(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27: બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ધરમપુરના ઉપક્રમે સ્વામી નારાયણસંપ્રદાયના વડા મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં ધર્મસભા યોજાઈ હતી જેમાં 35000 થી વધુ હરિભક્તો જોડાયા હતા.
આજે મહંત સ્વામી મહારાજે પીએસવીટીસી એટલે પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ ધરમપુરની મુલાકાત લીધી હતી. ત્યાં આઈ.ટી.આઈ ની અંદર અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓને દર્શન આશીર્વાદનો લાભ આપી સ્વામીશ્રી સ્વાગત સભાની અંદર પધાર્યા હતા. અહીં પૂજ્ય સ્વામીશ્રીએ દરેક હરિભક્તોને રૂડા આશીર્વાદ આપી સૌ વિદ્યાર્થી અને પીએસવીટીસી ના સ્ટાફને બિરદાવ્યા હતા ત્યારબાદ મહંત સ્વામી મહારાજ સ્ટેજ પર પધારી સૌને દર્શન દાન આપ્યા હતા. આ પ્રસંગે તિથલ મંદિર રજત જયંતિ મહોત્સવ નો ઉદ્ધોષ મહંત સ્વામી મહારાજના કરકમળો દ્વારા રંગબેરંગી ફુગ્ગાઓને આકાશમાં છોડી કરવામાં આવ્યો હતો.
મહંત સ્વામીના આગમન સમયે ભવ્યાતિભવ્ય સ્વાગત-સામૈયું યોજવામાં આવ્યું હતું. એમના સ્વાગતમાં સુંદર કલાત્મક પ્રવેશદ્વાર સુશોભિત કરવામાં આવ્યો હતું. જેમાં આદિવાસી વષાોમાં શોભતા યુવકોએ પરંપરાગત રીતે ડાંગી નૃત્ય, વિવિધ કરતબો કરી તેમજ નાસિક ઢોલ વગાડી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું હતું. પરિસરમાં પ્રમુખસ્વામી મહારાજના વિચરણની સ્મૃતિ કરતા આદિવાસી ગામડાનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.