Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આણંદ જિલ્લાના મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે ભારત વિકાસ પરિષદ ગુજરાતનો પ્રદેશ મહાઅભ્‍યાસવર્ગ-2024 યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
આણંદ, તા.11: ભારત વિકાસ પરિષદ ગુજરાત દ્વારા મધ્‍યગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્‍ટ્ર કચ્‍છ એમ ત્રણ પ્રાંતોનો મહાઅભ્‍યાસવર્ગ, આણંદ જિલ્લાના મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે તા.6 અને 7 જાન્‍યુઆરીના રોજ યોજવામાં આવ્‍યો હતો. જેમાં ત્રણેય પ્રાંતના મુખ્‍ય કાર્યકર્તા ભાઈઓ અને બહેનો મળીને કુલ 528 કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.
રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘ પ્રચારક શ્રી અતુલજી લિમિયેએ સ્‍વ આધારિત વિકાસ, પુનરુથ્‍થાન વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવા આપતાં સુશ્રી ઈન્‍દુમતીબેન કાટદરેએ કુટુંબ વિમર્શ, સરદાર પટેલ નૂતન ભારતના દીર્ઘદૃષ્ટા વિષય ઉપર શ્રી ડૉ. વસંતભાઈ પટેલે અને ભારતીય સંસ્‍કળતિ અને સમાજ જીવનમાં ગાયનું મહત્‍વ પર બંસી ગૌશાળાના શ્રી ગોપાલભાઈ સુતરીયાએપ્રભાવી વક્‍તવ્‍ય આપ્‍યું હતું. સમાપન સત્રમાં આર.એસ.એસ.ના પશ્ચિમ કર્ણાવતીના વિભાગીય સંઘચાલક શ્રી હરેશભાઈ ઠક્કર અને ભા.વિ.પ.ના એડિશનલ નેશનલ ફાયનાન્‍સ સેક્રેટરી શ્રી શરદભાઈ ઠાકરએ સુંદર વક્‍તવ્‍ય આપ્‍યું હતું. આમ એકંદરે ખૂબ સફળ અને સરસ આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

જેસીઆઈની મહાત્‍મા ઝોન કોન્‍ફરન્‍સ નવસારી ખાતે યોજાઈ

vartmanpravah

સરીગામના અંતરિયાળ વિસ્‍તાર બોન્‍ડપાડામાં રૂા.15 લાખના ખર્ચે થનારી પેવર બ્‍લોકની કામગીરી

vartmanpravah

વલસાડ હાઈવે સુગર ફેક્‍ટરી પાસે વિચિત્ર ટ્રિપલ અકસ્‍માત સર્જાયો : ત્રણ ઘાયલ

vartmanpravah

દાનહની પેટા ચૂંટણીમાં કલાબેન ડેલકરનું ધનુષ્‍યબાણ કેવો લક્ષ્ય વેધ કરે તેના ઉપર તમામની નજર

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર સલોની રાયનાં માર્ગદર્શનમાં દીવમાં ‘રાષ્‍ટ્રીય પોષણ માહ’ની ઉજવણી હેઠળ આંગણવાડી કાર્યકતા બહેનોને ‘ઉપરી આહાર’ અંગે તાલીમ અપાઈ

vartmanpravah

આજથી લોકસભાની દાનહ અને દમણ-દીવ બેઠક માટે ઉમેદવારી પત્રક ભરવાનો આરંભઃ ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 19મી એપ્રિલ

vartmanpravah

Leave a Comment