Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ખાતે મહંત સ્‍વામીના સાનિધ્‍યમાં 35000 થી વધુ ભક્‍તોની ધર્મસભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27: બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર ધરમપુરના ઉપક્રમે સ્‍વામી નારાયણસંપ્રદાયના વડા મહંત સ્‍વામી મહારાજના સાનિધ્‍યમાં ધર્મસભા યોજાઈ હતી જેમાં 35000 થી વધુ હરિભક્‍તો જોડાયા હતા.
આજે મહંત સ્‍વામી મહારાજે પીએસવીટીસી એટલે પ્રમુખસ્‍વામી વોકેશનલ ટ્રેનિંગ ઇન્‍સ્‍ટિટયૂટ ધરમપુરની મુલાકાત લીધી હતી. ત્‍યાં આઈ.ટી.આઈ ની અંદર અભ્‍યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓને દર્શન આશીર્વાદનો લાભ આપી સ્‍વામીશ્રી સ્‍વાગત સભાની અંદર પધાર્યા હતા. અહીં પૂજ્‍ય સ્‍વામીશ્રીએ દરેક હરિભક્‍તોને રૂડા આશીર્વાદ આપી સૌ વિદ્યાર્થી અને પીએસવીટીસી ના સ્‍ટાફને બિરદાવ્‍યા હતા ત્‍યારબાદ મહંત સ્‍વામી મહારાજ સ્‍ટેજ પર પધારી સૌને દર્શન દાન આપ્‍યા હતા. આ પ્રસંગે તિથલ મંદિર રજત જયંતિ મહોત્‍સવ નો ઉદ્ધોષ મહંત સ્‍વામી મહારાજના કરકમળો દ્વારા રંગબેરંગી ફુગ્‍ગાઓને આકાશમાં છોડી કરવામાં આવ્‍યો હતો.
મહંત સ્‍વામીના આગમન સમયે ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત-સામૈયું યોજવામાં આવ્‍યું હતું. એમના સ્‍વાગતમાં સુંદર કલાત્‍મક પ્રવેશદ્વાર સુશોભિત કરવામાં આવ્‍યો હતું. જેમાં આદિવાસી વષાોમાં શોભતા યુવકોએ પરંપરાગત રીતે ડાંગી નૃત્‍ય, વિવિધ કરતબો કરી તેમજ નાસિક ઢોલ વગાડી સ્‍વામીશ્રીનું સ્‍વાગત કર્યું હતું. પરિસરમાં પ્રમુખસ્‍વામી મહારાજના વિચરણની સ્‍મૃતિ કરતા આદિવાસી ગામડાનો માહોલ ઉભો કરવામાં આવ્‍યો હતો.

પ્રસાદીનું ગાડું મુકાયું

1984માં ગુરુહરી પ્રમુખસ્‍વામી મહારાજે ધરમપુરને ધર્મલાભ આપી આંબાતલાટ ગામે પહોંચ્‍યા તે સમયે ધોડિયા અને વારલી જાતિના આ ગામના ભક્‍તોએ સ્‍વામીશ્રીને બળદગાડામાં બેસાડીને ભક્‍તિભાવ પૂર્વક એક નાનામંડપ સુધી લઈ આવ્‍યા હતા એ પ્રસાદીના ગાડાનું પૈડું અહીં દર્શન માટે રાખવામાં આવ્‍યું હતું.
આ સ્‍વાગત સમારોહમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી 50થી અધિક સંતો, 2000 જેટલા કાર્યકરો સ્‍વયંસેવકો અને 35000થી વધુ ભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ-વલસાડની પ્રથમ યુનિટી કપ ક્રિકેટ ટૂર્ના.માં કેદાર ઈલેવન વિજેતા

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી હોવાનો વટ બતાવી વાપી બગવાડા સ્‍થિત શુભમ ગ્રીન સીટીના બિલ્‍ડરે સોસાયટીના રહેવાસીઓ સાથે કરેલી છેતરપિંડીઃ મામલતદારને પણ ગુમરાહ કર્યા

vartmanpravah

વલસાડ જિલ્લામાં સ્‍માર્ટ મીટર મુદ્દે આંશિક રાહત

vartmanpravah

દાનહઃ ખડોલીની સિદ્ધિ વિનાયક કંપનીમાં થયેલ બ્‍લાસ્‍ટમાં ત્રણ વ્‍યક્‍તિ ઈજાગ્રસ્‍ત

vartmanpravah

કમોસમી વરસાદને પગલે વકરેલી બિમારી : ચીખલી તાલુકાના 79 આરોગ્‍ય સેન્‍ટરોમાં 3 દિવસમાં 457 દર્દીઓ નોંધાયા

vartmanpravah

એસ.સી., એસ.ટી. અનામતના સુપ્રિમના નિર્ણયના વિરોધમાં અપાયેલ ભારત ભંધના એલાનમાં ધરમપુર બંધ રહ્યું

vartmanpravah

Leave a Comment