October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

ખાનવેલ મીની કલેક્‍ટર કચેરી દ્વારા ગ્રામ પંચાયતોમાં ‘જન સમાધાન’ કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.07: દાદરા નગર હવેલીના ખાનવેલ ખાતેના મીની કલેક્‍ટરાલય કચેરીના દિશાનિર્દેશ મુજબ ‘જન સમાધાન’ કાર્યક્રમનું આયોજન મહેસૂલ વિભાગ ખાનવેલ સબ ડિવિઝનની દરેક ગ્રામ પંચાયતોમાં કરવામાં આવ્‍યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ આગામી 13 ફેબ્રુઆરી, 2023ના રોજ માંદોની પંચાયત, 14 ફેબ્રુઆરી સિંદોની પંચાયત, 16 ફેબ્રુઆરીના રોજ કૌંચા પંચાયત, 20 ફેબ્રુઆરીના રોજ દૂધની પંચાયત, 22 ફેબ્રુઆરીના રોજ રુદાના પંચાયત, 23 ફેબ્રુઆરીના રોજ ખાનવેલ પંચાયત, 24 ફેબ્રુઆરીના રોજ ખેરડી પંચાયત, 25 ફેબ્રુઆરીના રોજ આંબોલી પંચાયત, 27 ફેબ્રુઆરીના રોજ સુરંગી પંચાયત અને 28 ફેબ્રુઆરી, 2023ના રોજ દપાડા પંચાયત ખાતે ‘જન સમાધાન’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં પ્રશાસસના વિવિધ વિભાગોની સેવાઓની અરજીઓ સ્‍વીકાર કરવામાં આવશે અને વિવાદિત કેસો ઉપર માર્ગદર્શન અને તેનું નિરાકરણ કરવામાં આવશે. ખાનવેલ સબ ડીવીઝનનો જનતાને અનુરોધ છે કે આ જન સમાધાન કાર્યક્રમનો તેઓ લાભ લે.

Related posts

મણીપુરની ઘટનાના વિરોધમાં આદિવાસી સંગઠનો દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાનને ચીખલીના રાનકુવા, સુરખાઈ સહિતના અનેક વિસ્‍તારમાં મળેલો પ્રતિસાદ

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રાના આયોજન અંગે કલેક્‍ટર નૈમેષ દવેની અધ્‍યક્ષતામાં બેઠક યોજાઈ

vartmanpravah

જેસીબીમાં વરઘોડો!

vartmanpravah

હિન્‍દી પખવાડિયું – 2023 નાં અનુસંધાને રાજભાષા વિભાગ દીવ દ્વારા આયોજિત વિવિધ સ્‍પર્ધાઓમાં સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા દીવનાં વિદ્યાર્થીઓએ કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન

vartmanpravah

વાપી કેબીએસ કોલેજની વિદ્યાર્થીની ખેલો ઈન્‍ડિયામાં ઝળકી

vartmanpravah

ચીખલી તાલુકામાં ધોરણ-૧૦નું પરિણામ જાહેર: સમરોલીની શ્રી સ્વામીનારાયણ સ્કૂલનું ૧૦૦ ટકા પરિણામ જાહેર થતાં શાળા પરિવારમાં ફેલાયેલી ખુશી

vartmanpravah

Leave a Comment