Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપી શહેર કોંગ્રેસ કોરોના મૃતકોને પ0 હજાર નહી પણ 4 લાખ વળતર માટે રેલી કાઢી આવેદન આપ્‍યું

ધારાસભ્‍યો, જિલ્લા પદાધિકારીઓ અને કાર્યકારો રેલીમાં જોડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11
કોરોનામાં મૃતક થયેલા પરિવારને સરકાર દ્વારા પ0 હજારની સહાય આપવામાં આવી રહી છે. જેનો કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્‍યમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત વાપી શહેર કોંગ્રેસ દ્વારા રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર પાઠવી કોરોના મૃતકો વળતર પ0હજારની નહી પણ ચાર લાખ આપે એવી માંગણી કરવામાં આવી હતી.
કોરોનાની બીજી લહેરમાં હજારો લોકો મોતને ભેટયા હતા. તેઓના પરિવારને સરકાર પ0 હજારની સહાય આપી રહી છે. જેનો કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ કરીને વળતર 4 લાખ આપવાનીમાં આવે એ માટે વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી કાઢી મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું. રેલીમાં જિલ્લા પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ, પ્રભારી એમ.એબ.એ પુનાજી ગામીત, ચીખલી ધારાસભ્‍ય શ્રી અનંત પટેલ, શહેર પ્રમુખ શ્રી નિમેશ વશી અને પાલિકા વિરોધપક્ષના નેતા ખંડુભાઈ અને કાર્યકરો જોડાયા હતા.

Related posts

નવસારી જિલ્લા પંચાયતના બાંધકામ અધ્‍યક્ષે ઘેજ-બીડમાં વાડખાડી સ્‍થિત ડૂબાઉ પુલ અને નવીનીકરણ થઈ રહેલા મોટા ડુંભરીયાના મુખ્‍યમાર્ગનું નિરીક્ષણ કરી જન માહિતી મેળવી ગુણવત્તા જાળવવા સાથે સમયસર કામ પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી

vartmanpravah

વાપીમાં આવેલ વિદ્યાવિહાર સ્‍કૂલમાં જન્‍માષ્ટમી મહોત્‍સવનું થયેલું આયોજન

vartmanpravah

વર્ષોની પરંપરા જાળવી રાખી ફરી એક વખત પારડી વકીલ મંડળના પ્રમુખ તરીકે ભરતભાઈ પટેલની બિનહરીફ વરણી

vartmanpravah

દમણ પોલીસે સ્‍પા અને સલૂનની આડમાં ચાલી રહેલા દેહ વેપારના ધંધાનો કરેલો પર્દાફાશઃ એક આરોપીની ધરપકડ

vartmanpravah

ઉમરગામથી વલસાડ જવા ટ્રેનમાં નિકળેલ પિતા સૂઈ જતા બે વર્ષની પૂત્રનું કોઈ અપહરણ કરી ગયું

vartmanpravah

જિલ્લા પ્રભારી મંત્રીએ વરસાદથી અસરગ્રસ્‍તોની મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment