December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આણંદ જિલ્લાના મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે ભારત વિકાસ પરિષદ ગુજરાતનો પ્રદેશ મહાઅભ્‍યાસવર્ગ-2024 યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
આણંદ, તા.11: ભારત વિકાસ પરિષદ ગુજરાત દ્વારા મધ્‍યગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્‍ટ્ર કચ્‍છ એમ ત્રણ પ્રાંતોનો મહાઅભ્‍યાસવર્ગ, આણંદ જિલ્લાના મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે તા.6 અને 7 જાન્‍યુઆરીના રોજ યોજવામાં આવ્‍યો હતો. જેમાં ત્રણેય પ્રાંતના મુખ્‍ય કાર્યકર્તા ભાઈઓ અને બહેનો મળીને કુલ 528 કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.
રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘ પ્રચારક શ્રી અતુલજી લિમિયેએ સ્‍વ આધારિત વિકાસ, પુનરુથ્‍થાન વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવા આપતાં સુશ્રી ઈન્‍દુમતીબેન કાટદરેએ કુટુંબ વિમર્શ, સરદાર પટેલ નૂતન ભારતના દીર્ઘદૃષ્ટા વિષય ઉપર શ્રી ડૉ. વસંતભાઈ પટેલે અને ભારતીય સંસ્‍કળતિ અને સમાજ જીવનમાં ગાયનું મહત્‍વ પર બંસી ગૌશાળાના શ્રી ગોપાલભાઈ સુતરીયાએપ્રભાવી વક્‍તવ્‍ય આપ્‍યું હતું. સમાપન સત્રમાં આર.એસ.એસ.ના પશ્ચિમ કર્ણાવતીના વિભાગીય સંઘચાલક શ્રી હરેશભાઈ ઠક્કર અને ભા.વિ.પ.ના એડિશનલ નેશનલ ફાયનાન્‍સ સેક્રેટરી શ્રી શરદભાઈ ઠાકરએ સુંદર વક્‍તવ્‍ય આપ્‍યું હતું. આમ એકંદરે ખૂબ સફળ અને સરસ આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે મોરખલની મહિલાના આત્‍મહત્‍યા કેસમાં તેમના પરિવારને ન્‍યાય અપાવવા એસ.પી.ને કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં વર્ષ-2024ની પ્રથમ રાષ્‍ટ્રીય લોક અદાલત તા.9 માર્ચે યોજાશે

vartmanpravah

શ્રી દીવ યુવા જાગૃતમાછીમાર ગૃપ દ્વારા અનોખી રીતે ઉજવાયો પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનો જન્‍મ દિવસ

vartmanpravah

વલસાડની અટાર પી.કે.ડી વિદ્યાલયમાં વ્‍યકિત વિશેષ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દમણઃ કચીગામ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં ‘બેટી સુરક્ષા-બેટી શિક્ષા’ વિષય ઉપર યોજાયેલો સ્‍વ જાગૃતિ કાર્યક્રમ

vartmanpravah

ચાર રાજ્‍યોમાં ભાજપને મળેલી પ્રચંડ જીતના પગલે દમણ-દીવની સામાન્‍ય જનતાના ઘરમાં પણ પેદા થયેલો ઉત્‍સવનો માહોલ : વિકાસની રાજનીતિ ઉપર મતદારોની મહોર

vartmanpravah

Leave a Comment