April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રવિવારે વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024 યોજાશે

રાજસ્‍થાનના જાણીતા લોક કલાકારો ભાગ લેશે : રાજસ્‍થાન ભવનમાં શિવરાત્રી કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.12: વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024નું ભવ્‍ય આયોજન આગામી રવિવારે સાંજના 4 કલાકે ઉપાસના લાયન્‍સ હોલમાં થનાર છે. જેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. રાજસ્‍થાનના નામી લોક કલાકારો આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી કાર્યક્રમની રંગત જમાવનાર છે. અન્‍ય શિવરાત્રીનો કાર્યક્રમ ગતરાતે રાજસ્‍થાન ભવનમાં યોજાઈ ગયો.
વાપીમાં શિવરાત્રીથી ફાગોત્‍સવનો આગાજ શરૂ થઈ ગયો છે. રાગની તાલમાં લોકગીતોની શમા બંધાશે. ગોરજા સંગ રાસ રચાવે બાબો ભોલો અમલી જેવા હોલીના ધમાલ ગીતોથી ભગવાન શીવને મનાવાશે. રાઘવદાસ ભક્‍તમંડળ અને સાલાસર બાલાજી પ્રચાર મંડળ દ્વારા રાજસ્‍થાન ભવનમાં લોકગીતો સંગીત સંધ્‍યા યોજાઈ ગઈ હતી. ભક્‍ત મંડળના રાકેશ જોગિડાએ પોતાના સુમધુર કંઠે ગીતોની શમા બાંધી હતી. બાલાજી પ્રચાર મંડળના સુભાષ શર્મા, અંજની ગોહાટી, રાજેન્‍દ્ર મહલા, ગૌરી શંકર શર્મા સહિતના કલાકારોએ નૃત્‍ય સાથે મરુધરાની માટીની મહેક પ્રસરાવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં સમાજના અગ્રણીઓ તથા મહિલાઓ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

ડાંગ જિલ્લામાં માનવભક્ષી દીપડાનો આતંક યથાવત્‌: આહવાના નડગખાડી ગામના આધેડને દીપડાએ ફાડી ખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશોના ચૂંટણી કમિશનર નરેન્‍દ્ર કુમાર સેવાનિવૃત્તઃ નિવૃત્તિની પૂર્વ સંધ્‍યા પહેલાં દીવ ન.પા.ની ચૂંટણીના વિજેતા ઉમેદવારોનું જાહેરનામું બહાર પાડી બતાવેલી પોતાની કાર્યનિષ્‍ઠા

vartmanpravah

ગુજરાતની અન્‍ય ઔદ્યોગિક વસાહતોની સાથે વાપી વી.આઈ.એ. દ્વારા મતદાનના દિવસે કર્મચારીઓની રજા રાખવા જાહેર અપીલ કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ફિજી ખાતે હાઈ કમિશનર પી.એસ.કાર્થિગેયને કરેલું ઉષ્‍માભર્યું અભિવાદન

vartmanpravah

વલસાડની હરિયા પીએચસીમાં રૂ.76 લાખના મેડિકલ સાધનો અર્પણ, દર્દીઓને વધુ સારી સારવાર ઉપલબ્‍ધ થશે 

vartmanpravah

વલસાડમાં જ્ઞાન સહાયક યોજના રદ્દ કરી ટેટ-ટાટના પાસ ઉમેદવારોની ભરતી કરી કાયમી કરવા માટે રેલી યોજાઈ

vartmanpravah

Leave a Comment