June 13, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

દાનહઃ સાયલી ખાતેની ઇન્‍ટરનેશનલ પેકેજિંગ કંપનીના સુપરવાઇઝરનું હૃદય રોગના હૂમલાથી મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલીના સાયલી ગામે આવેલ ઇન્‍ટરનેશનલ પેકેજિંગ કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા કર્મચારીનું કંપનીમાં જ હૃદય રોગના હૂમલામાં મોત થયું હતું.

પ્રાપ્ત વિગત અનુસાર વિનોદકુમાર યાદવ (ઉ.વ.50) રહેવાસી હેરીજન રેસીડન્‍સી, બાલાજી મંદિર રોડ, આમલી- સેલવાસ. જેઓ છેલ્લા દસ વર્ષથી સાયલી ખાતેની ઇન્‍ટરનેશનલ પેકેજિંગ કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. જેઓ ગત રોજ રાત્રિ દરમિયાન ફરજ પર હતા, તે સમયે મળસ્‍કે ત્રણ વાગ્‍યાના અરસામાં અચાનક છાતીમાં દુઃખાવો થતાં તેઓ જગ્‍યા પર જ ઢળી પડયા હતા. જેને જોઈ કંપનીમાં કામ કરતા સાથી કર્મચારીઓએ તાત્‍કાલિક કંપની સંચાલકને જાણ કરી હતી.

કંપની સંચાલકો દ્વારા તાત્‍કાલિક એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી સારવાર માટે સેલવાસ ખાતેની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા. પરંતુ અહીં ફરજ પરના તબીબોએ વિનોદકુમાર યાદવને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગેની નોંધ લઈ આગળની તપાસ સાયલી પોલીસ કરી રહી છે.

Related posts

બુધવારે મોટી દમણના પટલારાના ભીખી માતાજી અને હરી હરેશ્વર મહાદેવ મંદિરનો પાંચમો પાટોત્‍સવ યોજાશે

vartmanpravah

ઉત્તર ભારતીય લોકોનો શ્રાવણ મહિનો શરૂઃ દલવાડા સ્‍થિત વાસુકીનાથ મહાદેવ મંદિરમાં 45 દિવસીય મહાભિષેકનું આયોજન

vartmanpravah

દેગામ સ્‍થિત સોલાર કંપનીમાંથી ચોરાયેલ સોલાર પ્‍લેટનો રૂા.1.22 કરોડનો વધુ જથ્‍થો પોલીસે અમદાવાદથી કબ્‍જે કર્યો

vartmanpravah

સેલવાસ શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ દ્વારા પિતૃ કૃપાર્થે આયોજીત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનો પ્રારંભ

vartmanpravah

પારડીના કીકરલા ગામથી છોટા હાથી ટેમ્‍પો ચોરાયો

vartmanpravah

પ્રતિમા બનતા મહિના લાગે મંદિર બનતા વર્ષો લાગે પણ ભક્‍ત બનતા જિંદગી’ય ઓછી પડે : આચાર્ય યશોવર્મસુરીજી

vartmanpravah

Leave a Comment