April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની સરકારી ઈજનેરી કોલેજના એગ્રીકલ્‍ચર ઈનોવેશન પ્રોજેકટની રાષ્‍ટ્રીય કક્ષાના હેકથોનમાં સિદ્ધિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડની સરકારી ઈજનેરી કોલેજના ઈલેક્‍ટ્રીકલ વિભાગના વિદ્યાર્થી જોશી મન અને તેમની ટીમના સભ્‍યો વારલેકર નયન, પટેલ મીતુલ, જાડેજા ધ્રુવરાજસિંહ, હળપતિ ભાવિન અને પ્રિતેશ પટેલ દ્વારા ત્‍ંવ્‍ (ઈન્‍ટરનેટ ઓફ થીંગ્‍સ) બેઝ્‍ડ સ્‍માર્ટ ઈરીગેશન સીસ્‍ટમ પર પ્રોજેક્‍ટ તૈયાર કરવામાં આવ્‍યો હતો.
તાજેતરમાં મુંબઈ યુનિવર્સિટી દ્વારા માન્‍યતા પ્રાપ્ત ઈજનેરી ક્ષેત્રેની ખ્‍યાતનામ સંસ્‍થા શ્રી દ્વારકાદાસ જે. સંઘવી કોલેજ ઓફ એન્‍જિનિયરીંગ દ્વારા હેકાથોન યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર દેશમાંથી કુલ અંદાજીત 600 જેટલી ટીમો દ્વારા ભાગ લેવામાં આવ્‍યો હતો. ઓનસાઈટ પ્રોજેકટ મેકીંગ અને કુલ 5 રાઉન્‍ડની ગહન ચકાસણી બાદ જાહેર કરવામાં આવેલા પરીણામોમાં સરકારી ઈજનેરી કોલેજ વલસાડની આ ટીમે ચોથું સ્‍થાન મેળવ્‍યું હતું.
આ ટીમને સંસ્‍થાના ઈલેક્‍ટ્રીક વિભાગના વડા અને લ્‍.લ્‍.ત્‍.ભ્‍. (સ્‍ટુડન્‍ટ સ્‍ટાર્ટઅપ ઈનોવેશન પોલીસી) ણૂં-ંશ્વફુશર્ઁીદ્દંશ્વ ડો. કે. એલ. મોકરીયા અને પ્રોફ.મૌલિક ચૌધરી દ્વારા માર્ગદર્શિત કરવામાં આવી હતી. પ્રોજેક્‍ટના ઈન્‍ડસ્‍ટ્રીયલ મેંટર ભાવિન પટેલ છે. આ પ્રોજેક્‍ટ્‍સની પેટન્‍ટ ફાઈલીંગની પ્રક્રિયાને સંસ્‍થાના ભૂતપૂર્વ આચાર્ય ડો.વી.એસ. પુરાણીના વડપણ હેઠળની કમિટી દ્વારા મંજુરી મળી હતી. ટીમ દ્વારા મેળવેલી આ સિદ્ધી માટે સંસ્‍થાના આચાર્ય ડો.વી.ડી. ધીમન દ્વારા પણ સહાયતા અને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આગળના ભવિષ્‍ય માટે તેમના દ્વારા શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી.

Related posts

ચીખલીના તલાવચોરા ગામે રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

ઉમરગામ ટાઉનમાં રૂપિયા બે કરોડના ખર્ચે નિર્માણ થનારી અધતન સુવિધા યુક્‍ત લાઈબ્રેરીથી પાલિકા વાલીઓમાં આનંદની લહેર

vartmanpravah

દમણ કલેક્‍ટરાલય ખાતે કલેક્‍ટર, ડેપ્‍યુટી કલેક્‍ટર, મામલતદાર સહિત 27 લાભાર્થીઓએ લીધેલો કોરોનાનો બુસ્‍ટર ડોઝ

vartmanpravah

દાદરા નગર હવેલી: ભૂતકાળ ભૂલીને ચાલવા કાર્યકરોને અભિનવ ડેલકરે કરેલું આહ્‌વાન

vartmanpravah

માંડાની રીષિકા પેકેજીંગ કંપનીમાં ભિષણ આગ

vartmanpravah

આજે દમણમાં રાષ્‍ટ્રસંત જૈનાચાર્ય ગુરૂદેવ શ્રીમદ્‌ પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ તથા ગણિપ્રવર પ્રશાંતસાગરજી મહારાજ આદિ પૂજ્‍યોની પાવન પધરામણી અવસરે ભવ્‍ય સામૈયું યોજાશે

vartmanpravah

Leave a Comment