Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રવિવારે વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024 યોજાશે

રાજસ્‍થાનના જાણીતા લોક કલાકારો ભાગ લેશે : રાજસ્‍થાન ભવનમાં શિવરાત્રી કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.12: વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024નું ભવ્‍ય આયોજન આગામી રવિવારે સાંજના 4 કલાકે ઉપાસના લાયન્‍સ હોલમાં થનાર છે. જેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. રાજસ્‍થાનના નામી લોક કલાકારો આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી કાર્યક્રમની રંગત જમાવનાર છે. અન્‍ય શિવરાત્રીનો કાર્યક્રમ ગતરાતે રાજસ્‍થાન ભવનમાં યોજાઈ ગયો.
વાપીમાં શિવરાત્રીથી ફાગોત્‍સવનો આગાજ શરૂ થઈ ગયો છે. રાગની તાલમાં લોકગીતોની શમા બંધાશે. ગોરજા સંગ રાસ રચાવે બાબો ભોલો અમલી જેવા હોલીના ધમાલ ગીતોથી ભગવાન શીવને મનાવાશે. રાઘવદાસ ભક્‍તમંડળ અને સાલાસર બાલાજી પ્રચાર મંડળ દ્વારા રાજસ્‍થાન ભવનમાં લોકગીતો સંગીત સંધ્‍યા યોજાઈ ગઈ હતી. ભક્‍ત મંડળના રાકેશ જોગિડાએ પોતાના સુમધુર કંઠે ગીતોની શમા બાંધી હતી. બાલાજી પ્રચાર મંડળના સુભાષ શર્મા, અંજની ગોહાટી, રાજેન્‍દ્ર મહલા, ગૌરી શંકર શર્મા સહિતના કલાકારોએ નૃત્‍ય સાથે મરુધરાની માટીની મહેક પ્રસરાવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં સમાજના અગ્રણીઓ તથા મહિલાઓ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

કપરાડાના નારવડમાં મૃત દિપડાનું ચામડું તથા પંજા કાપી વેચવાની તજવીજ કરતા 7 ઝડપાયા

vartmanpravah

આજે દાનહ જિલ્લામાં પ્રિ-પ્રાઈમરી અને પહેલા ધોરણના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્‍સવ

vartmanpravah

જિલ્લામાં જનરલ, પોલીસ અને ખર્ચ ઓબ્‍ઝર્વરના મોબાઈલ નંબરો પર ચૂંટણી સબંધિત ફરિયાદ નોંધાવી શકાશે

vartmanpravah

નોકરી પર જાઉં છું એમ કહી સેલવાથી 19 વર્ષીય યુવતિ ગુમ

vartmanpravah

ખેતીવાડી વિભાગના એક અધિકારીના મેળાપીપણામાં ચીખલીમાં ચોપડે ખેડૂતોના નામે ઉધારી સબસીડીયુક્‍ત યુરિયા ખાતરનું મોટાપાયે વાપી, સેલવાસ, બીલીમોરા, દમણ સહિતના ઔદ્યોગિક વિસ્‍તારમાં ગેરકાયદેસર વેચાણ થતું હોવાની ઉઠેલી ફરિયાદ

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે નવનિર્વાચિત રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુની લીધેલી શુભેચ્‍છા મુલાકાતઃ પાઠવેલા અભિનંદન

vartmanpravah

Leave a Comment