September 12, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની 12 અને 13મી નવેમ્‍બરે પ્રસ્‍તાવિત સંઘપ્રદેશની મુલાકાતને નજર સમક્ષ રાખી સેલવાસમાં ચાલી રહેલી સ્‍વાગત માટેની તડામાર તૈયારીઃ પોલીસ વિભાગ દ્વારા લોકોનું કરાઈ રહેલું વેરીફિકેશન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : આગામી તા. 12 અને તા.13મી નવેમ્‍બર, 2024ના મંગળવાર અને બુધવાર એમ બે દિવસ દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની મુલાકાતે આવી રહ્યા છે. ત્‍યારેતેમના અવિસ્‍મરણીય અને ઐતિહાસિક સ્‍વાગત માટે તથા તેમના હસ્‍તે થનાર વિવિધ યોજનાઓના ઉદ્‌ઘાટનની તૈયારીઓનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં છેલ્લા ઘણાં સમયથી ખખડધજ બનેલા રસ્‍તાઓની મરામ્‍મતનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. સેલવાસમાં ઝંડાચોક શાળા, સેલવાસ નરોલી રોડ દમણગંગા નદીનો નવો બ્રિજ, રીંગરોડ બ્રિજના નીચે ગેમિંગ ઝોન, નરોલી ગામે ગ્રામ પંચાયત ઘર સહિતના સ્‍થળોએ સુંદર સાજ-શણગાર કરવામાં આવી રહ્યો છે. મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના કાફલાવાળા માર્ગના બન્ને તરફના દુકાનદારો અને ઘરોમાં રહેતા લોકોનું પોલીસ વિભાગ દ્વારા વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે.

Related posts

પ્રધાનમંત્રીશ્રીની દાનહ મુલાકાતના સંદર્ભમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આજે સાયલી ખાતે સભા સ્‍થળનું કરેલું નિરીક્ષણઃ તૈયારી અને સુરક્ષા વ્‍યવસ્‍થાથી પણ રૂબરૂ થયા

vartmanpravah

આજે દાનહના શબરીમાલા અયપ્‍પા સેવા સમાજ દ્વારા મકર જ્‍યોતિ ઉત્‍સવ યોજાશે

vartmanpravah

આજથી ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિ બે દિવસીય સંઘપ્રદેશના પ્રવાસે

vartmanpravah

67મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી સ્‍મરણાંજલિ

vartmanpravah

દાનહમાં ‘મેરી માટી, મેરા દેશ’ના ઉપક્રમે વાજતે ગાજતે નિકળેલી કળશયાત્રા

vartmanpravah

ધરમપુર જાગીરીના હેમ આશ્રમના 136 વિદ્યાર્થીઓએ બીલીમોરા-વઘઇ હેરિટેજ ટ્રેનનો પ્રવાસ માણ્‍યો

vartmanpravah

Leave a Comment