August 31, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

લોકસભા સમક્ષ દાદરા નગર હવેલી અને દમણ-દીવને લોકશાહીના ઢાંચામાં લાવવા સાંસદ કલાબેન ડેલકરે સંપૂર્ણ વિધાનસભાની કરેલી માંગણી

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં જન પ્રતિનિધિઓ અને જનતાના અધિકારો છિનવીને અત્‍યાચારો કરવામાં આવી રહ્યા હોવાની પણ લોકસભામાં કરાયેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.09
લોકસભાની દાદરા નગર હવેલીની પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા શિવસેનાના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે આજે સંસદમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે પૂર્ણ સમયની વિધાનસભાની માંગણી કરી હતી.
સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે આજે લોકસભામાં જણાવ્‍યું હતું કે, તેઓ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાંથી ખુબ જ કઠીન પરિસ્‍થિતિમાં પોતાની પહેલી ચૂંટણી જીતીને આવ્‍યા છે. તેમના પતિ શ્રી મોહનભાઈ ડેલકર સદનમાં સાત વખત સાંસદ બની પ્રદેશનું પ્રતિનિધિત્‍વ કરી ચૂક્‍યા હોવાની માહિતી આપી વિકટ પરિસ્‍થિતિમાં પસાર થઈ રહેલા પ્રદેશની લડાઈ લડતા લડતા સાંસદે આપવા પડેલા બલીદાનની પણ યાદ અપાવીહતી.
શ્રીમતી કલાબેન ડેલકરે જણાવ્‍યું હતું કે, ‘‘ મારો પ્રદેશ આજે પણ ખુબ જ કઠીન પરિસ્‍થિતિઓમાંથી પસાર થઈ રહ્યો છે. ભારત વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ હોવા છતાં અમારા પ્રદેશમાં જન પ્રતિનિધિઓ અને જનતાના અધિકારો છિનવીને અત્‍યાચારો કરવામાં આવી રહ્યા છે. આવી ગંભીર સમસ્‍યાઓ અને કઠીન પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવને દેશની મુખ્‍ય ધારા અને લોકતાંત્રિક પ્રક્રિયા સાથે જોડવા પૂર્ણ એસેમ્‍બલી આપવામાં આવે કે જેથી જનતાને ફરીથી પોતાના હક-અધિકાર મળી શકે.”
શ્રીમતી કલાબેન ડેલકરે સંસદને યાદ અપાવ્‍યું હતું કે, 2014માં ગૃહ મંત્રાલયની સ્‍ટેન્‍ડિંગ કમિટીએ બંને પ્રદેશ માટે એક વિધાનસભા બની શકે તેવો પ્રસ્‍તાવ રજૂ કર્યો હતો. આ મુદ્દાને વર્ષ 2019માં દાનહના તત્‍કાલિન સાંસદ શ્રી મોહનભાઈ ડેલકરે પણ ઉઠાવ્‍યો હતો. આ તમામ પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખી તાત્‍કાલિક આ મામલામાં કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ભારત સરકાર અને રાષ્‍ટ્રપતિ મહોદયને સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે સદનમાં વિનંતી કરી હતી.

Related posts

ચીખલીના ઘેજ ગામે રસ્‍તાના નવીનીકરણ કામગીરીની મુલાકાત લેતા બાંધકામ અધ્‍યક્ષ દિપાબેન પટેલ

vartmanpravah

ચૂંટણી પંચના દિશા-નિર્દેશ મુજબ દાનહના કલેક્‍ટર તરીકે ડો. રાકેશ મિન્‍હાસઃ દમણના કલેક્‍ટરનો વધારાનો હવાલો નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતના શિરે

vartmanpravah

દાનહઃ સાયલીની જે.એસ.કે. ઈન્‍ડસ્‍ટ્રીઝ પ્રા. લિ. કંપની દ્વારા કેમિકલયુક્‍ત પાણી નદીમાં છોડાતા માછલીઓના નિપજેલા મોતથી ચકચાર

vartmanpravah

સમગ્ર પ્રદેશનું ગૌરવ: દમણના ભૂષણ મહેન્‍દ્ર ઓઝાએ સુપ્રિમ કોર્ટ દ્વારા લેવાતી પ્રતિષ્‍ઠિત‘એડવોકેટ ઓન રેકોર્ડ’ પરીક્ષા પાસ કરતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી

vartmanpravah

લાયન્‍સ પરિવાર દમણ દ્વારા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ ગામડા તોશીંગપાડામાં ધાબળા અને કપડાનું વિતરણ કરાયું

vartmanpravah

‘‘બુઝૂર્ગો કા વિશ્વાસ હમારા પ્રયાસ” સૂત્ર સાથે રાષ્‍ટ્રીય વયોશ્રી યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધન સામગ્રી વિતરણ કરવા શિબીરનું કરવામાં આવ્‍યું આયોજન

vartmanpravah

Leave a Comment