Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદીવદેશસેલવાસ

સેલવાસ સબજેલમાં કેદીઓના લાભાર્થે ભજન-કિર્તન તથા યોગ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : દાદરા નગર હવેલીના સેલવાસ ખાતેની સબજેલમાં બંદીવાન કેદીઓના માનસ ઉપર હકારાત્‍મક પ્રભાવ પડે તે હેતુથી બે દિવસીય ધાર્મિક તેમજ સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ઈસ્‍કોન દ્વારા ભજન-કિર્તનનો કાર્યક્રમયોજવામાં આવ્‍યો હતો. જેના માધ્‍યમથી કેદીઓની નકારાત્‍મક ઊર્જાને સકારાત્‍મક ઊર્જામાં પરિવર્તન કરવામાં સહાયતા મળે અને મનની શાંતિનો અનુભવ થઈ શકે.
આ અવસરે 27 ડિસેમ્‍બરના રોજ ખાસ ઉપસ્‍થિત રહેલા મનોચિકિત્‍સક ડૉ. પર્વતરાજ દ્વારા માદક પદાર્થની લત છોડાવવાના સંદર્ભમાં પોતાનું વક્‍તવ્‍ય રજૂ કર્યું હતું. જ્‍યારે 28મી ડિસેમ્‍બરે શ્રીમતી અસ્‍લેશા હાટેકરના સહયોગથી યોગ શિબિરનું આયોજન પણ કરવામાં આવ્‍યું હતું. કેદીઓમાં એક નવી ઊર્જાનો સંચાર થઈ શકે એ માટે યોગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સેલવાસની જેલમાં બંધ કેદીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાના માનસને બદલવા માટે હકારાત્‍મકતા સાથે સહમતિ દર્શાવી હતી.

Related posts

વલસાડ કાંઠાના ચાર ગામોમાં પૂનમની ભરતીએ તબાહી સર્જી : ઘરો બે થી ત્રણ ફૂટ પાણીમાં તરતા થયા

vartmanpravah

પવિત્ર શ્રાવણ માસનાં પહેલા સોમવારે શિવાલયો ભક્‍તોથી ઉભરાયા: ચીખલી-બીલીમોરાના શિવમંદિરો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્‍યા

vartmanpravah

વાપી કબ્રસ્‍તાન રોડ રાણાની ચાલમાંથી 5,330 કી.ગ્રા. ગાંજાના જથ્‍થા સાથે આરોપીને એસ.ઓ.જી.એ ઝડપ્‍યો

vartmanpravah

વાપી ટુકવાડા હાઈવે ઉપર રોડ મરામતની કામગીરી અંતે શરૂ થઈ : વાપીના સર્વિસ રોડ પણ મરામત માગે છે

vartmanpravah

સરીગામ જીઆઈડીસી ખાતે ૮મી જૂને ઔદ્યોગિક દુર્ઘટનાની મોકડ્રીલ યોજાશે

vartmanpravah

વલસાડમાં અટાર ખાતે સ્‍પેસ એપ્‍લિકેશન સેન્‍ટર અમદાવાદ દ્વારા સ્‍પેસ એક્‍ઝિબિશનનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment