Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આમધરા ગામે નહેરમાં ડુબી જવાથી વાંસદાના વેપારીનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: વાંસદા રાણી ફળીયા ખાતે રહેતા જસરાજ ખેતાજી ચૌધરી (ઉ.વ.આ-60) જે બુધવારની બપોરના સમયે બીલીમોરા ખાતે ઉઘરાણીના પૈસા લેવા માટે જાઉં છું એમ કહી સીડી દિલક્ષ મોટર સાયકલ નં.જીજે-21-એએમ-5522 લઈને નીકળ્‍યા હતા. બાદ સાંજના છ વાગ્‍યાના સમયે મોટર સાયકલમાં પંક્‍ચર પડ્‍યું હોવાની પરિવારને જાણ કરી થોડીવારમાં ઘરે આવી જાઉં એમ જણાવ્‍યું હતું. બાદ મોડી સાંજ સુધી પરત ઘરે ન આવતા અને પરિવારજનોએ મોબાઈલ ઉપર ફોન કરતા સ્‍વીચ ઓફ આવતા શોધખોળ આદરી હતી.
શોધખોળ દરમ્‍યાન ચીખલીના માણેકપોરકેનાલ પાસે જસરાજભાઈની મોટર સાયકલ મળી આવતા જે બાદ બીલીમોરા એનડીઆરએફની ટીમને જાણ કરતા માણેકપોર, બામણવેલ, સાદડવેલ, ખાંભડા, સાદકપોર, આમધરા ગામેથી પસાર થતી મોટી કેનાલમાં તપાસ કરતા જસરાજભાઈની લાશ મળી આવતા પોલીસે લાશનો કબ્‍જો લઈ પીએમ કરાવી હતી.
જસરાજભાઈ ચૌધરી કેનાલના પાણીમાં કોઈ કારણોસર પડી જતા ડૂબી જવાના કારણે મરણ ગયેલ હોવાની ફરિયાદમાં જણાવાયું છે. બનાવ અંગેની ફરિયાદ મરનારનો પુત્ર સુરેશ જસરાજભાઈ ચૌધરી (ઉ.વ.આ-24) (રહે.વાંસદા રાણી ફળીયા તા.વાંસદા) એ કરતા વધુ તપાસ પીએસઆઈ-જે.બી.જાદવ કરી રહ્યા છે.

Related posts

ગુજરાતની રણજી ટ્રોફી ટીમમાં દમણના ઉમંગ ટંડેલનો સમાવેશ : સંઘપ્રદેશ માટે ગૌરવની ઘટના

vartmanpravah

વલસાડમાં જિલ્લા બહારના શિક્ષકોના યોજાયેલ બદલી કેમ્‍પમાં અન્‍યાય થતા શિક્ષકોએ હોબાળો મચાવ્‍યો

vartmanpravah

સેલવાસ ઝંડાચોક ઉપર વારંવાર થઈ રહેલો અકસ્‍માતઃ સોમવારે ફરી કન્‍ટેઈનરચાલકે વળાંક લેતી વખતે આઝાદી સ્‍મારક સ્‍તંભને ફાલકો અડાડી દેતાં થયેલું નુકસાન

vartmanpravah

દાનહની કંપનીઓમાં આગ લાગવાની ઘટનાનો સિલસિલો યથાવત મસાટ ખાતેની દાલમિયા પોલી પ્રો પ્રાઈવેટ લિ. કંપનીમાં બુધવારે મળસ્‍કે લાગેલી ભીષણ આગ

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને દાનહ-દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અંદામાન નિકોબારનો પણ હવાલો સુપ્રત કરવા ઘડાતો તખ્‍તો

vartmanpravah

ઉમરગામના દરિયા કિનારે ગણેશ ભક્‍તોની લાપરવાહીના કારણે ગણપતિની ખંડિત પ્રતિમાઓના અપમાનિત દૃશ્‍યો સર્જાયા

vartmanpravah

Leave a Comment