September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના મોરખલ ગામ ખાતેનો ઇન્‍ડિયન ઓઈલ પેટ્રોલ પમ્‍પ પ્રશાસને સીલ કર્યો

પેટ્રોલ પમ્‍પને કયા કારણોસર સીલ મારવામાં આવી તેનો ફોડ પ્રશાસને પાડયો નથી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલીના મોરખલ ગામ ખાતે આવેલ ઇન્‍ડીયન ઓઇલ કંપની દ્વારા સંચાલિત ‘‘મનીષા પેટ્રોલ પમ્‍પ” જિલ્લા પ્રશાસને આજે સીલ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ દાનહ જિલ્લા કલેક્‍ટરના આદેશથી વહીવટી તંત્રના ખાદ્ય અને નાગરિક આપૂર્તિ અને ઉપભોક્‍તા સંરક્ષણ વિભાગે આજે મોરખલ સ્‍થિત ઇન્‍ડિયન ઓઇલ કંપની દ્વારા સંચાલિક ‘‘મનીષા પેટ્રોલ પમ્‍પ” સીલ કરી દીધો હતો. આ પેટ્રોલ પમ્‍પને કયા કારણોસર સીલ કરવામાં આવ્‍યો છે એની પ્રશાસન દ્વારા કોઈપણ પ્રકારની સ્‍પષ્ટ જાણકારી આપવામાં આવી નથી.
કેટલાક સ્‍થાનિક લોકોના મંતવ્‍ય પ્રમાણે આ પેટ્રોલ પમ્‍પ ઉપરથી પેટ્રોલ અને ડીઝલનો જથ્‍થો ગુજરાતમાં લઈ જવાતો હતો. જેની ફરિયાદ દાનહ જિલ્લા પ્રશાસનને મળી હતી અને તેથી કદાચ પેટ્રોલ પમ્‍પને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય શકે.

Related posts

સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતની ઉપસ્‍થિતિમાં ખાનવેલ ગ્રામ પંચાયતની ઉમરવરણી, ખુટલી, ખાનવેલ, ચૌડા અને તલાવલીમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડમાં સદગુરુ શ્રી સતપાલ મહારાજની પાવન જન્‍મજ્‍યંતીની ઉજવણી

vartmanpravah

દાનહમાં 05 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

વલસાડ જિલ્લા-તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો

vartmanpravah

રવિવારે દાનહના કરચોંડ ઘાટ ઉપર ખાનગી બસની બ્રેક ફેઈલ થતાં અકસ્‍માતમાં ક્‍લીનરનું ઘટના સ્‍થળે જ થયેલું મોત

vartmanpravah

વટારમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયે શિવભક્‍તો ઉમટયા

vartmanpravah

Leave a Comment