કથામાં ઉપસ્થિત મહાનુભાવોનું પ્રસિદ્ધ કથાકાર પ.પૂ. ભરતભાઈ વ્યાસ દ્વારા કરાયેલું અભિવાદન અને આપવામાં આવેલા આશીર્વાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.21: મોટી દમણના મગરવાડા ખાતે ભીમ તળાવની તળેટી ઉપર આવેલ દૂધી માતાના મંદિરના પટાંગણમાં આયોજીત સુપ્રસિદ્ધ કથાકાર શ્રી ભરતભાઈ વ્યાસની શિવ કથાનો લાભ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી મૈત્રી પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી સિમ્પલબેનપટેલ, ઘેલવાડ ભાજપ મંડળના પ્રમુખ શ્રી અમ્રતભાઈ પટેલ તથા કડૈયાના શ્રી જતિનભાઈ પટેલે લીધો હતો.
આ પ્રસંગે આયોજકો દ્વારા પ્રસિદ્ધ કથાકાર શ્રી ભરતભાઈ વ્યાસ દ્વારા મહાનુભાવોને સન્માનિત પણ કરાયા હતા. કથાના શ્રવણથી ઉપસ્થિત મહાનુભાવોએ પોતાને ભાગ્યશાળી ગણાવ્યા હતા.