(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.01: કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોરાદિત્ય સિંધિયા સાથે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શુભેચ્છા મુલાકાત લઈ વિવિધ મહત્વપૂર્ણ વિષયો ઉપર ચર્ચા-વિચારણાં અને વાર્તાલાપ કર્યો હતો.
અત્રે યાદ રહેકે, દમણ ખાતે ડોમેસ્ટિક એરપોર્ટના નિર્માણનું કાર્ય ગતિ ઉપર છે અને આવતા દિવસોમાં તે પૂર્ણ થવાની સંભાવના છે. દમણને વિવિધ રાજ્યોની એર કનેક્ટિવીટી માટે નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથેની મુલાકાત મહત્વની હોવાનું માનવામાં આવે છે.