Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રવિવારે વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024 યોજાશે

રાજસ્‍થાનના જાણીતા લોક કલાકારો ભાગ લેશે : રાજસ્‍થાન ભવનમાં શિવરાત્રી કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.12: વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024નું ભવ્‍ય આયોજન આગામી રવિવારે સાંજના 4 કલાકે ઉપાસના લાયન્‍સ હોલમાં થનાર છે. જેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. રાજસ્‍થાનના નામી લોક કલાકારો આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી કાર્યક્રમની રંગત જમાવનાર છે. અન્‍ય શિવરાત્રીનો કાર્યક્રમ ગતરાતે રાજસ્‍થાન ભવનમાં યોજાઈ ગયો.
વાપીમાં શિવરાત્રીથી ફાગોત્‍સવનો આગાજ શરૂ થઈ ગયો છે. રાગની તાલમાં લોકગીતોની શમા બંધાશે. ગોરજા સંગ રાસ રચાવે બાબો ભોલો અમલી જેવા હોલીના ધમાલ ગીતોથી ભગવાન શીવને મનાવાશે. રાઘવદાસ ભક્‍તમંડળ અને સાલાસર બાલાજી પ્રચાર મંડળ દ્વારા રાજસ્‍થાન ભવનમાં લોકગીતો સંગીત સંધ્‍યા યોજાઈ ગઈ હતી. ભક્‍ત મંડળના રાકેશ જોગિડાએ પોતાના સુમધુર કંઠે ગીતોની શમા બાંધી હતી. બાલાજી પ્રચાર મંડળના સુભાષ શર્મા, અંજની ગોહાટી, રાજેન્‍દ્ર મહલા, ગૌરી શંકર શર્મા સહિતના કલાકારોએ નૃત્‍ય સાથે મરુધરાની માટીની મહેક પ્રસરાવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં સમાજના અગ્રણીઓ તથા મહિલાઓ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

દિલ્હી IIT ખાતે ઉન્નતિ મહોત્સવમાં વલસાડની સરકારી ઇજનેરી કોલેજની ઈનોવેટિવ ટેકનોલોજીની પસંદગી

vartmanpravah

નાન્‍ધઈ-મરલાને જોડતો ડૂબાઉ કોઝવે ભૂતકાળ બનશે: 6 કરોડનો ઊંચો પુલ સાંસદ સી. આર. પાટીલ અને કેબિનેટ મંત્રી નરેશભાઈના પ્રયત્‍નોથી સાકાર થશે

vartmanpravah

દીવ ન.પા. દ્વારા ‘પ્રધાનમંત્રી આવાસ’ યોજના તથા ‘સૂર્યોદય આવાસ’ યોજના હેઠળ બનેલા ફલેટોની લાભાર્થીઓની ફાળવણી માટે કરાયેલો ડ્રો

vartmanpravah

રામ મંદિરના નિર્માણ કાર્યમાં શ્રમદાન કરવા પારડીથી આરએસએસ, વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળની ટીમ રવાના

vartmanpravah

દાદરા નગર હવેલીના સાયલી અને મસાટમાં દીપડો દેખાતા લોકોમાં ગભરાટ

vartmanpravah

દાનહની ઉમરકૂઈ સરકારી શાળામાં સ્‍પર્શેન્‍દ્રિય રક્‍તપિત્ત રોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment