(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: વાંસદા રાણી ફળીયા ખાતે રહેતા જસરાજ ખેતાજી ચૌધરી (ઉ.વ.આ-60) જે બુધવારની બપોરના સમયે બીલીમોરા ખાતે ઉઘરાણીના પૈસા લેવા માટે જાઉં છું એમ કહી સીડી દિલક્ષ મોટર સાયકલ નં.જીજે-21-એએમ-5522 લઈને નીકળ્યા હતા. બાદ સાંજના છ વાગ્યાના સમયે મોટર સાયકલમાં પંક્ચર પડ્યું હોવાની પરિવારને જાણ કરી થોડીવારમાં ઘરે આવી જાઉં એમ જણાવ્યું હતું. બાદ મોડી સાંજ સુધી પરત ઘરે ન આવતા અને પરિવારજનોએ મોબાઈલ ઉપર ફોન કરતા સ્વીચ ઓફ આવતા શોધખોળ આદરી હતી.
શોધખોળ દરમ્યાન ચીખલીના માણેકપોરકેનાલ પાસે જસરાજભાઈની મોટર સાયકલ મળી આવતા જે બાદ બીલીમોરા એનડીઆરએફની ટીમને જાણ કરતા માણેકપોર, બામણવેલ, સાદડવેલ, ખાંભડા, સાદકપોર, આમધરા ગામેથી પસાર થતી મોટી કેનાલમાં તપાસ કરતા જસરાજભાઈની લાશ મળી આવતા પોલીસે લાશનો કબ્જો લઈ પીએમ કરાવી હતી.
જસરાજભાઈ ચૌધરી કેનાલના પાણીમાં કોઈ કારણોસર પડી જતા ડૂબી જવાના કારણે મરણ ગયેલ હોવાની ફરિયાદમાં જણાવાયું છે. બનાવ અંગેની ફરિયાદ મરનારનો પુત્ર સુરેશ જસરાજભાઈ ચૌધરી (ઉ.વ.આ-24) (રહે.વાંસદા રાણી ફળીયા તા.વાંસદા) એ કરતા વધુ તપાસ પીએસઆઈ-જે.બી.જાદવ કરી રહ્યા છે.