Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

ખાનવેલ મીની કલેક્‍ટર કચેરી દ્વારા ગ્રામ પંચાયતોમાં ‘જન સમાધાન’ કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.07: દાદરા નગર હવેલીના ખાનવેલ ખાતેના મીની કલેક્‍ટરાલય કચેરીના દિશાનિર્દેશ મુજબ ‘જન સમાધાન’ કાર્યક્રમનું આયોજન મહેસૂલ વિભાગ ખાનવેલ સબ ડિવિઝનની દરેક ગ્રામ પંચાયતોમાં કરવામાં આવ્‍યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ આગામી 13 ફેબ્રુઆરી, 2023ના રોજ માંદોની પંચાયત, 14 ફેબ્રુઆરી સિંદોની પંચાયત, 16 ફેબ્રુઆરીના રોજ કૌંચા પંચાયત, 20 ફેબ્રુઆરીના રોજ દૂધની પંચાયત, 22 ફેબ્રુઆરીના રોજ રુદાના પંચાયત, 23 ફેબ્રુઆરીના રોજ ખાનવેલ પંચાયત, 24 ફેબ્રુઆરીના રોજ ખેરડી પંચાયત, 25 ફેબ્રુઆરીના રોજ આંબોલી પંચાયત, 27 ફેબ્રુઆરીના રોજ સુરંગી પંચાયત અને 28 ફેબ્રુઆરી, 2023ના રોજ દપાડા પંચાયત ખાતે ‘જન સમાધાન’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં પ્રશાસસના વિવિધ વિભાગોની સેવાઓની અરજીઓ સ્‍વીકાર કરવામાં આવશે અને વિવાદિત કેસો ઉપર માર્ગદર્શન અને તેનું નિરાકરણ કરવામાં આવશે. ખાનવેલ સબ ડીવીઝનનો જનતાને અનુરોધ છે કે આ જન સમાધાન કાર્યક્રમનો તેઓ લાભ લે.

Related posts

એશિયન યુથ બોક્‍સિંગ ચેમ્‍પિયનશિપ-2024 માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશના બોક્‍સર સુમિત કુમારની પસંદગી

vartmanpravah

દાનહમાં આદિત્‍ય એનજીઓએ શહીદ દિવસ પર કેન્‍ડલ માર્ચ કાઢી, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુને આપેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

નવસારી ખાતે પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહેતારાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

vartmanpravah

વલસાડ નહેરૂ યુવા કેન્‍દ્ર દ્વારા ધરમપુરમાં એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતિમ ચરણમાં ખતલવાડા ગામમાં પહોંચી, રૂ. 32.38 લાખના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરાયું

vartmanpravah

સંઘપ્રદેશમાં ખાલી પડેલ જિ.પં. અને ગ્રા.પં.ની બેઠકો માટેની પેટા ચૂંટણી 17મી ઓક્‍ટોબરે યોજાશે

vartmanpravah

Leave a Comment