October 13, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

દાનહઃ સાયલી ખાતેની ઇન્‍ટરનેશનલ પેકેજિંગ કંપનીના સુપરવાઇઝરનું હૃદય રોગના હૂમલાથી મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલીના સાયલી ગામે આવેલ ઇન્‍ટરનેશનલ પેકેજિંગ કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા કર્મચારીનું કંપનીમાં જ હૃદય રોગના હૂમલામાં મોત થયું હતું.

પ્રાપ્ત વિગત અનુસાર વિનોદકુમાર યાદવ (ઉ.વ.50) રહેવાસી હેરીજન રેસીડન્‍સી, બાલાજી મંદિર રોડ, આમલી- સેલવાસ. જેઓ છેલ્લા દસ વર્ષથી સાયલી ખાતેની ઇન્‍ટરનેશનલ પેકેજિંગ કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. જેઓ ગત રોજ રાત્રિ દરમિયાન ફરજ પર હતા, તે સમયે મળસ્‍કે ત્રણ વાગ્‍યાના અરસામાં અચાનક છાતીમાં દુઃખાવો થતાં તેઓ જગ્‍યા પર જ ઢળી પડયા હતા. જેને જોઈ કંપનીમાં કામ કરતા સાથી કર્મચારીઓએ તાત્‍કાલિક કંપની સંચાલકને જાણ કરી હતી.

કંપની સંચાલકો દ્વારા તાત્‍કાલિક એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી સારવાર માટે સેલવાસ ખાતેની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા. પરંતુ અહીં ફરજ પરના તબીબોએ વિનોદકુમાર યાદવને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગેની નોંધ લઈ આગળની તપાસ સાયલી પોલીસ કરી રહી છે.

Related posts

આઇપીએસ અધિકારી મનોજ કુમાર લાલનીપુડુચેરીના ડીજીપી તરીકે નિમણૂક

vartmanpravah

નવસારી જિલ્લામાં મુખ્‍યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્‍કોલરશીપ યોજનામાં ધો.9માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ શિષ્‍યવૃત્તિના લાભથી વંચિત

vartmanpravah

વાપીના ડુંગરી ફળીયા એકતાનગર વિસ્‍તારમાં ગુજરાત મોડેલ અને સ્‍માર્ટ સીટી વિકાસ ક્‍યારે પહોંચશે : સ્‍થાનિકોની

vartmanpravah

વાપી કરવડ ગામે ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : ભંગાર ગોડાઉનોમાં આગ લાગવાનો સિલસિલો યથાવત

vartmanpravah

વાપીની બાયર કંપની ખાતે એક્રિલોનાઇટ્રાયલ ઝેરી ગેસનું ગળતર થતાં જિલ્લામાં જિલ્‍લા કલેકટરશ્રી દ્વારા ઓફસાઇટ ઇમરજન્‍સી જાહેર કરાઇઃ ડિસ્‍ટ્રીક ઓફસાઇટ ઇમરજન્‍સી પ્‍લાન અંતર્ગત મોકડ્રીલ યોજાઇ

vartmanpravah

વલસાડમાં ભાજપ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેરીકામાં અનામત નિવેદનોના વિરોધમાં ધરણા-મૌન રેલી યોજાઈ

vartmanpravah

Leave a Comment