April 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘‘વિદ્યાર્થી ઉદ્યમીતા સાહસિકતા નીતિ” અંતર્ગત વલસાડ જિલ્લામાંથી ભીલાડ સરકારી વિજ્ઞાન કોલેજના બે વિદ્યાર્થીની પસંદગી

સ્‍ટાર્ટઅપ શરૂ કરવા બીજ ભંડોળ તરીકે ગાંધીનગર ખાતે રાજ્‍યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલભાઈ પાનસેરીયાના હસ્‍તે રૂ.40 હજારના ચેક અર્પણ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.14: રાજ્ય સરકાર દ્વારા ‘‘વિદ્યાર્થી ઉદ્યમીતાસાહસિકતા નીતિ’’ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રચાયેલી સમીક્ષા સમિતિ દ્વારા ગુજરાતભરમાંથી કુલ ૧૪૦ વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ પ્રોજેકટની પસંદગી કરવામાં આવી છે. જેમાંથી વલસાડ જિલ્લામાંથી વિવિધ કોલેજના વિદ્યાર્થીઓમાંથી ઉમરગામ તાલુકાના ભીલાડ સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજની એક વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી છે.
ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજની ટીવાય બીએસ.સીની વિદ્યાર્થિની સાધના ઓમપ્રકાશ ઉપાધ્યાયના વેસ્ટ ફલાવરમાંથી ધુપબત્તી બનાવવાનો પ્રોજેકટ અને વિદ્યાર્થી સંજય વિનોદભાઈ પટેલનો ગ્રાફિક્સ ડિઝાઈનરનો સ્ટાર્ટઅપ તરીકેનો બિઝનેશ પ્લાનનો પ્રોજેક્ટ ગુજરાત સરકાર દ્વારા રચાયેલી સમીક્ષા સમિતિ દ્વારા પસંદગી પામ્યો હતો. જેથી ‘વિદ્યાર્થી ઉદ્યમીતાસાહસિકતા નીતિ’ (Student Entrepreneurship Policy) અંતર્ગત રૂ.૪૦,૦૦૦ ના બીજ ભંડોળ તરીકેનો ચેક રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનસેરીયાના હસ્તે ગાંધીનગર ખાતે સન્માન કાર્યક્રમમાં એનાયત કરવામાં આવ્યો હતો. રાજ્ય કક્ષાએ ઝળહળતી સિધ્ધિ મેળવી ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજ અને વલસાડ જિલ્લાનું ગૌરવ વધારવા બદલ કોલેજના આચાર્યશ્રી દિપકભાઈ ધોબી, મદદનીશ પ્રાધ્યાપકશ્રી હરદિપભાઇ ખાચર અને કોલેજ પરિવારે બંને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરી તેમની ઉજ્જવળ કારર્કિદી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Related posts

સેલવાસના નક્ષત્ર વન ઉલ્‍ટન ફળિયાની મુખ્‍ય ગટર નજીક બિલ્‍ડરે કરેલું દબાણઃ ચોમાસામાં લોકોને મુશ્‍કેલી ઉભી કરશે

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આ વર્ષે સાદગીપૂર્ણ રીતે થનારી મુક્‍તિ દિવસની ઉજવણી

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારમાં ડ્રોન વડે સર્વેની કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

‘વિશ્વ મહિલા દિવસ’ નિમિત્તે નેહરુ યુવા કેન્‍દ્ર, દમણ દ્વારા ફૂટબોલ ગ્રાઉન્‍ડમાં રમત-ગમત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

જિલ્લામાં ધો.10ના 33474, ધો.12 સા.પ્ર.ના 14810 અને ધો.12 વિ.પ્ર.ના 7480 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

vartmanpravah

વલસાડ ખેરગામ રોડનું કામ શરૂ કરાવવા સરપંચોનું અનોખું આંદોલન: અઠવાડીયામાં રસ્‍તાનું કામ શરૂ ન કરાય તો રસ્‍તાઓ ખોદી રસ્‍તાની વચ્‍ચે કરાશે વૃક્ષારોપણ

vartmanpravah

Leave a Comment