March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનની ચૂંટણીનો જામી રહેલો માહોલ

9મી માર્ચે યોજનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્રક રજૂ કરવાની છેલ્લી તારીખ 19 મી ફેબ્રુઆરીને હવે ત્રણ દિવસ બાકી છે અને સાત દાવેદારી ફોર્મ ઉમેદવારો દ્વારા લેવામાં આવ્‍યા છે

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.16: આગામી 9મી માર્ચના રોજ યોજનારી સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીનો માહોલ ઉદ્યોગપતિઓમાં જોવા મળી રહ્યો છે. પ્રમુખ અને 12 એક્‍ઝિકયુટિવ કમિટી મેમ્‍બર માટે યોજનારી ચૂંટણી માટે દાવેદારી પત્રક રજૂ કરવાની અંતિમ તારીખ 19મી ફેબ્રુઆરી છે. જે સમયને હવે માત્ર ત્રણ દિવસ બાકી છે અને આજ સુધીમાં સાત ઉમેદવારી પત્રક ઈશ્‍યુ થવા પામ્‍યા છે. જેમાં 1. શ્રી દામોદરભાઈ પારીખ 2. શ્રી નિર્મલભાઈ દુધાની 3. શ્રી દિલીપભાઈ એચ. ભંડારી 4. શ્રી જૈવિકભાઈ પટેલ 5. વર્તમાન પ્રમુખ શ્રી કમલેશભાઈ ભટ્ટ 5. શ્રી સમીમભાઈ રીઝવી 5. શ્રી સજ્જનભાઈ મુરારકાનો સમાવેશ થઈ રહ્યો છે. અગ્રણી ઉદ્યોગપતિઓના મેળવેલા અભિપ્રાય બાદ હવે બાકી રહેલા સમયમાં વધુ ઉમેદવારો દવેદારી પત્રક રજૂ કરશે એવું ચિત્ર સામે આવી રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે, માત્ર 571 સભ્‍યપદ ધરાવતું સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનમાં સક્રિય મેમ્‍બર તરીકે ગણતરીના સભ્‍યો છે જે લાંબા સમયથી ઈન્‍ડસ્‍ટ્રીઝના હિતમાં કામ કરતા જોવા મળી રહ્યો છે. આ તમામ અગ્રણી મેમ્‍બરોએ ચૂંટણી સમરસના માધ્‍યમથી પૂર્ણ કરવાનું નક્કી કરેલું છે. પરંતુ હાલમાં ઉદ્યોગપતિઓના અભિપ્રાય જાણતા એમનું વલણ અસ્‍પષ્ટ જણાઈ રહ્યું છે જે જોતા બે વર્ષ પહેલા લેવામાંઆવેલો નિર્ણય મુજબ પ્રમુખની પસંદગી કરવામાં આવશે એવું જણાતું નથી. અગ્રણી ઉદ્યોગપતિઓનુ ટીમ વર્ક સંકલન સાંધીને વિચારધારા અમલમાં મુકવાની હંમેશા જોવા મળી છે. જેની ઉપરવટ જઈ પ્રમુખના દાવેદાર શ્રી નિર્મલભાઈ દુધાનીએ અંગત મંતવ્‍ય જાહેર કરતા કેટલાક ઉદ્યોગપતિઓમાં નારાજગી જોવા મળી રહી છે. જે જોતા ઉદ્યોગપતિઓ કેવું વલણ અપનાવે એ સ્‍પષ્ટ નથી. હાલમાં તો પ્રમુખના હોદાની ભૂમિકા નિભાવી શકે એવા વર્તમાન પ્રમુખ શ્રી કમલેશભાઈ ભટ્ટ અને માજી નોટિફાઇડ બોર્ડના ચેરમેન શ્રી સજ્જનભાઈ મુરારકાએ ઉમેદવારી પત્રક મેળવતા ચૂંટણીનો માહોલ રસપ્રદ બની જવા પામ્‍યો છે.
—-

Related posts

‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા આંબોલી ગામથી જનસંપર્ક સંવાદ અને દાનહ જોડો પદયાત્રાની કરાયેલી શરૂઆત

vartmanpravah

દેશભરમાં વિજળીના ખાનગીકરણ સામે તેજ થઈ રહેલો અવાજ : 27 લાખ વીજ કર્મીઓ-એન્‍જિનિયરો 23-24મીફેબ્રુ.એ હડતાલમાં જોડાશે

vartmanpravah

વલસાડના લીલાપોર ઔરંગા નદીનો પીચીંગ રોડ ફરી બંધ કરાયો : વરસાદી પ્રકોપમાં કૈલાસ રોડ પુલ પણ બેહાલ

vartmanpravah

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી): કાચુ મકાનમાં વસવાટ દરમિયાન અનેક સમસ્‍યાઓનો સામનો કરવો પડતો હતો પ્રધાનમંત્રી આવાસ યોજનાથી મારૂ પાકા મકાનનું સ્‍વપ્‍ન પૂર્ણ થયું. દિવ્‍યાંગ હેતલકુમાર પટેલ

vartmanpravah

વિધાનસભા ચૂંટણીઃ 2022 લોકશાહીના મહાપર્વમાં વલસાડ જિલ્લાની 5 બેઠક પર 35 ઉમેદવારો ચૂંટણી જંગ લડશે: સૌથી વધુ 9 ઉમેદવાર અને સૌથી વધુ 3 અપક્ષ ઉમેદવારો પણ ધરમપુર બેઠક પર

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ મતદાન જાગૃતિ અર્થે નીકળેલી સાયકલ મેરેથોનને લીલીઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યું

vartmanpravah

Leave a Comment