July 24, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ખાતે મહંત સ્‍વામીના સાનિધ્‍યમાં 35000 થી વધુ ભક્‍તોની ધર્મસભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27: બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર ધરમપુરના ઉપક્રમે સ્‍વામી નારાયણસંપ્રદાયના વડા મહંત સ્‍વામી મહારાજના સાનિધ્‍યમાં ધર્મસભા યોજાઈ હતી જેમાં 35000 થી વધુ હરિભક્‍તો જોડાયા હતા.
આજે મહંત સ્‍વામી મહારાજે પીએસવીટીસી એટલે પ્રમુખસ્‍વામી વોકેશનલ ટ્રેનિંગ ઇન્‍સ્‍ટિટયૂટ ધરમપુરની મુલાકાત લીધી હતી. ત્‍યાં આઈ.ટી.આઈ ની અંદર અભ્‍યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓને દર્શન આશીર્વાદનો લાભ આપી સ્‍વામીશ્રી સ્‍વાગત સભાની અંદર પધાર્યા હતા. અહીં પૂજ્‍ય સ્‍વામીશ્રીએ દરેક હરિભક્‍તોને રૂડા આશીર્વાદ આપી સૌ વિદ્યાર્થી અને પીએસવીટીસી ના સ્‍ટાફને બિરદાવ્‍યા હતા ત્‍યારબાદ મહંત સ્‍વામી મહારાજ સ્‍ટેજ પર પધારી સૌને દર્શન દાન આપ્‍યા હતા. આ પ્રસંગે તિથલ મંદિર રજત જયંતિ મહોત્‍સવ નો ઉદ્ધોષ મહંત સ્‍વામી મહારાજના કરકમળો દ્વારા રંગબેરંગી ફુગ્‍ગાઓને આકાશમાં છોડી કરવામાં આવ્‍યો હતો.
મહંત સ્‍વામીના આગમન સમયે ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત-સામૈયું યોજવામાં આવ્‍યું હતું. એમના સ્‍વાગતમાં સુંદર કલાત્‍મક પ્રવેશદ્વાર સુશોભિત કરવામાં આવ્‍યો હતું. જેમાં આદિવાસી વષાોમાં શોભતા યુવકોએ પરંપરાગત રીતે ડાંગી નૃત્‍ય, વિવિધ કરતબો કરી તેમજ નાસિક ઢોલ વગાડી સ્‍વામીશ્રીનું સ્‍વાગત કર્યું હતું. પરિસરમાં પ્રમુખસ્‍વામી મહારાજના વિચરણની સ્‍મૃતિ કરતા આદિવાસી ગામડાનો માહોલ ઉભો કરવામાં આવ્‍યો હતો.

પ્રસાદીનું ગાડું મુકાયું

1984માં ગુરુહરી પ્રમુખસ્‍વામી મહારાજે ધરમપુરને ધર્મલાભ આપી આંબાતલાટ ગામે પહોંચ્‍યા તે સમયે ધોડિયા અને વારલી જાતિના આ ગામના ભક્‍તોએ સ્‍વામીશ્રીને બળદગાડામાં બેસાડીને ભક્‍તિભાવ પૂર્વક એક નાનામંડપ સુધી લઈ આવ્‍યા હતા એ પ્રસાદીના ગાડાનું પૈડું અહીં દર્શન માટે રાખવામાં આવ્‍યું હતું.
આ સ્‍વાગત સમારોહમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી 50થી અધિક સંતો, 2000 જેટલા કાર્યકરો સ્‍વયંસેવકો અને 35000થી વધુ ભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહના સીલી ખાતે 0.92 હેક્‍ટરની સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણની સાથે બાંધકામ પણ કરાતા પ્રશાસન દ્વારા હટાવાયું

vartmanpravah

ચીખલીઃ વંકાલ ગંજીફા ફળિયાના ખેડૂતોએ બુલેટ ટ્રેનના સર્વિસ રોડને પગલે ચોમાસામાં કાવેરી નદીનાં પૂરના પાણીથી તારાજી સર્જાવાની વ્‍યક્‍ત કરેલી દહેશતઃ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પાણીના નિકાલ માટે અલગ અલગ પાંચ જગ્‍યાએ મોટા કદના આરસીસી પાઈપ નાખવાની કરેલી માંગ

vartmanpravah

વાઘછીપામાં થયેલ લૂંટ અને ખૂનની કોશિશના આરોપીઓ ઝબ્‍બે

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.માં રાષ્‍ટ્રીય ટીકાકરણ દિવસની ઉત્‍સાહપૂર્વક થયેલી ઉજવણી

vartmanpravah

સાયકલ ફ્રેન્‍ડલી નેબરહુડના પ્રમુખે બિહારમાં બાળકો અને મહિલાઓ માટે સાયકલ તાલીમ શિબિરનું કરેલું આયોજન

vartmanpravah

વલસાડના પાલણ, અતુલ, રોણવેલ, કુંડી અને ધરમપુરના આસુરા પેટા આરોગ્ય કેન્દ્રને NQAS પ્રમાણપત્ર એનાયત

vartmanpravah

Leave a Comment