિતગાર કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: ઈન્‍ચાર્જ પોલીસ મહા નિર્દેશક સુરત વાબાંગ ઝમીરના માર્ગદર્શન હેઠળ એન.ડી.પી.એસ.ના 32 આરોપીઓને વલસાડ પોલીસ હેડક્‍વાટર્સતાલીમ ભવન ખાતે કેફી પદાર્થથી થતા નુકશાન અને તેથી ઉભી થતી વિવિધ સામાજીક-આર્થિક પારિવારીક સ્‍થિતિઓ અંગે સઘન માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
એન.ડી.પી.એસ. ગુનામાં સંડોવાયેલ કુલ 32 આરોપીઓનું પોલીસ ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા કાઉન્‍સેલિંગ કરવામાં આવ્‍યું હતું. ગુનામાં સામેલ થવાથી ઉભી થતી તમામ ભવિષ્‍યની પરિસ્‍થિતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. સરકારી કામકાજોમાં ઉપયોગી પોલીસ ક્‍લિયરન્‍સ મળશે નહી, પરિવારની કાળજી લઈ શકાતી નથી. આર્થિક લાચારીની સ્‍થિતિ પરિવારમાં ઉભી થતી હોય છે. નશો કર્યા પછી વધુ બળાત્‍કાર કે અન્‍ય ગુના આચરાઈ જતા હોય છે. યુવાધન બરબાદ થતું હોય છે તેથી પોતે અને પરિવારને માદક પદાર્થોથી દૂર કેમ રાખવા અંગેનું તમામ 32 આરોપીઓને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

Related posts

વરસાદના વિરામ બાદ વલસાડ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્‍ય તંત્રની 581 ટીમો કાર્યરત

vartmanpravah

રાજ્‍ય સરકાર દ્વારા જંત્રીના ભાવોના વધારો કરાયા બાદ ચીખલી તાલુકામાં નવા ભાવ મુજબ 31 અને જૂના 10 મળી છેલ્લા 4 દિવસમાં 41 જેટલા દસ્‍તાવેજની નોંધણી સાથે રૂા.5.35 લાખની આવક

vartmanpravah

દાનહના ખડોલીમાં ઓઈલ બનાવતી ઓટોકેર લુબ્રિકન્‍ટ કંપનીમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

સેલવાસ કોર્ટ નજીક નવનિર્મિત બ્રિજ પર ડમ્‍પર પલ્‍ટી ગયું

vartmanpravah

સંજાણ ખાતે જય અંબે નવયુવક અને મહિલા મંડળ દ્વારા રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલુ આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લાના 9621 દિવ્યાંગ મતદારો માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાઈ, જિલ્લામાં 5 મતદાન મથકો દિવ્યાંગ સંચાલિત હશે

vartmanpravah

Leave a Comment