(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.11: ચીખલી સર્કિટ હાઉસમાં ગુજરાત પ્રદેશ રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠનના ચેરમેન રજનીકાંતની અધ્યક્ષતામાં કોંગ્રેસ પક્ષના મેન્ડેટથી તાલુકા પંચાયત-જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં ચૂંટણી લડનારા ઉમેદવારો સહીતનાની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં રચનાત્મક આંદોલાત્મક કાર્યો, અસત્યનો પડકાર સત્યથી કરવા જવા વિવિધ પર શિક્ષણઆપવામાં આવ્યું હતું.
બેઠક દરમ્યાન ધારાસભ્ય અનંત પટેલે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં પંચાયતી રાજના હક્ક અને અધિકારો છીનવાઈ ગયા છે. હવે તો ગ્રામસભામાં કયાં મુદ્દે ચર્ચા કરવાની તે ઉપરથી જ તૈયાર કરેલ લખાણ આવતું હોય છે.
આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમરસ ગ્રામ પંચાયત યોજનાએ ગામના નાગરિકોની લોકશાહી છીનવી લેવાનું એક મોટું ષડયંત્ર છે અને તે માટે જાગૃતતા કેળવવા જરૂરી સૂચનો તેમણે કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા રાજીવ ગાંધી પંચાયત રાજના કન્વીનર રિયાઝભાઈ પિયુષભાઈ ઢીમ્મર તથા સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહી આવનાર 2024 ની લોકસભાની ચૂંટણી માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા આ પૂર્વે નવસારીમાં પણ પ્રદેશ કોંગ્રેસ રાજીવ ગાંધી પંચાયત રાજની બેઠક યોજવામાં આવી હતી.