Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

ખાનવેલ મીની કલેક્‍ટર કચેરી દ્વારા ગ્રામ પંચાયતોમાં ‘જન સમાધાન’ કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.07: દાદરા નગર હવેલીના ખાનવેલ ખાતેના મીની કલેક્‍ટરાલય કચેરીના દિશાનિર્દેશ મુજબ ‘જન સમાધાન’ કાર્યક્રમનું આયોજન મહેસૂલ વિભાગ ખાનવેલ સબ ડિવિઝનની દરેક ગ્રામ પંચાયતોમાં કરવામાં આવ્‍યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ આગામી 13 ફેબ્રુઆરી, 2023ના રોજ માંદોની પંચાયત, 14 ફેબ્રુઆરી સિંદોની પંચાયત, 16 ફેબ્રુઆરીના રોજ કૌંચા પંચાયત, 20 ફેબ્રુઆરીના રોજ દૂધની પંચાયત, 22 ફેબ્રુઆરીના રોજ રુદાના પંચાયત, 23 ફેબ્રુઆરીના રોજ ખાનવેલ પંચાયત, 24 ફેબ્રુઆરીના રોજ ખેરડી પંચાયત, 25 ફેબ્રુઆરીના રોજ આંબોલી પંચાયત, 27 ફેબ્રુઆરીના રોજ સુરંગી પંચાયત અને 28 ફેબ્રુઆરી, 2023ના રોજ દપાડા પંચાયત ખાતે ‘જન સમાધાન’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં પ્રશાસસના વિવિધ વિભાગોની સેવાઓની અરજીઓ સ્‍વીકાર કરવામાં આવશે અને વિવાદિત કેસો ઉપર માર્ગદર્શન અને તેનું નિરાકરણ કરવામાં આવશે. ખાનવેલ સબ ડીવીઝનનો જનતાને અનુરોધ છે કે આ જન સમાધાન કાર્યક્રમનો તેઓ લાભ લે.

Related posts

ચૈત્રી નવરાત્રી નિમિતે આજથી સેલવાસની સુંદરવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રિય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી જે.પી.નડ્ડા સાથે સંઘપ્રદેશના વિવિધ મુદ્દાઓનીકરેલી ગહન ચર્ચા

vartmanpravah

વલસાડ ડેપોએ વડનગર-વલસાડ ટ્રેનની બસ કનેક્‍ટિવિટી સેવાની સુવિધા વધારી: ગુજરાત ક્‍વીન બસ સેવા યથાવત રહેશે

vartmanpravah

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરનો વિદ્યાર્થી જિલ્લા સ્‍તરની કરાટે સ્‍પર્ધામાં પ્રથમ આવ્‍યો

vartmanpravah

મોતીવાડા રેપ વિથ મર્ડર કેસમાં પોલીસને મળેલી ઐતિહાસિક સફળતા બાદ જિલ્લા પોલીસવડા સહિત પોલીસ કાફલાએ પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી 60 દિવસ માટે ‘ટોબેકો ફ્રી યુથ કેમ્‍પેઈન 2.0’ની શરૂઆત

vartmanpravah

Leave a Comment