January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ડુપ્‍લીકેટ તેલનો કારોબાર ઝડપાયો : શાકભાજી માર્કેટમાં ચાર દુકાનોમાંથી ડુપ્‍લીકેટ બ્રાન્‍ડેડ તેલના ડબ્‍બા મળ્‍યા

ડીલરે કંપનીને કરેલી ફરિયાદ બાદ કંપની ટીમ અને પોલીસે ચેકીંગ કરતા બનાવટી તેલનું કૌભાંડ મળી આવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વલસાડમાં અગાઉ બનાવટી પનીરનો વેપલો ઝડપાયો હતો. હવે બનાવટી બ્રાન્‍ડેડ કંપનીઓના તેલનો કારોબાર ઝડપાયો છે. વલસાડ સિટી પોલીસેશાકભાજી માર્કેટમાં વિવિધ ચાર દુકાનોમાં હાથ ધરેલી કાર્યવાહીમાં તિરૂપતિ સહિત અન્‍ય બ્રાન્‍ડેડ કંપનીના ડુપ્‍લીકેટ તેલના સેંકડો ડબ્‍બા મળી આવતા બજાર વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્‍યો હતો.
વલસાડમાં ડુપ્‍લીકેટ ખાદ્યતેલનું ખાનગી રાહે વેચાણ થઈ રહ્યું હોવાનું તેલ કંપનીના ડીલરે કંપનીને જાણ કરી હતી. ડીલરની ફરિયાદ બાદ કંપનીની માર્કેટીંગ ટીમ પોલીસને સાથે રાખીને શાકભાજી માર્કેટમાં વિવિધ ચાર જેટલી દુકાનોમાં ચેકીંગની કાર્યવાહી આજે હાથ ધરી હતી. કાર્યવાહીમાં તિરૂપતિ સહિત બ્રાન્‍ડેડ ખાદ્યતેલના બનાવટી ડબ્‍બાઓનો જથ્‍થો મળી આવ્‍યો હતો. ચેકીંગ કાર્યવાહી દરમિયાન ડબ્‍બા ઉપર લગાડવામાં આવતા સ્‍ટીકર વગેરેનો સામાન પણ હાથ લાગ્‍યો હતો. પોલીસે તમામ ડુપ્‍લીકેટ તેલના ડબ્‍બા મુદ્દામાલ તરીકે જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખાદ્ય પદાર્થોમાં થઈ રહેલી ઘટનામાં ફુડ એન્‍ડ ડ્રગ વિભાગની લાપરવાહી સામે આવી છે. સમયસર સખ્‍તાઈથી કામગીરી થતી રહે તો લોકોના સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા અટકાવી શકાય પરંતુ ભ્રષ્‍ટાચારની આડમાં ગોરખધંધા ચાલતા રહ્યા છે.

Related posts

પોલીસ બંદોબસ્‍ત સાથે વિસ્‍તરણ અધિકારીની ઉપસ્‍થિતિમાં ચીખલીના સાદકપોર ગ્રામ પંચાયતમાં યોજાયેલ સામાન્‍યસભામાં બહુમતિથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થતાં સરપંચ જૂથમાં સોપો

vartmanpravah

ચીખલી તાલુકામાં આરોગ્‍ય વિભાગની નોંધપાત્ર કામગીરી : ટૂંકાગાળામાં જ 86 ટકા કામગીરી પૂર્ણ કરી 2.10 લાખ જેટલા આભા કાર્ડ બનાવ્‍યા

vartmanpravah

વકરતી ટ્રાફિક સમસ્‍યાના નિરાકરણ માટે સેલવાસ ન.પા.એ વરસાદી પાણીના નિકાલની ગટર ઉપરપાથરણાં પાથરી દિવાળીનો સામાન વેચનારાઓને હટી જવા કરેલી તાકિદ

vartmanpravah

ઉમરગામના વલવાડાથી 32 વર્ષીય પતિ પત્‍ની અને બે સંતાનો સાથે ગુમ

vartmanpravah

ભુખ્‍યાને બે ટંક મફત ભોજન માટે વાપી સલવાવમાં લોક ગાયક ગીતા રબારીનો ભવ્‍ય લોક ડાયરો

vartmanpravah

દાનહના આદિવાસી વિકાસ સંગઠન સંચાલિત ‘આદિવાસી ભવન’ હવે ‘એકલવ્‍ય ભવન’ તરીકે ઓળખાશે

vartmanpravah

Leave a Comment