April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આમધરા ગામે નહેરમાં ડુબી જવાથી વાંસદાના વેપારીનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: વાંસદા રાણી ફળીયા ખાતે રહેતા જસરાજ ખેતાજી ચૌધરી (ઉ.વ.આ-60) જે બુધવારની બપોરના સમયે બીલીમોરા ખાતે ઉઘરાણીના પૈસા લેવા માટે જાઉં છું એમ કહી સીડી દિલક્ષ મોટર સાયકલ નં.જીજે-21-એએમ-5522 લઈને નીકળ્‍યા હતા. બાદ સાંજના છ વાગ્‍યાના સમયે મોટર સાયકલમાં પંક્‍ચર પડ્‍યું હોવાની પરિવારને જાણ કરી થોડીવારમાં ઘરે આવી જાઉં એમ જણાવ્‍યું હતું. બાદ મોડી સાંજ સુધી પરત ઘરે ન આવતા અને પરિવારજનોએ મોબાઈલ ઉપર ફોન કરતા સ્‍વીચ ઓફ આવતા શોધખોળ આદરી હતી.
શોધખોળ દરમ્‍યાન ચીખલીના માણેકપોરકેનાલ પાસે જસરાજભાઈની મોટર સાયકલ મળી આવતા જે બાદ બીલીમોરા એનડીઆરએફની ટીમને જાણ કરતા માણેકપોર, બામણવેલ, સાદડવેલ, ખાંભડા, સાદકપોર, આમધરા ગામેથી પસાર થતી મોટી કેનાલમાં તપાસ કરતા જસરાજભાઈની લાશ મળી આવતા પોલીસે લાશનો કબ્‍જો લઈ પીએમ કરાવી હતી.
જસરાજભાઈ ચૌધરી કેનાલના પાણીમાં કોઈ કારણોસર પડી જતા ડૂબી જવાના કારણે મરણ ગયેલ હોવાની ફરિયાદમાં જણાવાયું છે. બનાવ અંગેની ફરિયાદ મરનારનો પુત્ર સુરેશ જસરાજભાઈ ચૌધરી (ઉ.વ.આ-24) (રહે.વાંસદા રાણી ફળીયા તા.વાંસદા) એ કરતા વધુ તપાસ પીએસઆઈ-જે.બી.જાદવ કરી રહ્યા છે.

Related posts

દાનહઃ પીપરીયા વિસ્‍તારમાં ગેરકાયદેસર કરેલા દબાણોને સેલવાસ ન.પા.એ હટાવ્‍યા

vartmanpravah

દાનહ પોલીસે બ્‍લેકમેઈલિંગના કેસમાં ત્રણ આરોપીઓની કરાયેલી ધરપકડઃ સ્‍થળ ઉપરથી પાંચ લાખ રૂપિયા જપ્ત કરાયા

vartmanpravah

વાપીમાં પડોશી દુકાનમાં બાકોરૂં પાડી તસ્‍કરોએ જ્‍વેલર્સની દુકાનમાં ઘૂસી લાખોની ચોરી કરી

vartmanpravah

વાપીમાં ડેન્‍ગ્‍યુને અટકાવવા આરોગ્‍ય વિભાગની સઘન ઝુંબેશઃ 73 હજાર મકાનોમાં તપાસ કરાઈ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવનો 39મો વાર્ષિકોત્‍સવની ભવ્‍ય ઉજવણી માટે તડામાર તૈયારી

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ સુશાસન દિવસના ઉપલક્ષમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ.અટલ બિહારી વાજપેયી વિશે યોજેલી વક્‍તૃત્‍વ સ્‍પર્ધા

vartmanpravah

Leave a Comment