September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની સરકારી ઈજનેરી કોલેજના એગ્રીકલ્‍ચર ઈનોવેશન પ્રોજેકટની રાષ્‍ટ્રીય કક્ષાના હેકથોનમાં સિદ્ધિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડની સરકારી ઈજનેરી કોલેજના ઈલેક્‍ટ્રીકલ વિભાગના વિદ્યાર્થી જોશી મન અને તેમની ટીમના સભ્‍યો વારલેકર નયન, પટેલ મીતુલ, જાડેજા ધ્રુવરાજસિંહ, હળપતિ ભાવિન અને પ્રિતેશ પટેલ દ્વારા ત્‍ંવ્‍ (ઈન્‍ટરનેટ ઓફ થીંગ્‍સ) બેઝ્‍ડ સ્‍માર્ટ ઈરીગેશન સીસ્‍ટમ પર પ્રોજેક્‍ટ તૈયાર કરવામાં આવ્‍યો હતો.
તાજેતરમાં મુંબઈ યુનિવર્સિટી દ્વારા માન્‍યતા પ્રાપ્ત ઈજનેરી ક્ષેત્રેની ખ્‍યાતનામ સંસ્‍થા શ્રી દ્વારકાદાસ જે. સંઘવી કોલેજ ઓફ એન્‍જિનિયરીંગ દ્વારા હેકાથોન યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર દેશમાંથી કુલ અંદાજીત 600 જેટલી ટીમો દ્વારા ભાગ લેવામાં આવ્‍યો હતો. ઓનસાઈટ પ્રોજેકટ મેકીંગ અને કુલ 5 રાઉન્‍ડની ગહન ચકાસણી બાદ જાહેર કરવામાં આવેલા પરીણામોમાં સરકારી ઈજનેરી કોલેજ વલસાડની આ ટીમે ચોથું સ્‍થાન મેળવ્‍યું હતું.
આ ટીમને સંસ્‍થાના ઈલેક્‍ટ્રીક વિભાગના વડા અને લ્‍.લ્‍.ત્‍.ભ્‍. (સ્‍ટુડન્‍ટ સ્‍ટાર્ટઅપ ઈનોવેશન પોલીસી) ણૂં-ંશ્વફુશર્ઁીદ્દંશ્વ ડો. કે. એલ. મોકરીયા અને પ્રોફ.મૌલિક ચૌધરી દ્વારા માર્ગદર્શિત કરવામાં આવી હતી. પ્રોજેક્‍ટના ઈન્‍ડસ્‍ટ્રીયલ મેંટર ભાવિન પટેલ છે. આ પ્રોજેક્‍ટ્‍સની પેટન્‍ટ ફાઈલીંગની પ્રક્રિયાને સંસ્‍થાના ભૂતપૂર્વ આચાર્ય ડો.વી.એસ. પુરાણીના વડપણ હેઠળની કમિટી દ્વારા મંજુરી મળી હતી. ટીમ દ્વારા મેળવેલી આ સિદ્ધી માટે સંસ્‍થાના આચાર્ય ડો.વી.ડી. ધીમન દ્વારા પણ સહાયતા અને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આગળના ભવિષ્‍ય માટે તેમના દ્વારા શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન અને સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશનના સહયોગથી નાની દમણ સાંઈ બાબા મંદિર પાસે આયુષ્‍યમાન કાર્ડના રિન્‍યુઅલ અને નવા કાર્ડ બનાવવા માટેની યોજાયેલી શિબિર

vartmanpravah

વલસાડમાં યોજાયેલ વીવીએમ-3 મેરેથોનમાં પ્રોત્‍સાહક દોડવીર તરીકે રન એન્‍ડ રાઈડર-13 ગૃપનાં અશ્વિન ટંડેલ અને વિદ્યાર્થીઓએ લીધેલો ભાગ

vartmanpravah

દીવ જિલ્લા યુવા ભાજપ દ્વારા પંજાબની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ ભવ્‍ય મશાલ રેલી યોજાઈ

vartmanpravah

યુવાનોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા વધે તે માટે રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા શિક્ષણ વિભાગ સાથે MoU કરવામાં આવ્યા

vartmanpravah

જામનગર-રાજકોટ હાઈવે પર બોલેરો અને મોપેડ વચ્‍ચે અકસ્‍માત: વાપીના એક જ પરિવારના ત્રણ લોકોના મોત

vartmanpravah

દાનહના કેટલાક રસ્‍તાઓના રિપેરીંગ માટે રસ્‍તાઓ બંધ રાખવામાં આવશે

vartmanpravah

Leave a Comment