March 4, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

દાનહઃ સાયલી ખાતેની ઇન્‍ટરનેશનલ પેકેજિંગ કંપનીના સુપરવાઇઝરનું હૃદય રોગના હૂમલાથી મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલીના સાયલી ગામે આવેલ ઇન્‍ટરનેશનલ પેકેજિંગ કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા કર્મચારીનું કંપનીમાં જ હૃદય રોગના હૂમલામાં મોત થયું હતું.

પ્રાપ્ત વિગત અનુસાર વિનોદકુમાર યાદવ (ઉ.વ.50) રહેવાસી હેરીજન રેસીડન્‍સી, બાલાજી મંદિર રોડ, આમલી- સેલવાસ. જેઓ છેલ્લા દસ વર્ષથી સાયલી ખાતેની ઇન્‍ટરનેશનલ પેકેજિંગ કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. જેઓ ગત રોજ રાત્રિ દરમિયાન ફરજ પર હતા, તે સમયે મળસ્‍કે ત્રણ વાગ્‍યાના અરસામાં અચાનક છાતીમાં દુઃખાવો થતાં તેઓ જગ્‍યા પર જ ઢળી પડયા હતા. જેને જોઈ કંપનીમાં કામ કરતા સાથી કર્મચારીઓએ તાત્‍કાલિક કંપની સંચાલકને જાણ કરી હતી.

કંપની સંચાલકો દ્વારા તાત્‍કાલિક એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી સારવાર માટે સેલવાસ ખાતેની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા. પરંતુ અહીં ફરજ પરના તબીબોએ વિનોદકુમાર યાદવને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગેની નોંધ લઈ આગળની તપાસ સાયલી પોલીસ કરી રહી છે.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા કેટલાક ખેડૂતોને વર્મી કમ્‍પોસ્‍ટ બેડનું કરાયેલું વિતરણ

vartmanpravah

વલસાડ જિલ્લામાં હાથથી તેમજ માથેથી મેલું ઉપાડવાનું કામ કરતા સફાઈ કામદારોનો સર્વે

vartmanpravah

દમણ કોસ્‍ટ ગાર્ડના બદલી થયેલા ડી.આઈ.જી. અતુલ દાંડેકરે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત : સ્‍મૃતિ ભેટ આપીપ્રશાસકશ્રીનું કરેલું અભિવાદન

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે હેલ્‍પિંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટને કાર્ડિયાક/ઇન્‍ટેન્‍સીવ કેર એમ્‍બ્‍યુલન્‍સ અર્પણ કરાઇ

vartmanpravah

સરીગામની વેન પેટ્રોકેમ એન્‍ડ ફાર્મા કંપની પ્રચંડ ધડાકા સાથે ધરાશાયી

vartmanpravah

વલસાડના તિથલમાં યુનિયન બેંકના સંકુલમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment