(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.23
દમણવાડા ગ્રામ પંચાયત ખાતે સરપંચ શ્રી મુકેશ ગોસાવીના નેતૃત્વમાં ડો. શ્યામા પ્રસાદ મુખરજીની પુણ્યતિથિ નિમિતે બલિદાન દિવસના ઉપલક્ષમાં આયોજીત કાર્યક્રમમાં શ્રદ્ધા સુમન અર્પણ કરી અંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે પંચાયત સભ્ય શ્રી વિષ્ણુ બાબુ, પંચાયતની સલાહકાર સમિતિના સભ્ય શ્રીમતી પ્રીતિબેન હળપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.