(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડની શાહનરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજના સર્વ વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક, બિનશૈક્ષણિક કર્મચારીઓએ સવારે 10:30 કલાકે કોલેજના એક્ટિવીટી હોલમાં ધોલેરા અને અસમના કાર્યક્રમમાં ઓનલાઈન જોડાયા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઐતિહાસિક ભારતીય ટેકનોલોજીને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતમાં પ્રથમ 3 લ્ચ્પ્ત્ઘ્બ્ફઝશ્ઘ્વ્બ્ય્ જ્ખ્ઘ્ત્ન્ત્વ્ચ્લ્ શરૂ કરવાનું કાર્ય શરૂ કર્યું તે માટે કોલેજના પ્રિ.ડૉ.ગિરીશકુમાર એન. રાણાએ વિદ્યાર્થીઓને આ બાબતનું જ્ઞાન આપી જણાવ્યું કે, આવનારા દિવસોમાં ભારતની ટેકનોલોજી ખુબ પ્રબળ બનશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ પ્રમાણે ભારત આવનારા 10 વર્ષમાં આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી ક્ષેત્રે ખુબ પ્રગતિ કરશે.