Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રવિવારે વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024 યોજાશે

રાજસ્‍થાનના જાણીતા લોક કલાકારો ભાગ લેશે : રાજસ્‍થાન ભવનમાં શિવરાત્રી કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.12: વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024નું ભવ્‍ય આયોજન આગામી રવિવારે સાંજના 4 કલાકે ઉપાસના લાયન્‍સ હોલમાં થનાર છે. જેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. રાજસ્‍થાનના નામી લોક કલાકારો આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી કાર્યક્રમની રંગત જમાવનાર છે. અન્‍ય શિવરાત્રીનો કાર્યક્રમ ગતરાતે રાજસ્‍થાન ભવનમાં યોજાઈ ગયો.
વાપીમાં શિવરાત્રીથી ફાગોત્‍સવનો આગાજ શરૂ થઈ ગયો છે. રાગની તાલમાં લોકગીતોની શમા બંધાશે. ગોરજા સંગ રાસ રચાવે બાબો ભોલો અમલી જેવા હોલીના ધમાલ ગીતોથી ભગવાન શીવને મનાવાશે. રાઘવદાસ ભક્‍તમંડળ અને સાલાસર બાલાજી પ્રચાર મંડળ દ્વારા રાજસ્‍થાન ભવનમાં લોકગીતો સંગીત સંધ્‍યા યોજાઈ ગઈ હતી. ભક્‍ત મંડળના રાકેશ જોગિડાએ પોતાના સુમધુર કંઠે ગીતોની શમા બાંધી હતી. બાલાજી પ્રચાર મંડળના સુભાષ શર્મા, અંજની ગોહાટી, રાજેન્‍દ્ર મહલા, ગૌરી શંકર શર્મા સહિતના કલાકારોએ નૃત્‍ય સાથે મરુધરાની માટીની મહેક પ્રસરાવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં સમાજના અગ્રણીઓ તથા મહિલાઓ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણ પોલીસે ‘નશામુક્‍ત પખવાડા’ની કરેલી ઉજવણીઃ શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ, ચિત્રકળા સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહ જિ.પં. તથા તમામ ગ્રા.પં. દ્વારા રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

દાનહમાં શિવસેના દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતી ઉજવવામાં આવી

vartmanpravah

ચીખલીના નોગામા ગ્રામ પંચાયતની ખાસ સામાન્‍ય સભામાં મહિલા સરપંચ સામે પણ બહુમિતથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર

vartmanpravah

ઘેલવાડ ગ્રા.પં.માં સરપંચ હિતાક્ષીબેન પટેલના નેતૃત્‍વમાં દુકાનદારોને આપવામાં આવેલી સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ અંગે જાણકારી

vartmanpravah

વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલના નેતૃત્વમાં ગાંધીનગરમાં રિવર લિંક પ્રોજેક્ટ વિરોધમાં આદિવાસીઓઍ કરેલો સત્યાગ્રહ: વિધાનસભા ઘેરવાનો કરેલો પ્રયાસ

vartmanpravah

Leave a Comment