August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની એન.એચ. શાહ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી એથ્‍લેટીક્‍સ મીટમાં 13 મેડલ જીત્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 2024 એથ્‍લેટીક્‍સ મીટનું 15 ફેબ્રુઆરી 2024 થી 18 ફેબ્રુઆરી 2024 સુધી આયોજન થયું હતું. 50 મી યુનિવર્સિટી એથ્‍લેટીક્‍સ મીટ 2023-24 માં શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજ, વલસાડના 20 જેટલા વિદ્યાર્થીઓને અલગ અલગ એથ્‍લેટીક્‍સ મીટમાં ભાગ લીધો હતો. જેમાં 13 જેટલા વિદ્યાર્થીઓ ઝળકયા હતા.
મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડીઓ :
(1) હરીખેન સિંઘ – ટ્રીપલ જમ્‍પ – ભાઈઓ – કોમર્સ કોલેજ – સિલ્‍વરમેડલ, (2) અનીતા ડોકિયા – 400 મીટર હર્ડલ (બહેનો) – સિલ્‍વર મેડલ, (3) શિવાની, અનિતા, સાક્ષી, મૈત્રી – 4×100 મીટર (બહેનો) – સિલ્‍વર મેડલ, (4) શિવાની, અનિતા, સાક્ષી, મૈત્રી – 4×400 મીટર (બહેનો) – સિલ્‍વર મેડલ, (5) શિવાની, અનિતા, સાક્ષી, મૈત્રી – 110 મીટર હર્ડલ (બહેનો) – બ્રોન્‍ઝ મેડલ, (6) પંકજ ગવલી – 800 મીટર રન (ભાઈઓ) – બ્રોન્‍ઝ મેડલ, (7) રોહિત ઝા – ડિસ્‍કસ થ્રો (ભાઈઓ) – બ્રોન્‍ઝ મેડલ.
આ સર્વ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી એથ્‍લેટીક્‍સ મીટમાં બહુ સફળ રીતે યુનિવર્સિટી લેવલ પર વિવિધ મેડલ મેડલ મળવા બદલ આચાર્ય ડૉ.ગિરીશકુમાર રાણાએ સર્વ વિદ્યાર્થીઓને ખુબ અભિનંદન આપ્‍યા વિદ્યાર્થીઓ ભવિષ્‍યમાં રાષ્‍ટ્રીય કક્ષાએ જાય એવી શુભેચ્‍છા પાઠવી હતી. વિદ્યાર્થીઓને શ્રી નૂતન કેળવણી મંડળ વલસાડના ટ્રસ્‍ટીઓ ચેરમેન સ્‍વાતિબેન લાલભાઈ, મંત્રી કિર્તીભાઈ દેસાઈ, તેમજ આસિસ્‍ટન્‍ટ સેક્રેટરી અનિશભાઈ શાહે પણ શુભેચ્‍છા પાઠવી હતી.
આ સ્‍પર્ધામાં કોલેજના ખેલકૂદ પ્રો. એમ.કે. પટેલને આચાર્યશ્રીએ ખુબ અભિનંદન આપ્‍યા અને એમની મહેનતને બિરદાવી હતી. કોલેજના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્‍ટાફે પણ વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવી. આવનારા દિવસોમાં શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજ વિદ્યાર્થીઓને રાષ્‍ટ્રીય અનેઆંતરરાષ્‍ટ્રીય કક્ષાએ મોકલે એવી અપેક્ષા વ્‍યક્‍ત કરી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ત્રિ-દિવસીય દાનહ મુલાકાતના સમાપન બાદ દાનહના કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોને ગતિઅને નવી યોજનાને મળનારો ઓપ

vartmanpravah

ખુલ્લી શેરીઓ, સ્‍ટોર વોટર ડ્રેનેજ અથવા કુદરતી ગટરમાં ગટરનું નિકાલ કરવું એ દંડને પાત્ર ગુનો છે : એસએમસી

vartmanpravah

સમગ્ર ધરમપુર બન્‍યું રામમયઃ શ્રી રામ નવમી નિમિત્તે આયોજિત શોભાયાત્રામાં રામભક્‍તો જોડાયા પેટાઃ નાનાં-નાનાં ભૂલકાંઓ રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનજીના વેશભૂષામાં સમગ્ર શોભાયાત્રામાં આકર્ષણનું કેન્‍દ્ર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.10 હિંદુ યુવા-સંઘ અને નવરંગ ગ્રુપ ધરમપુરના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત ત્રિવેણી કાર્યક્રમોના સથવારે આખું નગર ‘રામમય’ બન્‍યું હતું. બપોરે ત્રણ કલાકે આયોજિત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો ભાઈ-બહેનો જોડાયા હતા. બાદ સાંજે બ્‍લડ-ડોનેટનો કાર્યક્રમ બાદ સૌ નગરજનોએ મહાપ્રસાદ પણ ગ્રહણ કરી તળપ્ત થયા હતા. સવારના પહોરમાં મંગળા આરતી બાદ વિવિધ ધર્મિક કાર્યક્રમોના સથવારે આજે રામનવમીની ઉજવણીની શરૂ કરી હતી. બપોરે નગરના કાળારામજી મંદિર ખાતેથી આયોજીત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો નગરજનો જોડાયા હતા, ડીજેના સથવારે યુવાનો થનગનતા રહ્યા હતા, જયશ્રીરામના ગગનભેદી નારાઓયે આખા નગરને રામમય કરી નાખ્‍યું હતું. આ શોભાયાત્રા નગરના મોટાબજાર,સમડીચોક,-ભુફળિયા, વિમળેશ્વર મંદિર, આસુરાઝાપા, વાલોડ ફળિયા, માછીવાડ, ગાંધીબાગ, મસ્‍જીદ ફળિયા, ગાર્ડન રોડ, દશોન્‍દી ફળિયા થઇ ફરી કાળારામજી મંદિરે પરત ફરી હતી. સંપૂર્ણ યાત્રામાં જોડાયેલા ભાઈ-બહેનોએ ભગવાન શ્રી રામનો જયજયકાર કરી આખા નગરને રામમય બનાવી દીધું હતું. કેટલાક ચોક ઉપર ભાઈ બહેનો ગરબો પણ રમ્‍યા હતા, આ સાથે નાના નાના ભૂલકાઓને રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી સહિત અનેકવિધ દેવી દેવતાઓના વેશભૂષામાં સજ્જ કરી અલગ પ્રકારની ગાડીમાં બેસાડાયા હતા. આર એસ એસ દ્વારા નાના નાના ભૂલકાઓની ચાલતી શાખાના સ્‍વયસેવકો પણ સમગ્ર શોભાયાત્રા દરમિયાન ‘એક હી નારા, એક હી નામ-જયશ્રીરામ જયશ્રીરામ’નો જયઘોષ કરતા દેખાયા હતા. જે સમગ્ર રેલી દરમિયાન આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. આખી રેલી દરમિયાન ફળીયે ફળીયે છાશ- ઠંડાપાણીની વ્‍યવસ્‍થાઓ ઉભી કરાય હતી. ઠેર ઠેર પસાર થતી શોભાયાત્રા ઉપર નગરના નગરજનોએ પુષ્‍પાંજલિ કરી ભગવાન રામ પ્રત્‍યે પોતાની અસ્‍થા-શ્રદ્ધાનું પ્રગટીકરણ કર્યું હતું. આખું નગરમા ઘરે ઘરે લગાવાયેલી ભાગવા રંગની ઝંડીએ નગરને અનોખા ભગવા રંગે રંગી દીધું હતું. શોભાયાત્રામાં નગરજનો ઉપરાંત નગરની વિવિધ એન.જી.ઓ અને ધર્મિક સંસ્‍થાના અગ્રણીઓએ પણજોડાયા હતા. શોભાયાત્રા પરત ફરતા ઉપસ્‍થિત બ્રહ્માંનોયે વિધિવત રીતે ફરી ભગવાન શ્રીરામને મંદિરમાં પ્રવેશ કરાવ્‍યા હતા. બાદ વલસાડ જીલ્લા રક્‍તદાન કેન્‍દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં નગરજનોએ મોટી સંખ્‍યામાં ભાગ લઇ રક્‍તનું દાન કર્યું હતું, અંતે મહાપ્રસાદ લઇ ભક્‍તજનો તળપ્ત થયા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ હિંદુ ભાઈ બહેનોમાં એકતાના દર્શન થયા હતા. હિંદુ યુવાસંઘ દ્વારા અંતે આભારવિધિ આટોપી હતી.

vartmanpravah

દાનહ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માના માર્ગદર્શનમાં દપાડા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયથી 5 વિધાનસભા દીઠ નમો કિસાન ઈ-બાઈકને સાંસદ ડો.કે.સી.પટેલ દ્વારા પ્રસ્‍થાન કરાવાઈ

vartmanpravah

વાપીના અગ્રણી ઉદ્યોગપતિ જયેન્‍દ્રસિંહ પરમારનું હૃદય રોગના હુમલાથી નિધન

vartmanpravah

Leave a Comment