ધારાસભ્યો, જિલ્લા પદાધિકારીઓ અને કાર્યકારો રેલીમાં જોડાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11
કોરોનામાં મૃતક થયેલા પરિવારને સરકાર દ્વારા પ0 હજારની સહાય આપવામાં આવી રહી છે. જેનો કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત વાપી શહેર કોંગ્રેસ દ્વારા રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર પાઠવી કોરોના મૃતકો વળતર પ0હજારની નહી પણ ચાર લાખ આપે એવી માંગણી કરવામાં આવી હતી.
કોરોનાની બીજી લહેરમાં હજારો લોકો મોતને ભેટયા હતા. તેઓના પરિવારને સરકાર પ0 હજારની સહાય આપી રહી છે. જેનો કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ કરીને વળતર 4 લાખ આપવાનીમાં આવે એ માટે વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી કાઢી મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રેલીમાં જિલ્લા પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ, પ્રભારી એમ.એબ.એ પુનાજી ગામીત, ચીખલી ધારાસભ્ય શ્રી અનંત પટેલ, શહેર પ્રમુખ શ્રી નિમેશ વશી અને પાલિકા વિરોધપક્ષના નેતા ખંડુભાઈ અને કાર્યકરો જોડાયા હતા.