(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.07: દાદરા નગર હવેલીના ખાનવેલ ખાતેના મીની કલેક્ટરાલય કચેરીના દિશાનિર્દેશ મુજબ ‘જન સમાધાન’ કાર્યક્રમનું આયોજન મહેસૂલ વિભાગ ખાનવેલ સબ ડિવિઝનની દરેક ગ્રામ પંચાયતોમાં કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ આગામી 13 ફેબ્રુઆરી, 2023ના રોજ માંદોની પંચાયત, 14 ફેબ્રુઆરી સિંદોની પંચાયત, 16 ફેબ્રુઆરીના રોજ કૌંચા પંચાયત, 20 ફેબ્રુઆરીના રોજ દૂધની પંચાયત, 22 ફેબ્રુઆરીના રોજ રુદાના પંચાયત, 23 ફેબ્રુઆરીના રોજ ખાનવેલ પંચાયત, 24 ફેબ્રુઆરીના રોજ ખેરડી પંચાયત, 25 ફેબ્રુઆરીના રોજ આંબોલી પંચાયત, 27 ફેબ્રુઆરીના રોજ સુરંગી પંચાયત અને 28 ફેબ્રુઆરી, 2023ના રોજ દપાડા પંચાયત ખાતે ‘જન સમાધાન’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં પ્રશાસસના વિવિધ વિભાગોની સેવાઓની અરજીઓ સ્વીકાર કરવામાં આવશે અને વિવાદિત કેસો ઉપર માર્ગદર્શન અને તેનું નિરાકરણ કરવામાં આવશે. ખાનવેલ સબ ડીવીઝનનો જનતાને અનુરોધ છે કે આ જન સમાધાન કાર્યક્રમનો તેઓ લાભ લે.