Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આમધરા ગામે નહેરમાં ડુબી જવાથી વાંસદાના વેપારીનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: વાંસદા રાણી ફળીયા ખાતે રહેતા જસરાજ ખેતાજી ચૌધરી (ઉ.વ.આ-60) જે બુધવારની બપોરના સમયે બીલીમોરા ખાતે ઉઘરાણીના પૈસા લેવા માટે જાઉં છું એમ કહી સીડી દિલક્ષ મોટર સાયકલ નં.જીજે-21-એએમ-5522 લઈને નીકળ્‍યા હતા. બાદ સાંજના છ વાગ્‍યાના સમયે મોટર સાયકલમાં પંક્‍ચર પડ્‍યું હોવાની પરિવારને જાણ કરી થોડીવારમાં ઘરે આવી જાઉં એમ જણાવ્‍યું હતું. બાદ મોડી સાંજ સુધી પરત ઘરે ન આવતા અને પરિવારજનોએ મોબાઈલ ઉપર ફોન કરતા સ્‍વીચ ઓફ આવતા શોધખોળ આદરી હતી.
શોધખોળ દરમ્‍યાન ચીખલીના માણેકપોરકેનાલ પાસે જસરાજભાઈની મોટર સાયકલ મળી આવતા જે બાદ બીલીમોરા એનડીઆરએફની ટીમને જાણ કરતા માણેકપોર, બામણવેલ, સાદડવેલ, ખાંભડા, સાદકપોર, આમધરા ગામેથી પસાર થતી મોટી કેનાલમાં તપાસ કરતા જસરાજભાઈની લાશ મળી આવતા પોલીસે લાશનો કબ્‍જો લઈ પીએમ કરાવી હતી.
જસરાજભાઈ ચૌધરી કેનાલના પાણીમાં કોઈ કારણોસર પડી જતા ડૂબી જવાના કારણે મરણ ગયેલ હોવાની ફરિયાદમાં જણાવાયું છે. બનાવ અંગેની ફરિયાદ મરનારનો પુત્ર સુરેશ જસરાજભાઈ ચૌધરી (ઉ.વ.આ-24) (રહે.વાંસદા રાણી ફળીયા તા.વાંસદા) એ કરતા વધુ તપાસ પીએસઆઈ-જે.બી.જાદવ કરી રહ્યા છે.

Related posts

મરઘમાળ ગામે સાકાર વાંચન કુટીર સ્‍થાપના દિનની – મહામાનવ ડૉ. એ.પી.જે અબ્‍દુલ કલામની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વલસાડના શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળનો 28મો સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

ચણોદ કરવડ રોડની કામગીરી કેટલાક દિવસ ઠપ્‍પ રહેતા વાહન ચાલકો અને સ્‍થાનિક સહિત વેપારી આલમ પારાવાર મુશ્‍કેલીમાં

vartmanpravah

પારડી ઓવરબ્રીજ પર ચાલી રહેલ ટેમ્‍પામાં અચાનક આગ ભભૂકી ઉઠી

vartmanpravah

જીએફસીસીમાં મેનેજીંગ ડીરેકટર તરીકે નિવૃત અધીકારીને એકસટેશન આપી નિમણુંક

vartmanpravah

પરીક્ષા ડિપ્રેશનને લઈ પારડીના યુવાને ઘર છોડ્‌યું

vartmanpravah

Leave a Comment