February 5, 2025
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદમણદીવસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ માટે પ્રફુલભાઈ પટેલનું આગમન એક દૈવી અવતારથી પણ ઓછું નથી

  • કોઈપણ પ્રદેશ કે રાજ્‍યના વહીવટકર્તા કેવા હોવા જોઈએ…? તેનું સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પુરૂં પાડેલું ઉદાહરણ

  • દાનહ અને દમણ-દીવમાં પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના કાર્યકાળમાં થયેલ પરિવર્તન અને બદલાવની હકારાત્‍મક અસર પ્રદેશમાં ખુબ જ લાંબો સમય સુધી રહેશે

29મી ઓગસ્‍ટ, 2016થી સાત વર્ષ ક્‍યારે પસાર થઈ ગયા તેની ખબર જ નહીં પડી. સાત વર્ષમાં આપણું આંગણું, ફળિયું, ગામ અને જિલ્લાની સાથે સાથે પ્રદેશ ક્‍યારે બદલાઈ ચુક્‍યો તેની ભનક જ નહીં લાગી. અરે..! દમણ અને દીવ તથા દાદરા નગર હવેલી બે કેન્‍દ્ર શાસિત પ્રદેશો આંખના પલકારામાં ક્‍યારે અને કેવી રીતે એક થઈ ગયા તેનું ભાન જ નહીં રહ્યું અને હવે જોતજોતામાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો ડંકો સમગ્ર રાષ્‍ટ્રમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ વાગી રહ્યો છે તેનો અંદાજ જ નહીં રહ્યો.
છેલ્લા સાતવર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં થયેલું પરિવર્તન સહજ અને સરળ રીતે નથી થયું. પરિવર્તન અને બદલાવ પાછળ એક અને માત્ર એક પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્‍ટિ અને આયોજન શક્‍તિની સાથે તેમની રાત-દિવસની મહેનત રહી છે. તેમણે સંઘપ્રદેશના લોકોને જ નહીં, પરંતુ સમગ્ર રાષ્‍ટ્રને પણ બતાવ્‍યું છે કે, કોઈપણ પ્રદેશ કે રાજ્‍યના વહીવટકર્તા કેવા હોવા જોઈએ…? તેમણે પોતાના સ્‍નેહ, સમર્પણ અને સખ્‍તાઈના ત્રિવેણી સંગમથી દાદરા નગર હવેલી અને દમણ-દીવની ધડમૂળથી કાયાપલટ કરી છે. જે બોલ્‍યા છે તે કરી બતાવ્‍યું છે અને વહીવટમાં જ્‍યાં જરૂર પડી ત્‍યાં વજ્રથી પણ કઠોર અને મલાઈથી પણ મુલાયમ રહેવાની ભૂમિકા ભજવી છે.
હવે સાત વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવામાં હવે ફક્‍ત બે દિવસ બાકી રહ્યા છે. 29મી ઓગસ્‍ટથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આઠમા વર્ષના કાર્યકાળનો મંગળ પ્રારંભ પણ થશે. 28મી ઓગસ્‍ટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પોતાના જન્‍મ દિવસની પણ ઉજવણી કરશે. દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે શ્રી પ્રફુલભાઈ પટેલનું આગમન એક દૈવી અવતારથી પણ ઓછું નથી. કારણ કે, તેમના કાર્યકાળમાં જે પરિવર્તન અને બદલાવ થયો છે તેની હકારાત્‍મક અસર દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશમાં ખુબ જ લાંબો સમય સુધી રહેશે એમાંકોઈ સંદેહ નથી.

Related posts

વાપી કૌશિક હરીયા ટેકનિકલ સેંટરમાં યોજાયેલો એન.સી.વી.ટી.ના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં યોજાયેલો ટીબી જાગરૂકતા કાર્યક્રમ પેટાઃ અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટીદમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં આપેલી જાણકારી પેટાઃ સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના ઘર અને આજુબાજુ ગંદકી નહી કરવા અને ખુલ્લામાં નહીં થુંકી ટીબીના રોગને ફેલાતો અટકાવવા સહયોગ આપવા કરેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 દમણવાડા ગ્રામ પંચાયતમાં આજે વિશ્વ ટીબી દિવસના ઉપલક્ષમાં આરોગ્‍ય વિભાગની ટીમ સાથે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવી, અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકી, કોમ્‍યુનીટી હેલ્‍થ ઓફિસર શ્રીમતી કાજલબેન પટેલ તથા આરોગ્‍યકર્મીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબી દિવસનો હેતુ સમજાવ્‍યો હતો. તેમણે ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં વિસ્‍તૃત જાણકારી આપી હતી. દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈપટેલના લોક કલ્‍યાણકારી અભિગમના કારણે આપણા પ્રદેશમાંથી ટીબીનો રોગચાળો નાબુદીની કગાર ઉપર ઉભો છે. તેમણે યાદ અપાવ્‍યું હતું કે, ગયા વર્ષે ટીબીના રોગને નિયંત્રણમાં રાખવા બદલ ભારત સરકાર દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિવિધ શ્રેણીમાં ત્રણ એવોર્ડ મળ્‍યા હતા. શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ટીબીનો રોગ ગરીબ-શ્રીમંતનો ભેદ નથી રાખતો. તેમણે સ્‍વચ્‍છતા જાળવવા અને ખુલ્લામાં નહીં થૂંકવા પણ ગ્રામજનોને સમજ આપી હતી. આ પ્રસંગે ટીબી નાબુદી માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અને સમાપન સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ કર્યુ હતું.

vartmanpravah

વાપી છરવાડા નેપાળી પરણિતાનો હત્‍યારો ઝડપાયો: હત્‍યા સમયે બ્‍લેડના આધારે પોલીસે ભેદ ઉકેલ્‍યો

vartmanpravah

‘‘સુશાસન સપ્તાહ” અંતર્ગત દમણના આંટિયાવાડ ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ શિબિરયોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા ટેટની પરીક્ષા પાસ કરેલ શિક્ષિત બેરોજગાર બનેલા વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

Leave a Comment