March 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

દાનહના સાંસદ કલાબેન ડેલકરે દૂધની અને કૌંચા પંચાયતથી લોકોની વચ્‍ચે જઈ આભાર માનવાની કરેલી શરૂઆત

  • આદિવાસીઓના હક્ક અધિકારોના રક્ષણ માટે ‘આદિવાસી વિકાસ સંગઠન’ના કાર્યકર્તાઓને સક્રિય કરવામાં આવશેઃ સાંસદ કલાબેન ડેલકર

  • પ્રદેશની જનતાના વિશ્વાસમાં ખરા ઉતરીશું : અભિનવ ડેલકર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16
દાનહના નવનિર્વાચીત સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર અને શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી અભિનવ ડેલકરે લોકસભાની પેટા ચૂંટણીમાં મળેલી પ્રચંડ અને ઐતિહાસિક જીત બાદ જનતાનો આભાર જનતાની વચ્‍ચે જઈને માનવાનો આવકારદાયક નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે આજે કૌંચા અને દૂધની પંચાયતના લોકોની વચ્‍ચે પહોંચ્‍યા હતા. જ્‍યાં આભાર સભાના મંચ પરથી તેઓએ આ વિસ્‍તારના લોકોનો આભાર વ્‍યક્‍ત કર્યોહતો.
સૌપ્રથમ શ્રી અભિનવ ડેલકરે પોતાના પ્રવચનમાં જણાવ્‍યું હતું કે, આ ચૂંટણીમાં પ્રદેશની જનતાનું અભૂતપૂર્વ સમર્થન મળ્‍યું છે જેના કારણે આટલી મોટી અને ઐતિહાસિક જીત મળી છે. પિતાજી શ્રી મોહનભાઈ ડેલકર પ્રત્‍યે પ્રદેશની જનતાનો અપાર પ્રેમનું આનાથી મોટું ઉદાહરણ બીજું શું હોઈ શકે ? હું અને મારી માતા લોકોની વચ્‍ચે જઈને પણ લોકોના કામો કરવા કટિબદ્ધ છીએ.
સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે જણાવ્‍યું હતું કે, શ્રી મોહનભાઈ ડેલકરના અધૂરા સપનાને પૂરા કરવાના લક્ષ્ય સાથે આગળ વધીશું. એક કાર્યકર્તાની જેમ કામ કરવાની પણ તૈયારી સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે બતાવી છે. શિક્ષકોની સમસ્‍યાઓનું નિવારણ અને સરકારી નોકરીને સુરક્ષિત રાખવા જ્‍યાં પણ પહોંચીને લડવા પડે ત્‍યાં જઈશું તેવો વિશ્વાસ આભાર સભાના મંચ પરથી આપ્‍યો હતો. આદિવાસીઓના હક્ક અધિકારોના રક્ષણ માટે આદિવાસી વિકાસ સંગઠનના કાર્યકર્તાઓને સક્રિય કરવામાં આવશે તેવી લાગણી પણ વ્‍યક્‍ત કરી હતી.
આભાર સભામાં દૂધની તથા કૌંચા પટેલાદથી મોટી સંખ્‍યામાં લોકો જોડાયા હતા. ડેલકર પરિવાર તરફથી તમામ માટે ભોજનની વ્‍યવસ્‍થા પણ કરવામા આવી હતી.

Related posts

દમણમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી મોટી દમણના લાઇટ હાઉસ બીચ ખાતે કરાશે

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહની અધ્યક્ષતામાં નારી વંદન સપ્તાહ અંતર્ગત બેટી બચાવો, બેટી પઢાવો દિવસની ઉજવણી

vartmanpravah

વલસાડના વલંડી ગામમાં બહેનોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ

vartmanpravah

જન્‍મદિવસ નિમિતે પ્રાથમિક ગુજરાતી શાળા ખુટલીના વિદ્યાર્થીઓને વોટરબેગની ભેટ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના બેફામઃ એકજ દિવસમાં 107 પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મરવડગ્રા.પં.ના સત્‍યસાગર ઉદ્યાનથી ગંગામાતા રોડ સુધીના માર્ગના નવીનીકરણની કામગીરી શરૂ

vartmanpravah

Leave a Comment