Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપી શહેર કોંગ્રેસ કોરોના મૃતકોને પ0 હજાર નહી પણ 4 લાખ વળતર માટે રેલી કાઢી આવેદન આપ્‍યું

ધારાસભ્‍યો, જિલ્લા પદાધિકારીઓ અને કાર્યકારો રેલીમાં જોડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11
કોરોનામાં મૃતક થયેલા પરિવારને સરકાર દ્વારા પ0 હજારની સહાય આપવામાં આવી રહી છે. જેનો કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્‍યમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત વાપી શહેર કોંગ્રેસ દ્વારા રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર પાઠવી કોરોના મૃતકો વળતર પ0હજારની નહી પણ ચાર લાખ આપે એવી માંગણી કરવામાં આવી હતી.
કોરોનાની બીજી લહેરમાં હજારો લોકો મોતને ભેટયા હતા. તેઓના પરિવારને સરકાર પ0 હજારની સહાય આપી રહી છે. જેનો કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ કરીને વળતર 4 લાખ આપવાનીમાં આવે એ માટે વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી કાઢી મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું. રેલીમાં જિલ્લા પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ, પ્રભારી એમ.એબ.એ પુનાજી ગામીત, ચીખલી ધારાસભ્‍ય શ્રી અનંત પટેલ, શહેર પ્રમુખ શ્રી નિમેશ વશી અને પાલિકા વિરોધપક્ષના નેતા ખંડુભાઈ અને કાર્યકરો જોડાયા હતા.

Related posts

નાની પલસાણ અને શાહુડા ખાતે જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીની અધ્યક્ષતામાં રાત્રિસભા યોજાઈ

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં જય વસાવડાનો સેમિનાર યોજાયો

vartmanpravah

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજની વિદ્યાર્થીનીઓ ફૂટબોલમાં ઝળકી

vartmanpravah

નાની દમણના સોમનાથ ખાતે ફોર્ચુન ડી.પી.નેનો-1 યુવા મિત્ર મંડળ દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્‍સવમાં પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના અધ્‍યક્ષ હરિશભાઈ પટેલે પોતાની ધર્મપત્‍ની જિ.પં. સભ્‍ય રીનાબેન સાથે લીધેલો આરતીનો લ્‍હાવો

vartmanpravah

કપરાડા અરૂણોદય વિદ્યાલયના ઈન્‍ચાર્જ આચાર્ય શિક્ષણ સહાયકને કાયમી કરવા અરજી કાર્યવાહી માટે 50 હજારની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

પારડી અરનાલા પાટી કોલકનો કોઝવે ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ

vartmanpravah

Leave a Comment