April 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને ચેરિટી કમિશનરના પરિપત્રની સ્‍વીકારેલી ગંભીરતા

સોસાયટી રજીસ્‍ટર એક્‍ટ 1860 હેઠળ નોંધાયેલ મંડળીઓની મુંબઈ સાર્વજનિક ટ્રસ્‍ટ અધિનિયમ 1950 હેઠળ ટ્રસ્‍ટ તરીકે નોંધણી કરાવવા ચેરિટી કમિશનર ગુજરાત રાજ્‍ય અમદાવાદદ્વારા પરિપત્ર ક્રમાંક 7/2004 અને પરિપત્ર ક્રમાંક 13/2017 દ્વારા ચુસ્‍ત પાલન કરવા સાથે જણાવવામાં આવ્‍યું હતું. આ પરિપત્રના ઉલ્લંઘન બદલ કાર્યવાહીનો સામનો કરી રહેલી એસઆઈએ કાયદાની પરિધમાં આવવા નિર્ણય લેવાનો અધિકારો માટે પૂર્વ પ્રમુખોની કોર કમિટીની રચના કરવાની ચાલુ કરેલી તજવીજ

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને 2004માં બેલેન્‍સશીટમાં ખોટી રીતે બતાવેલી રૂ.6500 એજીએમ ખર્ચ ની વિગત માટે તાત્‍કાલિન હોદ્દેદારો પ્રમુખશ્રી કિરીટભાઈ મહેતા, સેક્રેટરીશ્રી જે કે રાય અને ટ્રેઝરરશ્રી રાજેન્‍દ્રસિંહ જાડેજાએ કોર્ટ કમિશનના માધ્‍યમથી ચાલુ થયેલી તપાસનો સામનો કર્યો હતો. હવે છેલ્લા ત્રણ વર્ષની એસઆઈએની બેલેન્‍સશીટ જોતા એવી ઘણી ચોંકાવનારી વિગતો સામે આવવાની શકયતાથી કોર કમિટી માટે રસ્‍તો આસાન નહીં રહે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.27
સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન હાલમાં કાયદાની આટીઘૂંટીમાંથી પસાર થઈ રહ્યું હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. 1 એપ્રિલે વર્તમાન પ્રમુખ શ્રી કમલેશભાઈ ભટ્ટ અને એમની ટીમનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે અને નિયમ મુજબ સમરસના માધ્‍યમથી નિયુક્‍ત થયેલા નવા પ્રમુખ શ્રી નિર્મલભાઈ દુધાની અને એમની ટીમનો કાર્યકાળ ચાલુ થવાજોઈએ પરંતુ આવનારુ ચિત્ર સ્‍પષ્ટ નથી.
એસઆઈએ સોસાયટી રજીસ્‍ટ્રર એકટ હેઠળ નોંધાયેલ છે જેનો નોંધણી નંબર ઞ્ચષ/223/રર્ુીશ્રર્તીફુ ફુદ્દ.17/4/89 છે. જેમાં નોંધણી થયેલા મેમ્‍બરો આજે પણ કાર્યરત છે અર્થાત એસઆઈએ ફેરફાર રિપોર્ટ રજૂ કરેલ નહીં હોવાનું સાબિત થાય છે. નિયમના પરિધમાં રહીને એસઆઈએને કાર્યરત કરવામાં કેમ રસ ન રહ્યો એ તપાસમાં વિષય છે. હાલમાં એસઆઈએની પૂર્ણ થયેલી ચૂંટણીમાં કયા બાયલોઝના નિયમનું પાલન કરવામાં આવ્‍યું એની સ્‍પષ્ટતા કરવામાં સ્‍ક્રુતિનીના સભ્‍યો નિષ્‍ફળ જતા દેખાઈ રહ્યા છે. સ્‍ક્રુતિનીના ચેરમેનશ્રી એ રજૂ કરેલું બાયોલોઝ મુજબ ચૂંટણી પ્રક્રિયા 30 જુનથી થવી જોઈએ એવું જણાઈ આવે છે. તો હાલમાં ચૂંટણી પ્રક્રિયા પ્રોપર વેમાં નહીં હોય તો આ કોના દબાણ વસ ચૂંટણીને પૂર્ણ થયાની જાહેરાત કરી એ પણ એક સવાલ સામે આવી રહ્યો છે. એસઆઈએમાં અગ્રણી ઉદ્યોગપતિઓ, નવા ચૂંટાયેલા એક્‍ઝિકયુટિવ મેમ્‍બરો અને પૂર્વ પ્રમુખો વચ્‍ચે બેઠકનો દોર ચાલી રહ્યો છે. જેમાં પ્રમુખ તરીકે શ્રી કમલેશભાઈ ભટ્ટની વધેલી માયા અને નવા નિયુક્‍ત થયેલા પ્રમુખ શ્રી નિર્મલભાઈ દુધાનીની ખુરશી પર બેસવાની તલાવેલી વચ્‍ચે એસઆઈએમાં થયેલો નિયમ વિરોધના વહીવટી ભ્રષ્ટાચાર વચ્‍ચે એસઆઈએના મેમ્‍બરો મુકપ્રેક્ષકની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.

Related posts

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ઈન્‍ડોર ગેમ્‍સ અને ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાનહના સેલ્‍ટી સહિત દેશની પ0 એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનું   કરેલું શિલાન્‍યાસ

vartmanpravah

તિથલનો દરિયો બન્‍યો તોફાની : રવિવાર હોવાથી સહેલાણીઓની ઉમટેલી ભીડ બની ભયભીત

vartmanpravah

‘સંકલ્‍પ સપ્તાહ – સબકી આકાંક્ષાયેં – સબકા વિકાસ’ અંતર્ગત શુક્રવારે દમણ કૃષિ વિભાગ દ્વારા કચીગામના સરકારી કૃષિ ફાર્મમાં કૃષિ મહોત્‍સવ યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં ફૂડ એન્‍ડ ડ્રગ્‍સની ટીમે વિવિધ 71 સ્‍થળેથી ખાદ્ય સામગ્રીના લીધેલા સેમ્‍પલ: ઉમરગામના તલવાડાની બાલાજી રાજસ્‍થાની હોટલ અને ધનોલીની અંબર હોટલની ખાદ્ય સામગ્રી આરોગ્‍યને નુકસાનકારક (અનસેફ ફૂડ) તરીકે જાહેર

vartmanpravah

પાલઘર મનોર હાઈવે ઉપર ગોઠવાયો પોલીસ કાફલો: વાઢવણબંદર વિરોધમાં રસ્‍તા રોકો આંદોલનની ચિમકી

vartmanpravah

Leave a Comment