December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ બિનવાડા ચણવઈમાં વીજ લાઈનમાં થયેલ શોર્ટ સર્કિટથી આંબાવાડીમાં આગ લાગી

અતુલ અને વલસાડ પાલિકાની ફાયર બ્રિગેડે બે કલાકની જહેમત બાદ આગ બુઝાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વલસાડ નજીક આવેલ બિનવાડા-ચણવઈ ગામે આવેલ આંબાવાડીમાં મંગળવારે અગિયાર વાગ્‍યાના સુમારે અચાનક આગ લાગી હતી. વાડી વચ્‍ચેથી પસાર થતી વિજ કંપનીની લાઈનમાં શોર્ટ સર્કિટ થતા વાડીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
વલસાડ ચણવઈમાં આવેલ શ્રી સંકટમોચન હનુમાન મંદિર સામે બિનવાડાના સોસાયટી ફળીયામાં યોગીભાઈના મકાન સામે આવેલ આંબાવાડીમાં આગ લાગતા યોગીભાઈએ અતુલ અને વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટના સ્‍થળે ફાયર ફાઈટરો ધસી આવી આગને બુઝાવવાની જહેમત શરૂ કરી હતી. બે એક કલાકની જહેમત બાદ અંતે આગ ઉપર કાબુ કરી લેવાયો હતો. વાડીમાં બનેલી આગની ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા કોઈને થવાપામેલ નહોતી.

Related posts

દાનહ અને દમણમાં કોરોનાનો આંકડો 15-15 નોંધાયો : દીવમાં કોરોનાના 02 કેસ નોંધાયા

vartmanpravah

યુનિવર્સિટી આયોજિત જુડો ટુર્નામેન્‍ટમાં કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજના ખેલાડીઓનું નોંધપાત્ર પ્રદર્શન

vartmanpravah

કિસાન સમ્માનનિધિનો લાભ મેળવતા ખેડૂતો ધ્યાન આપે

vartmanpravah

નાનાપોંઢા-નાસિક હાઈવે ઉપર મહાકાય કન્‍ટેનર પલટી મારી ગયા બાદ 24 કલાકથી હાઈવે બ્‍લોક

vartmanpravah

પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં ડે ની ઉજવણી શરૂ કરવામાં આવી

vartmanpravah

દમણગંગા મધુબન જળાશય યોજનામાં જમીન ગુમાવનારા દાનહના આદિવાસી પરિવારોએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં કરેલી ન્‍યાયની માંગ

vartmanpravah

Leave a Comment