Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદીવદેશસેલવાસ

સેલવાસ સબજેલમાં કેદીઓના લાભાર્થે ભજન-કિર્તન તથા યોગ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : દાદરા નગર હવેલીના સેલવાસ ખાતેની સબજેલમાં બંદીવાન કેદીઓના માનસ ઉપર હકારાત્‍મક પ્રભાવ પડે તે હેતુથી બે દિવસીય ધાર્મિક તેમજ સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ઈસ્‍કોન દ્વારા ભજન-કિર્તનનો કાર્યક્રમયોજવામાં આવ્‍યો હતો. જેના માધ્‍યમથી કેદીઓની નકારાત્‍મક ઊર્જાને સકારાત્‍મક ઊર્જામાં પરિવર્તન કરવામાં સહાયતા મળે અને મનની શાંતિનો અનુભવ થઈ શકે.
આ અવસરે 27 ડિસેમ્‍બરના રોજ ખાસ ઉપસ્‍થિત રહેલા મનોચિકિત્‍સક ડૉ. પર્વતરાજ દ્વારા માદક પદાર્થની લત છોડાવવાના સંદર્ભમાં પોતાનું વક્‍તવ્‍ય રજૂ કર્યું હતું. જ્‍યારે 28મી ડિસેમ્‍બરે શ્રીમતી અસ્‍લેશા હાટેકરના સહયોગથી યોગ શિબિરનું આયોજન પણ કરવામાં આવ્‍યું હતું. કેદીઓમાં એક નવી ઊર્જાનો સંચાર થઈ શકે એ માટે યોગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સેલવાસની જેલમાં બંધ કેદીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાના માનસને બદલવા માટે હકારાત્‍મકતા સાથે સહમતિ દર્શાવી હતી.

Related posts

ડેંગ્‍યુ નિવારણ અભિયાનમાં જનજાગૃતિ કરી રહેલા દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ: દાનહ સ્‍કાઉટ ગાઈડની મુખ્‍ય ભૂમિકા માટે આપવામાં આવેલ તાલીમ

vartmanpravah

વાપીમાં રૂા.4.પ0 કરોડના ખર્ચે સાકાર થયેલાઆર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસના વાણિજ્‍ય મહાવિદ્યાલય ભવનનું મુખ્‍યમંત્રીના હસ્‍તે લોકાર્પણ કરાયું

vartmanpravah

ગૌ કથાના અવસરે સેલવાસના આમલી હનુમાનજી મંદિરથી નિકળેલી ભવ્‍ય કળશયાત્રા

vartmanpravah

વલસાડ ધમડાચી ગામે પ્રખ્‍યાત ગાયક મુકેશ પટેલને ચાલુ કાર્યક્રમમાં નશામાં ધુત યુવાનની ગોળી મારવાની ધમકી

vartmanpravah

સેલવાસ સિવિલમાં સારવાર દરમ્‍યાન યુવાનનું મોત

vartmanpravah

વિધાનસભા ચૂંટણીઃ 2022 લોકશાહીના મહાપર્વમાં વલસાડ જિલ્લાની 5 બેઠક પર 35 ઉમેદવારો ચૂંટણી જંગ લડશે: સૌથી વધુ 9 ઉમેદવાર અને સૌથી વધુ 3 અપક્ષ ઉમેદવારો પણ ધરમપુર બેઠક પર

vartmanpravah

Leave a Comment