(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આખા દેશમાં ‘‘પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન 2025” અંતર્ગત આજરોજ મુસ્કાન ફેમિલી અને સન ફાર્માસ્યુટિકલ લિ.ના સહિયારા પ્રયાસ દ્વારા વલસાડના જિલ્લાના લવાછા પીએચસી કેન્દ્ર ખાતે 40 જરૂરીયાતમંદ ટીબી દર્દીઓને પોષ્ટીક આહાર કીટ તથાપ્રોટીન પાવડરનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ કાર્યક્રમમાં સન ફાર્માના અધિકારીઓ, મુસ્કાન ફેમિલીના રીમાબેન શ્રીમતી કાલાણીજી, સામાજિક કાર્યકર શ્રી સુધીરભાઈ સાવલીયા, કિશોરીબેન, ડો.યશભાઈ, હેમંત પટેલ તથા પેરામેડિકલ સ્ટાફ જોડાયા હતા.