પાંજરાપોળની દિવાલમાં બાકોરૂ પાડીને આરોપી સંજય મેર અને ભરત મેર ચાર પશુની તસ્કરી કરી ગયા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: વાપી રાતા પાંજરાપોળમાંથી ગત તા.16મીએ રાતે પાંજરાપોળના ભાગે દિવાલમાં બાકોરૂ પાડી ચાર પશુઓની ચોરી થવા પામી હતી. ફરિયાદ બાદ ડુંગરા પોલીસે ગણતરીના કલાકોમાં પશુ તસ્કરોને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી દીધો છે.
વાપી રાતા પાંજરાપોળમાં દિવાલને બાકોરૂ પાડી ચાર પશુની ચોરી થયાની જાણ અજીત સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી રાજેશભાઈ હસ્તીમલ શાહને થતા પાંજરાપોળ દોડી ગયા હતા. ચાર પશુ ચોરી અંગેની ફરિયાદ તેમણેડુંગરા પોલીસમાં નોંધાવી હતી. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા હતા. પોલીસ કોન્ટેબલ કરણસિંહ ચૌહાણ અને રાકેશભાઈને મળેલી બાતમી આધારે નામધા ખડકલા પહોંચ્યા હતા. ત્યાં શીતળા માતા મંદિર પાસેથી આરોપી સંજય માલાભાઈ મેર અને ભરત ભોલાભાઈ મેરને આબાદ રીતે ઝડપી પાડી તેમની પાસેથી ચાર પશુ રીકવર કર્યા હતા. પોલીસે પશુઓને પાંજરાપોળમાં મોકલી આપી આરોપીઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.