April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ઓટો સેક્‍ટરમાં ફૂલ તેજી : જિલ્લામાં 2023-24માં જુદા જુદા પ્રકારના 52,682 વાહનો નોંધાયા

કાર, ટ્રક, ટુવ્‍હિલર, ટેમ્‍પો-રિક્ષા અને જે.સી.બી. તથા ટ્રકના વેચાણમાં વૃધ્‍ધિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડ જિલ્લામાં સન-2023-24, 31 માર્ચ સુધીમાં જુદા જુદા પ્રકારના કુલ 52682 વાહનો આર.ટી.ઓ. ચોપડે નોંધાયા છે. જિલ્લામાં ઓટો સેક્‍ટરમાં ફુલ તેજી છે. કાર, ટ્રક, ટુ-વ્‍હિલર, થ્રી વ્‍હિલર, રીક્ષા-ટેમ્‍પો, જે.સી.બી. તથા ટ્રકના વેચાણમાં ધરખમ વૃધ્‍ધિ થઈ છે.
કોરોના કાળમાં ઓટો સેક્‍ટરમાં નરમાસ મંદી જોવા મળી હતી. ત્‍યાર પછીના વર્ષમાં તમામ પ્રકારના વાહનોની માંગ વલસાડ જિલ્લામાં વધી રહી છે. તેમાં પણ 2023-24, 31 માર્ચ સુધીમાં જુદા જુદા પ્રકારના 52,682 વાહનો આર.ટી.ઓ. દફતરે રજીસ્‍ટર થયા છે. છેલ્લા 20 વર્ષમાં જિલ્લામાં 8,42,600 વાહનો નોંધાયા છે. જેમાં છેલ્લા વર્ષોમાં ટુ-વ્‍હિલર સૌથી વધુ 5.75 લાખનું વેચાણ થયું છે. એજ રીતે 2022-23માં રીક્ષા 1292, ટેમ્‍પો 201 તેની સામે 2023-24માં રીક્ષા 1913 અને ટેમ્‍પો 266નુંવેચાણ નોંધાયું છે. ટ્રકમાં 2022-23 માં 1937 અને 2023-24 માં 2137નું વેચાણ છે. કાર બજાર તો સૌથી ફુલ સ્‍પીડમાં છે. 1.32 લાખ કાર રોડ ઉપર દોડી રહી છે. પાછલા છ વર્ષમાં જે.સી.બી.નું વેચાણ 850 થયું છે. જિલ્લામાં એવરેજ 2.37 વ્‍યક્‍તિએ એક વાહન દોડી રહ્યું છે. જિલ્લામાં હાલ 32 હજાર જેટલી ઓટો રિક્ષા અને 6500 જેટલા થ્રિ-વ્‍હિલર ટેમ્‍પા દોડી રહ્યા છે.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ખાનવેલના ભગતપાડામાં વિશેષ રેવન્‍યુ શિબિરનું કરાયું આયોજન

vartmanpravah

દાનહ સંસદીય બેઠક માટે ઈલેક્‍શન એક્‍સ્‍પેન્‍ડિચર ઓબ્‍ઝર્વર તરીકે વી. રમન્‍ધા રેડ્ડીની ભારતના ચૂંટણી પંચે કરેલી નિયુક્‍તિ

vartmanpravah

શ્રી દમણ જૈન સોશિયલ ગ્રુપ દ્વારા ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ પ્રભાબેન શાહના નામની જાહેરાત થતા સન્‍માન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ધરમપુરના ખડકીમધુરી ગામમાં મરઘાનો શિકારકરવા જતા કદાવર દિપડી કુવામાં ખાબકી

vartmanpravah

વલસાડ જિલ્લામાં રૂ. 3.33 કરોડના ખર્ચે 18 એમ્બ્યુલન્સનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતમાં લોકાર્પણ

vartmanpravah

વલસાડ આરોગ્ય ખાતા દ્વારા ૧૦૮ સિટીઝન મોબાઈલ એપ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment