April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જામનગર-રાજકોટ હાઈવે પર બોલેરો અને મોપેડ વચ્‍ચે અકસ્‍માત: વાપીના એક જ પરિવારના ત્રણ લોકોના મોત

ચણોદ કોલોનીમાં રહેતા પરિવારના પતિ-પત્‍ની અને પુત્રીના મોતથી
પરિવારમાં શોકની કાલીમા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ તાલુકાના જાયવા ગામ નજીક આવેલી આશાપુરા હોટલ પાસે ગઈકાલે વહેલી સવારે બોલેરો અને એક્‍ટિવા વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે દોડતી બોલેરોએ એક્‍ટિવાને ટક્કર મારતા વાપી ખાતે રહેલા એક જ પરિવારના ત્રણ સભ્‍યોના ઘટના સ્‍થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્‍બ્‍યુલન્‍સ અને પોલીસ કાફલો ઘટના સ્‍થળે પહોંચ્‍યો હતો. પોલીસે મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વાપી ચણોદ કોલોની ખાતે રહેતા સંજયભાઈ રમેશભાઈ ચોટલીયા (ઉ.વ.37), તેમના પત્‍ની ઈનાબેન ચોટલીયા (ઉ.વ.36), પુત્રી નિષ્‍ઠા ચોટલીયા (ઉ.વ.4) વહેલી સવારે રાજકોટથી એક્‍ટિવા ઉપર તેમના વતન ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામે ગયા જતા હતા ત્‍યારે જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલના જાયવા ગામ નજીક બેફામ આવતી બોલેરોએ એક્‍ટિવાને ટક્કર મારી દેતા મોપેડ સવાર પરિવાર નંદવાઈ ગયો હતો. જેમાં સંજયભાઈ ચોટલીયા, ઈનાબેન ચોટલીયા અને પુત્રી નિષ્‍ઠાના ઘટના સ્‍થળે જમોત નિપજ્‍યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્‍થળે પહોંચી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે 7 કલાકે તમામ મૃતદેહોને વાપી ખાતે લાવવામાં આવ્‍યા હતા. આજે સવારે 9.30 વાગ્‍યે મૃતકોની અંતિમ યાત્રા નિકળી હતી જેમાં પરિવારના સભ્‍યો, સંબંધીઓ મોટી સંખ્‍યામાં જોડાયા હતા. એક જ પરિવારના ત્રણ સભ્‍યોના ઘટના સ્‍થળે જ મોતથી પરિવારમાં ભારે શોકની કાલીમા ફેલાઈ જવા પામી હતી.

Related posts

ગુજરાત બોર્ડના જાહેર થયેલા પરિણામમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનું કુલ પરિણામ 74.95 ટકા

vartmanpravah

પીપલસેત ખાતે નવનિર્મિત આંગણવાડીના મકાન-નંદઘરનું લોકાર્પણ કરતા આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર

vartmanpravah

કટ આઉટ, કમાન, પોસ્‍ટરો, બેનર્સ સહિતની પ્રચાર સામગ્રીના ઉપયોગ અંગે માર્ગદર્શક સૂચનાઓ જારી

vartmanpravah

વાપીમાં પાણીનુ ઘમાસાણ : 15 જેટલા આર.ઓ. પ્‍લાન્‍ટ પાલિકાએ બંધ કરાવતા વેપારીઓનો પાલિકામાં મોરચો

vartmanpravah

વાપી વીઆઈએ  ગ્રાઉન્ડ ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસઃ આમલી ગાયત્રી મંદિર મેદાન શાકભાજી માર્કેટમાં જગ્‍યાના ભાડા બાબતે નાના વેપારીઓ નારાજ

vartmanpravah

Leave a Comment